ગુજરાતના વિકાસ વગર ભારતનો વિકાસ અધૂરો છે: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્ર૫તિ રામનાથ કોવિંદે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૪૯મા પદવીદાન સમારોહમાં સમગ્ર રાષ્ટ્રમાં ગરવી ગુજરાતની ઓળખ આપનાર એવા ૧૯ મી સદીના રચનાત્મક પ્રણેતા કવિ નર્મદની વિચારધારાને જીવનમાં ઉતારી સમાજ, રાજય અને રાષ્ટ્રના સુદઢ નિર્માણમાં યુવાઓને સામર્થ્ય શક્તિ વડે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા આહ્વાન કર્યું હતું. 

ગુજરાતના વિકાસ વગર ભારતનો વિકાસ અધૂરો છે: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

સુરત: રાષ્ટ્ર૫તિ રામનાથ કોવિંદે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૪૯મા પદવીદાન સમારોહમાં સમગ્ર રાષ્ટ્રમાં ગરવી ગુજરાતની ઓળખ આપનાર એવા ૧૯ મી સદીના રચનાત્મક પ્રણેતા કવિ નર્મદની વિચારધારાને જીવનમાં ઉતારી સમાજ, રાજય અને રાષ્ટ્રના સુદઢ નિર્માણમાં યુવાઓને સામર્થ્ય શક્તિ વડે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા આહ્વાન કર્યું હતું. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાજયપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના નવ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પદકો-પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. 

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ગુજરાત એ એવી ધરતી છે, જયાં વીર નર્મદ જેવા સમાજ સુધારકોએ રાષ્ટ્રને આગવી ઓળખ આપી છે. ગુજરાત એ મહર્ષિ દયાનંદ સરસ્વતી, પૂ.મહાત્મા ગાંધીજી અને  સરદાર વલ્લભભાઇ પટેલ જેવી વિભૂતિઓની જન્મભૂમિ છે. ગરવી ગુજરાતે મોરારજીભાઇ દેસાઇ અને નરેન્દ્રભાઇ મોદી જેવા કર્મઠ વડાપ્રધાન દેશને આપ્યા છે.

સુરત એ ગુજરાતનું આર્થિક પાટનગર છે, અને ગુજરાત એ દેશને વિકાસની દિશા ચીંધતું ગ્રોથ એન્જિન છે. ગુજરાતના વિકાસ વગર ભારતનો વિકાસ અધૂરો છે. ટેક્ષ્ટાઇલ અને હીરાઉદ્યોગના ક્ષેત્રે આગવી નામના મેળવનાર સુરતે અંગદાન શહેર (ઓર્ગન ડોનેશન લાઇફ સિટી)ની નવી ઓળખ પ્રસ્થાપિત કરી છે, એમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું.

રાષ્ટ્રપતિએ યુવાધનને નવા પડકારોનો સામનો કરીને સમાજ-દેશના હિત કાજે લક્ષ્યને હાંસલ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રના ઉત્થાન માટે નિર્ધારિત યુવાઓને સામર્થ્ય-શકિતથી રાષ્ટ્રહિતમાં યોગદાન આપવાની આવશ્યકતા છે. દેશના યુવાનો સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બને તેમ પણ ઉમેર્યું હતું.

રાજયમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિદ્ધિઓની સરાહના કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ વિશ્વ વિદ્યાલયમાં દીકરીઓ અભ્યાસમાં અગ્રેસર રહી છે. ૧,૪૧,૦૦૦ વિદ્યાર્થીઓમાં ૮૨ હજાર દીકરીઓ છે, અને સંયોગ એવો છે કે, ૮૨ પદકોમાંથી ૭૧ પુરસ્કાર વિદ્યાર્થિનીઓને મળ્યા છે. આમ, દીકરીઓ તમામ ક્ષેત્રે આગળ વધી રહી છે તે દેશ માટે શુભસંકેત છે. જેમાં સમાજનું યોગદાન પણ વિશેષ રહ્યું છે. રાષ્ટ્રપતિએ વીર નર્મદ યુનિવર્સિટીના ૩પ હજાર જેટલા પછાતવર્ગના વિદ્યાર્થીઓને શિક્ષા પ્રદાન કરવાની વિશેષ બાબતની સરાહના કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news