PM નું અપમાન કરવાની કિંમત ચુકવવી પડશે, વર્તમાન સીટો પણ નહીં બનાવી શકે કોંગ્રેસ, બાયકોટ પર શાહનો હુમલો

શાહે ગુરૂવારે ગુવાહાટી (અસમ) માં એક જાહેર સભામાં ભાગ લેતા કહ્યું- નરેન્દ્ર મોદી આગામી વર્ષે 300થી વધુ સીટોની સાથે ફરી પ્રધાનમંત્રી બનશે. કોંગ્રેસે વિપક્ષી પાર્ટીનો દરજ્જો ગુમાવી દીધો છે. 

PM નું અપમાન કરવાની કિંમત ચુકવવી પડશે, વર્તમાન સીટો પણ નહીં બનાવી શકે કોંગ્રેસ, બાયકોટ પર શાહનો હુમલો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે કહ્યુ કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળ જો 28 મેએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની યોજના બનાવી રહ્યું છે, તેને 2024ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી અને જનદાશનું અપમાન કરવાની કિંમત ચુકવવી પડશે. આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી બાદ નરેન્દ્ર મોદીના સતત ત્રીજાવ પ્રધાનમંત્રી બનવાનો ઉલ્લેખ કરતા શાહે દાવો કર્યો કે વિપક્ષી કોંગ્રેસ લોકસભામાં પોતાની વર્તમાન સીટો પણ બચાવી શકશે નહીં. 

તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, જનતા દળ (યુનાઇટેડ), સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી સહિત કોંગ્રેસ સહિત 19 પક્ષોએ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે અને કહ્યું છે કે નવી ઇમારતનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કરવું જોઈએ, પ્રધાનમંત્રીએ નહીં. વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા શાહે કહ્યું, "આ લોકશાહી છે અને ભારતના લોકોએ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનવા માટે મત આપ્યા છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી અને તેનો રાજવી પરિવાર (ગાંધી) નવ વર્ષ પછી પણ પીએમને સ્વીકારવા તૈયાર નથી. તેઓ પીએમને સંસદમાં બોલવા દેતા નથી અને જ્યારે તેઓ બોલે છે અથવા કોઈ કાર્યક્રમમાં ભાગ લે છે ત્યારે કાર્યવાહીનો બહિષ્કાર કરે છે.

શાહે ગુરૂવારે ગુવાહાટી (અસમ) માં એક જાહેર સભામાં ભાગ લેતા કહ્યું- નરેન્દ્ર મોદી આગામી વર્ષે 300થી વધુ સીટોની સાથે ફરીથી પ્રધાનમંત્રી બનશે. કોંગ્રેસે વિપક્ષી પાર્ટીનો દરજ્જો ગુમાવી દીધો છે અને લોકસભામાં પોતાની વર્તમાન સીટોની સંખ્યાને પણ સુરક્ષિત નહીં રાખી શકશે. તેમણે કહ્યું- કોંગ્રેસનું નકારાત્મક વલણ છે. પીએમ 28 મેએ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે પરંતુ કોંગ્રેસ તે બહાનું બનાવી તેનો બહિષ્કાર કરી રાજનીતિ કરી રહી છે કે રાષ્ટ્રપતિએ તેનું ઉદ્ઘાટન કરવું જોઈએ. 

અસમ સરકારની નોકરીઓ માટે સફળ ઉમેદવારોને 44706 નિમણૂંક પત્ર ઔપચારિક રૂપથી વિતચિત કર્યા બાદ અહીં એક જનસભાને સંબોધિત કરતા ભાજપના વરિષ્ઠ નેતાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસનું વલણ નકારાત્મક છે. તેમણે કોંગ્રેસ પર નવા સંસદ ભવનનું નિર્ધારિત ઉદ્ઘાટનનો બહિષ્કાર કરી રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો.

તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ અને વિપક્ષ શાસિત રાજ્યોમાંથી આવા ઉદાહરણ સામે આવે છે જ્યાં સંબંધિ રાજ્યપાલોની જગ્યાએ સંબંધિત મુખ્યમંત્રી અને સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી જેવા કોંગ્રેસ નેતાઓ દ્વારા નવા વિધાનસભા ભવનોની આધારશિલા રાખવામાં આવી. તેમણે કહ્યું- કોંગ્રેસ પ્રધાનમંત્રીને સંસદની અંગર બોલવાની મંજૂરી આપતી નથી. ભારતીય લોકોએ મોદીને બોલવાનો જનદેશ આપ્યો છે. પ્રધાનમંત્રીનું સન્માન ન કરવું લોકોના જનાદેશનું અપમાન કરવા જેવું છે. શાહે કહ્યું- ભારતના 1.3 બિલિયનથી વધુ લોકો જોઈ રહ્યાં છે કે તમે (કોંગ્રેસ) શું કરી રહી છે. આગામી લોકસભા ચૂંટણીમાં જ્યારે તમારા લોકોનો જનાદેશ લેવા આવશે, તો તમારે (2019ની તુલનામાં) ઓછી સીટો મળશે અને મોદીજી 300થી વધુ સીટો જીતીને ફરી પીએમ બનશે. 

તેમણે કહ્યું, “આ નકારાત્મક અભિગમથી દેશને ક્યારેય ફાયદો થશે નહીં. જ્યારે ભાજપ વિપક્ષમાં હતો ત્યારે અમે તમારું (કોંગ્રેસ) સન્માન કરતા હતા અને રચનાત્મક ભૂમિકા ભજવતા હતા. પરંતુ તમે સ્પષ્ટ બહુમતી સાથે પીએમ બનવા છતાં તેમને (મોદી)ને સમર્થન નથી આપી રહ્યા, તે જનાદેશનું અપમાન છે." રવિવારના કાર્યક્રમનો બહિષ્કાર કરવા બદલ અન્ય વિપક્ષી પાર્ટીઓ પર કટાક્ષ કરતા શાહે કહ્યું કે તેમની પાસે પણ 2024 માટેનું વિઝન છે. કોંગ્રેસ આગામી સામાન્ય ચૂંટણીઓમાં પણ આ જ ભાવિ મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news