Gujarat Corona Cases: ગુજરાતીઓ થઈ જજો એલર્ટ, કોરોના વકર્યો, એક્ટિવ કેસનો આંક 2332ને પાર

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતની વાત કરીએ તો..સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 301 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 268 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2332 એક્ટિવ કેસ છે.

Gujarat Corona Cases: ગુજરાતીઓ થઈ જજો એલર્ટ, કોરોના વકર્યો, એક્ટિવ કેસનો આંક 2332ને પાર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના આજે નવા 301 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 114 કેસ નોંધાયા છે. જ્યારે 263 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો રેસિયો 98.96 ટકા પર છે. પરંતુ આજે એક સારા સમાચાર એ છે કે આજે એકપણ દર્દીનું મોત થયું નથી. 

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતની વાત કરીએ તો..સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 301 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 268 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2332 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત 10 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 2322 દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11055 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો, અમદાવાદ કોર્પોરેશન - 114, મહેસાણા - 34, વડોદરા કોર્પોરેશન - 24, રાજકોટ કોર્પોરેશન - 20, સુરત કોર્પોરેશન - 20, વડોદરા - 12, રાજકોટ - 11, વલસાડ - 7, ગાંધીનગર - 6, સુરત - 6, આણંદ - 5, ભરૂચ - 5, પંચમહાલ - 5, જામનગર કોર્પોરેશન - 4, મોરબી - 4, પાટણ - 4, અમદાવાદ - 3, બનાસકાંઠા - 3, ભાવનગર - 3, ખેડા - 3, દેવભૂમિ દ્વારકા - 1, ગાંધીનગર કોર્પોરેશન - 1, કચ્છ - 1, મહિસાગર - 1, નવસારી - 1, પોરબંદર - 1, સાબરકાંઠા - 1, સુરેન્દ્રનગર - 1 છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news