Farmers Protest: ભાજપે શોધી કાઢ્યો રાકેશ ટિકૈતનો તોડ? અમિત શાહએ બનાવ્યો આ ખાસ પ્લાન

ભારતીય કિસાન યૂનિયન (BKU) ના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) ના આંસુઓએ જે પ્રકારે કિસાન આંદોલન (Farmers Protest) ને જાટોના સ્વાભિમાનની લડાઇમાં બદલવાનો પ્રયત્ન કર્યો, તેથી એલર્ટ થયેલા ભાજપે પોતાના તમામ જાટ ચહેરાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. 

Farmers Protest: ભાજપે શોધી કાઢ્યો રાકેશ ટિકૈતનો તોડ? અમિત શાહએ બનાવ્યો આ ખાસ પ્લાન

નવી દિલ્હી: ખેડૂત આંદોલન (Farmers Protest) ના બહાને જે પ્રકારે વિપક્ષે પશ્વિમ યૂપી  (Western UP) ની 50 સીટો પર અસર ધરાવનાર જાટ વચ્ચે જગ્યા બનાવવાનો પ્રયત્ન છે, તેનાથી સતર્ક થયેલી ભારતીય જનતા પાર્ટી (BJP) હવે કાઉન્ટર કરવા જઇ રહી છે. ભારતીય કિસાન યૂનિયન (BKU) ના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) ના આંસુઓએ જે પ્રકારે કિસાન આંદોલન (Farmers Protest) ને જાટોના સ્વાભિમાનની લડાઇમાં બદલવાનો પ્રયત્ન કર્યો, તેથી એલર્ટ થયેલા ભાજપે પોતાના તમામ જાટ ચહેરાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. 

સંજીવ બાલિયાન સંભાળશે કમાન
પશ્વિમ યૂપીમાં જાટો વચ્ચે જનસંપર્ક અભિયાન કમાન કેંદ્રીય રાજ્ય મંત્રી સંજીવ બાલિયાન (Sanjeev Balian) સંભાળશે. ખાસ વાત એ છે કે જાટોની જે ખાપના સંજીવ બાલિયાન છે, તે ખાપ કરતાં ખાપથી ભારતીય કિસાન યૂનિયન (BKU) ના નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) પણ છે. 

ખેડૂત આંદોલનના બહાને વિપક્ષ કરી રહ્યા છે રાજકારણ
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સૌદાન સિંહે બુધવારે કેંદ્રીય રાજ્ય મંત્રી સંજીવ બાલિયાન (Sanjeev Balian) ના આવાસ પર પશ્વિમી યૂપીના તમામ જાટ નેતાઓની બેઠક કરી. આ બેઠકમાં કહેવામાં આવ્યું કે ખેડૂત આંદોલનના બહાને વિપક્ષ રાજકીય હિત સાધવામાં લાગ્યા છે. ગત ઘણી ચૂંટણીમાંથી પશ્વિમી ઉત્તર પ્રદેશમાં જાટની બેઠક લીધી. ગત ઘણી ચૂંટણીમાંથી પશ્વિમી ઉત્તર પ્રદેશમાં જાટ ભાજપને વોટ આપે છે અને હવે ખેડૂત આંદોલનના બહાને વિપક્ષ જાટોની પાર્ટી વિરૂદ્ધ ઉશ્કેરવામાં લાગ્યા છે. એવામાં જાટો વચ્ચે જઇને એ જણાવવું પડશે કે કૃષિ કાયદો ખેડૂત વિરૂદ્ધ નથી અને ના તો પાર્ટી ખેડૂત હિતોના વિરૂદ્ધ છે. પશ્વિમ યૂપીની તમામ ખાપોમાં ભાજપ પંચાયતો દ્રારા જનસંપર્ક અભિયાન ચલાવશે. 

બેઠકમાં આ નેતા રહ્યા હાજર
આ બેઠકમાં ભાજપના ઉત્તર પ્રદેશ સહ પ્રભારી અને રાષ્ટ્રીય સચિવ સત્યા કુમાર (Satya Kumar), ઉત્તર પ્રદેશના સહ સંગઠન મંત્રી કર્મવીર સહિત તમામ પશ્વિમી યૂપીના તમામ પ્રમુખ ધારાસભ્ય સામેલ થયા. સૂત્રોના અનુસાર બેઠકમાં એ પણ કહેવામાં આવ્યું કે ઠેર-ઠેર પંચાયતો દ્રારા રાકેશ ટિકૈત જાટોનો ચહેરો બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એવામાં ભાજપના નેતાઓને તેના વિશે વિચારવું પડશે. 

ગૃહમંત્રી અમિત શાહએ તૈયાર કરી લીધી છે રણનીતિ?
બેઠકમાં સામેલ એક ભાજપના નેતાએ જણાવ્યું કે 'ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા  (JP Nadda) એ મંગળવારે રાત્રે બેઠકને લઇને ખેડૂત આંદોલનના બહાને વિપક્ષના કાવતરાથી પાર્ટીના નેતાઓએ સાવધાન કર્યા હતા. આ કડીમાં બુધવારે બેઠકમાં પશ્વિમી ઉત્તર પ્રદેશના જાટો વચ્ચે વ્યાપક જનસંપર્કની રણનીતિ બનાવવામાં આવી છે. ભાજપના તમામ સાંસદ, ધારાસભ્ય અને મંત્રી જનસંપર્ક અભિયાનને તેજ કરશે. જાટો અને ખેડૂતોને નવા કૃષિ કાયદા (Farm Bills) ના ફાયદા ગણાવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news