સુરત : વારંવાર થતી ચોરીથી કાપડના વેપારીઓ ગિન્નાયા, દુકાનો બંધ કરીને રસ્તા પર ઉતર્યાં

સુરતના કાપડ માર્કેટમાં થતી કાપડની ચોરીની ઘટનામાં મોટું ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે. વેપારીઓએ આરોપ મૂક્યો છે કે, સિક્યુરીટી અને મેનેજમેન્ટથી મિલીભગતથી આખું કૌભાંડ ચાલતું હતું, જેમાં લાખો રૂપિયાના કાપડની ચોરી કરવામાં આવી હતી. 

સુરત : વારંવાર થતી ચોરીથી કાપડના વેપારીઓ ગિન્નાયા, દુકાનો બંધ કરીને રસ્તા પર ઉતર્યાં

તેજશ મોદી/સુરત : સુરતના કાપડ માર્કેટમાં થતી કાપડની ચોરીની ઘટનામાં મોટું ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે. વેપારીઓએ આરોપ મૂક્યો છે કે, સિક્યુરીટી અને મેનેજમેન્ટથી મિલીભગતથી આખું કૌભાંડ ચાલતું હતું, જેમાં લાખો રૂપિયાના કાપડની ચોરી કરવામાં આવી હતી. 

સુરતની 3 વર્ષની બાળકી બપોરે ગાયબ થઈ હતી, સાંજે પીંખાયેલી હાલતમાં માતાપિતાને મળી

સુરતના રિંગરોડ સ્થિત રાધાકૃષ્ણ માર્કેટનો એક સિક્યોરિટી ગાર્ડ ગ્રે તાકાઓની ચોરી કરતા ઝડપાતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો. બુધવારે બપોરના બે વાગ્યાથી શરૂ થયેલી આ ધમાલ સાંજના 6-7 માર્કેટ મેનેજમેન્ટે તો વેપારીની ફરિયાદ બાદ સિક્યુરિટી ગાર્ડ અને તેને સાંકળતા વીડિયો ફૂટેજ પોલીસને સુપરત કર્યાં હતા. ગુરુવારે પણ માર્કેટ બંધ પાળી વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રોષે ભરાયેલા વેપારીઓએ માર્કેટની સિક્યોરિટી એજન્સીને બદલવાની માંગણી કરી હતી. રોષ વધતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વેપારીઓનો આરોપ એ પણ છે કે આ ચોરીમાં માર્કેટ મેનેજમેન્ટના કર્મચારીઓની પણ સંડોવણી છે. વેપારીઓનું કહેવું છે કે, દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરા હટાવી દેવા પણ માર્કેટ મેનેજમેન્ટે સૂચન કર્યુ હતું. જેને કારણે આખી ઘટના પ્રકાશમાં આવે નહીં અને ચોરીનો ધંધો યથાવત રહે.

વેપારીઓએ ઝી 24 કલાક સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે, આરકેટીમાં ઉષા ફેશન કોટન અને ડ્રેસ મટિરિયલ્સ નામની દુકાનમાંથી છેલ્લા બે મહિનાથી 21 લાખ રૂપાયાના તાકા ચોરાઈ રહ્યાં હતા. દુકાન માલિક આશિષ ઠાકુરને અઠવાડિયા પહેલા શંકા ગઈ હતી. તેઓએ શનિવારે સાંજે દુકાન બંધ કરી હતી. તે સમયે તમામ માલની ગણતરી કરી અને દુકાનમાં જે રીતે માલ ગોઠવેલો હતો તેના ફોટો પાડી લીધા હતા. સોમવારે દુકાન ખોલી ત્યારે તેમને શંકા ગઈ કે તાકા ઓછા થયા છે. માર્કેટમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા જણાયું કે, રવિવારે સાંજે 10 થી 12 જણાએ તેને ચોરીને લઈ ગયા હતા. તેમાં એક માર્કેટનો ચોકીદાર રામ જેઠાભાઈ મોઢવડિયા હતો એટલે પોલીસને જાણ કરાઈ હતી.

SuratMArket.JPG

પોલીસે રામ મોઢવડિયાની પૂછપરછ કરી હતી. તેણે ચોરીની કબુલાત કરી હતી. ચોરીનો માલ લિંબાયતમાં નારાયણનગરના ગોડાઉનમાં રાખેલું હોવાની માહિતી આપતા પોલીસે ત્યાં તપાસ કરી હતી. ત્યારે ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. હાલમાં આશિષ ઠાકુરે આરોપી રામ મોઢવડિયા અને તેના સાગરિતો વિરુદ્ધ 21 લાખ રૂપિયાની કિંમતના તાકાઓ ચોરીની ફરિયાદ નોંધાવી છે. વેપારીઓનો આરોપ છે કે, આ ગેંગ દવા માર્કેટની અન્ય દુકાનોમાંથી પણ ચોરી કરે છે. ગુરુવારે ફરી એક વખત વેપારીઓ અને તેમને ત્યાં કામ કરતા મજુરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં દુકાનો બંધ કરવામાં આવી હતી. જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી.

કડક કાર્યવાહીની પોલીસે બાંહેધરી આપી
માર્કેટ બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં સુરત પોલીસ દોડતી થઇ હતી. સ્થાનિક પોલીસ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા. જોઈન્ટ સીપી હરેકૃષ્ણ પટેલે માર્કેટની મુલાકાત લીધી હતી. તેમને ચોરીનો ભાગ વેપારીઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં વેપારીઓએ પોતાની સાથે બનેલી ઘટના જણાવી હતી. હરેકૃષ્ણ પટેલે કહ્યું હતું કે, વેપારોની રજૂઆત ગંભીરતાથી સાંભળી છે, જેમની પણ દુકાનમાં ચોરીની ઘટના બની છે, તેમને લેખિતમાં ફરિયાદ આપવાનું કહ્યું છે, આ તમામ ચોરીની ઘટનમાં અલગ અલગ ફરિયાદ નોધવામાં આવશે. જો વેપારીઓ પાસે સીસીટીવી ફૂટેજ કે મોબાઈલ ક્લિપ હોય તે પણ આપવામાં આવે. ઘટના જોતા લાગી રહ્યું છે, કે આ અંગે મોટું ષડ્યંત્ર હોઈ શકે છે, પોલીસ સમગ્ર કિસ્સામાં ઊંડાણ પૂર્વક તપાસ કરશે. ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ વેપારીઓની તમામ વાતો સાંભળશે. જ્યાં સુધી સમગ્ર તપાસ ચાલે છે ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત અહીં રાખવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news