કોરોના ટેસ્ટ કરવાનું હવે થયું સરળ, સુવિધા આપવા માટે ICMRએ ઉઠાવ્યા પગલાં

આ સમાચાર તે લોકો માટે મોટી રાહત આપી શકે છે કે, જ્યારે કોરોના ટેસ્ટ કરાવવા ઈચ્છે છે પરંતુ સરકારી તંત્ર તેમના ટેસ્ટ કરવા તૈયાર નથી. અથવા તો તે લાઇમાં ઉભા રહીને થાકી ગયા છે અને તેમનો નંબર આવી રહ્યો નથી.
કોરોના ટેસ્ટ કરવાનું હવે થયું સરળ, સુવિધા આપવા માટે ICMRએ ઉઠાવ્યા પગલાં

નવી દિલ્હી: આ સમાચાર તે લોકો માટે મોટી રાહત આપી શકે છે કે, જ્યારે કોરોના ટેસ્ટ કરાવવા ઈચ્છે છે પરંતુ સરકારી તંત્ર તેમના ટેસ્ટ કરવા તૈયાર નથી. અથવા તો તે લાઇમાં ઉભા રહીને થાકી ગયા છે અને તેમનો નંબર આવી રહ્યો નથી.

આઇસીએમઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલર ફોર મેડિકલ રિસર્ચે ખાનગી લેબથી કોરોના વાયરસ પરીક્ષણનો ખર્ચ ઘટાડવા માટે અપીલ કરી છે. આઇસીએમઆર દલીલ કરે છે કે જ્યારે દેશમાં કોરોના વાયરસનું પરીક્ષણ શરૂ થયું ત્યારે લેબ વધુ ન હતી અને ટેસ્ટિંગ કિટ માટે ભારત વિદેશી સામાનના ભરોષે હતું. પરંતુ હવે ભારતમાં ટેસ્ટિંગ કીટ બનાવવામાં આવી રહી છે અને લેબની સંખ્યા પણ 2થી વધીને 610 થઈ ગઈ છે.

આ પરિસ્થિતિમાં ઘરેલું કીટની ઉપલબ્ધતા પણ છે અને ટેસ્ટ કરનારની સંખ્યા વધુ છે. તેથી હવે ખાનગી લેબે ભાવ ઘટાડવાનું વિચારવું જોઇએ. ખાસ કરીને ગામડાઓમાં રહેતા લોકો કે, જેમની પાસે આટલા મોંઘા ટેસ્ટ કરાવી શકતા નથી. તેમને ધ્યાનમાં રાખી હવે 4500 રૂપિયાની કિંમતને હવે ઘટાડવાની જરૂરિયાત છે.

ભારતમાં આજે 610 લેબ્સ છે, જેમાંથી 432 સરકારી અને 178 ખાનગી છે. ભારતમાં એક દિવસમાં લગભગ 2 લાખ પરીક્ષણો કરવામાં આવે છે. આઇસીએમઆરનો દાવો છે કે ટૂંક સમયમાં દરરોજ 2 લાખ પરીક્ષણો કરવામાં આવશે.

જો ઘરમાં કોઈ એક વ્યક્તિને કોરોનાનાં લક્ષણો હોય, તો પછી આખા ઘરની તપાસ કરવાની હોય છે. જો સરકારી તંત્ર તમારા ટેસ્ટ કરવા તૈયાર નથી, અથવા તો લાઈનોને અનુસરીને અને લાંબી પ્રતીક્ષા પછી પરીક્ષણ કરાવવું શક્ય ન હોય તો, ઘણા લોકો ફક્ત ખાનગી લેબ્સ પર જ આધાર રાખે છે. આવી સ્થિતિમાં, જો લેબ્સ પરીક્ષણની કિંમત ઘટાડે છે, તો લોકો આરામદાયક બનશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news