Health Tips: ઉનાળાની ગરમીમાં આઈસ્ક્રીમ નહીં પરંતુ આ વસ્તુઓનું સેવન કરવાથી મળશે ઠંડક

ઉનાળાની ઋતુમાં આપણને ઠંડુ-ઠંડુ ખાવા-પીવાની ઈચ્છા થાય છે. આ સમયે તમારે બરફથી બનેલી વસ્તુ જેવી કે ગોલા, આઈસ્ક્રીમ અને શરબત જેવી વસ્તુનું આપણે સેવન કરતા હોય છે. પરંતુ આ બધાથી બચીને રહેવું જોઈએ. ઉનાળાની ઋતુમાં આ સેવન આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. આ સિવાય આ ઋતુમાં ચટપટું અથવા તો હેવી ખાવાથી પેટ ખરાબ થવાનો ડર લાગે છે. આજે અમે તમને જણાવીશું કે જે સેવન કરવાથી સારું રહે છે.

Health Tips: ઉનાળાની ગરમીમાં આઈસ્ક્રીમ નહીં પરંતુ આ વસ્તુઓનું સેવન કરવાથી મળશે ઠંડક

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઉનાળાની ઋતુમાં આપણને ઠંડુ-ઠંડુ ખાવા-પીવાની ઈચ્છા થાય છે. આ સમયે તમારે બરફથી બનેલી વસ્તુ જેવી કે ગોલા, આઈસ્ક્રીમ અને શરબત જેવી વસ્તુનું આપણે સેવન કરતા હોય છે. પરંતુ આ બધાથી બચીને રહેવું જોઈએ. ઉનાળાની ઋતુમાં આ સેવન આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. આ સિવાય આ ઋતુમાં ચટપટું અથવા તો હેવી ખાવાથી પેટ ખરાબ થવાનો ડર લાગે છે. આજે અમે તમને જણાવીશું કે જે સેવન કરવાથી સારું રહે છે.

સમગ્ર દેશમાં હવે ઉનાળો ચાલુ થઇ ગયો છે અને કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ ચૂકી છે. ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. થોડા દિવસોમાં તાપમાનનો પારો ઉંચકાશે. ગરમીમાં ખાસ કરીને બાઇક ચલાવતા ચાલકોને ખૂબ પરેશાની ભોગવવી પડે છે. આ વર્ષે કોરોનાને કારણે માસ્ક ફરજીયાત છે ત્યારે માસ્ક સાથે હેલમેટ પહેરવાથી ગરમીમાં પરસેવો ખૂબજ થાય છે.

1- મગનો ઉપયોગ
ઉનાળામાં અડદની દાળ અથવા રાજમા વધારે ન ખાવા જોઈએ કારણકે તેનાથી શરીરમાં ગરમી વધે છે. પણ સ્પ્રાઉટમાં દાળ મિક્સ કરી શકો છો કારણકે સ્પ્રાઉટની તાસીર ઠંડી હોય છે.

2- હેવી ખોરાકથી બચો
ઉનાળામાં ભારે ખોરાક ન આરોગવો જોઈએ. ઉનાળામાં ભારે આહાર પચવામાં તકલીફ પડે છે. દુધી, કોબીજ, ટિંડોળા, સીતાફળ વધારે ખાઓ. લંચ અને ડિનરમાં હલકો ખોરાક લેવાનું રાખો.

3-ઈંડા અને નોનવેજ
ઉનાળામાં નોનવેજ અને ઈંડા ખાવાથી બચવું જોઈએ.પરંતુ તમે ઈંડા અને નોનવેજ ખાવાના શોખીન હોવો તો અઠવાડિયામાં એક કે બે વાર નોનવેજ ખાઈ શકો છો.. નોનવેજમાં માછલી અથવા ચિકન ખાઈ શકો છો. મટન ઘણું હેવી હોય છે. તેનાથી બચો. નોનવેજને ઘીના બદલે દહીંમાં મેરિનેટ કરીને ખાઓ.

4-ઘી અને તેલ
ગરમીમાં ઘી અને તેલનો ઉપયોગ ઓછો કરો. દેશી ઘી, વનસ્પતિ ઘી સિવાય સરસિયાનું તેલ અને ઓલિલ ઓઈલ પણ ઓછું ખાઓ. રાઈસ બ્રેન, નાળિયેર, સોયાબીન, વગેરે તેલ ખાઈ શકો છો.

5-આઈસક્રીમ
ઉનાળાની કલ્પના આઈસક્રીમ વિના અધુરી છે. પણ હાઈ કેલરી, હાઈ શુગર  હોવાને કારણે આઈસક્રીમ ઓછી માત્રામાં ખાઓ. અઠવાડિયામાં બે થી વધારે વાર આઈસ્ક્રીમ ન ખાઓ.

6- લિક્વિડ છે ફાયદારૂપ
ઉનાળામાં વધારે પરસેવાને કારણે સૌથી વધારે નુકસાન શરીરના પાણીને થાય છે. એવામાં ડી-હાઈડ્રેશનથી બચવા માટે રોજના 10-15 ગ્લાસ પાણી પીવું જોઈએ. માટલાનું પાણી પીવું ફાયદાકારી છે. વધારે પડતું ઠંડુ પાણી ન પીવું જોઈએ. વધારે પડતા ઠંડા પાણીથી પાચનશક્તિ ખરાબ થાય છે.

7-કુદરતી ડ્રિક્સ
ઉનાળામાં લીંબુ પાણી વધારે પીઓ. આ સિવાય છાશ, નાળિયેર પાણી, ઠંડાઈ, વેજિટેબલ જ્યુસ, ફ્રુટ જ્યુસ વગેરે પી શકો છો. ઉનાળામાં પ્રિઝર્વ કરીને રાખેલું જ્યુસ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

8-ઉનાળામાં ખાસ આ વસ્તુઓ લેવી
ગરમીમાં દહીં જરુર ખાઓ. તેનાથી શરીરને ઠંડક મળે છે. આ સિવાય ફુદીનાની ચટની પાચન માટે ફાયદાકારક છે.. ઉનાળામાં ભૂખ કરતાં થોડું ઓછું ખાવુ જોઈએ. પણ ખાલી પેટ બિલકુલ ન રહેવું. તેનાથી બીપી લો થઈ જાય છે અને ચક્કર આવવાનું પ્રમાણ પણ વધી જાય છે.

9-આ વસ્તુઓનું સેવન ન કરો
ઉનાળામાં વધારે તળેલું ન ખાઓ. લાલ મરચાના બદલે કાળા મરચાનો ઉપયોગ વધારે કરો. ચા-કોફી ઓછી પીઓ. તેનાથી બોડી ડી-હાઈડ્રેટેડ થાય છે, ગ્રીન-ટી વધારે પીઓ. સ્મોકિંગ ઓછું કરો અને વાસી ખોરાકથી બચો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news