આવતીકાલે PM મોદી કરી શકે છે મોટી જાહેરાત, ગુજરાતમાં રાજા રજવાડાઓનો યુગ ફરી જીવંત થશે

PM Modi Gujarat Visit Live: આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી કેવડીયા કોલોનીથી મહત્વની જાહેરાત કરી શકે છે. રોયલ કિંગડમ મ્યુઝીયમ રાજા રજવાડાઓની બલિદાનની ગાથા કહેતું બનશે.

આવતીકાલે PM મોદી કરી શકે છે મોટી જાહેરાત, ગુજરાતમાં રાજા રજવાડાઓનો યુગ ફરી જીવંત થશે

નર્મદા: પીએમ મોદી આજથી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે સોમવાર એટલે કે તારીખ 31મી ઓકટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. પ્રધાનમંત્રીની હાજરીમાં એર શો સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે ત્યારે તેનું રીહર્સલ કરવામાં આવી રહયું છે.

આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી કેવડીયા કોલોનીથી મહત્વની જાહેરાત કરી શકે છે. રોયલ કિંગડમ મ્યુઝીયમ રાજા રજવાડાઓની બલિદાનની ગાથા કહેતું બનશે. કેવડીયા કોલોની ખાતે દેશનું પ્રથમ રોયલ કિંગડમ મ્યુઝીયમ બનાવવામાં આવશે. મ્યુઝીયમમાં દેશના અને ગુજરાતના રાજા રજવાડાઓનું બલિદાનનું ઈતિહાસ રજુ કરવામાં આવશે. દેશના એકીકરણ માટે રાજા રજવાડાઓના બલિદાનને યાદ કરવામાં આવશે. દેશને મજબુત કરવા માટે ક્ષત્રિય સમાજની ભૂમિકા અને પરંપરાને આજની પેઢીને માહિતગાર થાય તેવો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવશે. 

મહત્વનું છે કે, 31મી ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિના અવસરે તેઓ કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. PMની ઉપસ્થિતિમાં અનેકવિધ કાર્યક્રમો તથા પરેડનું આયોજન કરાયું છે. કેવડીયાથી તેઓ રાષ્ટ્રજોગ સંબોધન કરશે. આ ઉપરાંત પીએમના હસ્તે વિવિધ પ્રોજેકટના લોકાર્પણ કરવામાં આવશે.

કેવડીયા ખાતે હાલ એર શો સહિતના કાર્યક્રમોનું રીહર્સલ પુરજોશમાં ચાલી રહયું છે. બનાસકાંઠાના અંબાજીના આદિવાસી બાળકોનું મ્યુઝિકલ બેન્ડ 31મી ઓક્ટોબરે કેવડિયામાં પ્રધાનમંત્રીની સામે પરફોર્મ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news