જેમના દિલ તૂટ્યા હોય એવા પ્રેમીઓ માટે ઓફર : ગુજરાતના આ શહેરમાં એક આશિકે કરી ડિસ્કાઉન્ટની જાહેરાત

Discount Offer On Fenki : દિલજલે આશિકો માટે ફ્રેન્કી પર ડિસ્કાઉન્ટ... સુરતમાં એક યુવકે પોતાને પ્રેમમાં દગો મળતા ફ્રેન્કી પર ડિસ્કાઉન્ટની ઓફર આપી

જેમના દિલ તૂટ્યા હોય એવા પ્રેમીઓ માટે ઓફર : ગુજરાતના આ શહેરમાં એક આશિકે કરી ડિસ્કાઉન્ટની જાહેરાત

Surat News ચેતન પટેલ/સુરત : આમ તો કોઈ પણ ડિસ્કાઉન્ટ કે ઓફર ખાસ પર્વ પર અથવા તો કોઈ ઉપલક્ષ્ય પર આપવામાં આવતી હોય છે. પરંતુ સુરત શહેરમાં એક એવી ઓફર મૂકવામાં આવી છે જેને સાંભળીને લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. આ ઓફર એવા લોકો માટે છે કે જેઓને પ્રેમમાં દગો મળ્યો છે. વાત સાંભળીને તમને વિશ્વાસ નહીં થશે. પરંતુ સુરત શહેરના પાલ વિસ્તાર ખાતે રોડ નજીક ફ્રેન્કી લારી ચલાવનાર યુવકે ઓફર મૂકી છે કે જે લોકોના દિલ તૂટ્યા છે તેઓને તે ફ્રેન્કી ઉપર 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપશે.

અનોખી ઓફરથી લોકો વિચારમાં મૂકાયા
સુરત શહેરના પાલ વિસ્તાર ખાતે રોડ પર એક નાની લારી ધરાવનારાએ આવા લોકો માટે ખાસ ડિસ્કાઉન્ટની ઓફર મૂકી છે કે જેમના એ પ્રેમમાં દિલ તૂટ્યુ હોય, તેના લોકોને આ ફ્રેન્કી વેચનાર 10% નું ડિસ્કાઉન્ટ આપે છે. હવે લોકો વિચારતા હશે કે આ કેવી ઓફર છે અને શા માટે આવી ઓફર આ યુવાન આપી રહ્યો છે. આટલી નાની લારી હોવા છતાં શા માટે નુકસાન ભોગવી ઓફર આપવામાં આવી રહી છે. 

યુવકે પોતાને મળ્યો હતો પ્રેમમાં દગો
મૂળ ઉત્તર પ્રદેશના મથુરાના રહેવાસી અને સુરતના પાલ વિસ્તારમાં આ નાનકડી ફ્રેન્કીની લારી લાવનાર આમીર થોડાક વર્ષો પહેલા જ ઉત્તર પ્રદેશ છોડી સુરત આવી ગયો હતો. કારણ કે તેમને પ્રેમમાં દગો મળ્યો હતો તે ભૂલવા માટે તેઓ ઉત્તરપ્રદેશથી સુરત આવી ગયો અને નાનકડી ફ્રેન્કીની લારી શરૂ કરી અને પોતાની જેમ અન્ય લોકો જે પ્રેમમાં દગો મળે છે તેમને માટે તેઓએ આ ઓફર મૂકી છે.

પોતાની ઓફરને લઈ આમીરે જણાવ્યું હતું કે જ્યારે તેઓ શાળામાં ભણતા હતા ત્યારે તેમને પ્રેમ થયો હતો. પરંતુ છોકરીએ તેમને દગો આપી દેતા તે યુપીથી સુરત આવી ગયો હતો અને ત્યારથી જ તેઓ ફ્રેન્કી વેચીને ગુજરાન ચલાવે છે. જે લોકો પ્રેમમાં દગો મેળવ્યો છે અને આવા લોકો જ્યારે તેમની ફ્રેન્કીની લારી પર આવે અને પોતાની વાત કહે તો આવા લોકોને તેઓ 10% ડિસ્કાઉન્ટ આપે છે. એટલું જ નહીં જ્યારે કપલમાં લોકો આવે છે ત્યારે 70 રૂપિયાની ફ્રેંકી તેઓ 50 રૂપિયામાં આપી દે છે. 

તેણે જણાવ્યું હતું કે જ્યારે પોતાનું દુઃખ લોકો તેમને જણાવે છે ત્યારે તેમને ખબર જ પડી જાય છે કે તેમનું દિલ તૂટ્યું છે અને આવા લોકોને તેઓ આ ઓફર આપે છે દિવસ દરમિયાન ત્યારે ૨૦ થી ૩૦ લોકો આવીને તેમને જણાવે છે કે તેમનું દિલ તૂટ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news