ભારત-પાકિસ્તાન મેચ પર સાનિયા મિર્ઝાએ કરી એવી વાત કે...

પંજાબ સરકારમાં મંત્રી પરગટ સિંહ તરફથી પણ આવી માગણી કરાઈ છે. પંજાબમાં કેબિનેટ મંત્રી પરગટ સિંહે કહ્યું કે આ મેચ થવી જોઈએ નહીં.

ભારત-પાકિસ્તાન મેચ પર સાનિયા મિર્ઝાએ કરી એવી વાત કે...

જોધપુર: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવી જોઈએ નહીં. તેના પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો દુનિયા સામે આવી ગયો છે. તેનો અંજામ પણ પાકિસ્તાને ભોગવવો પડશે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રવિવારે જોધપુરમાં કેન્દ્રીય જળ શક્તિમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ઘરે શોક સભામાં સામેલ થયા બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન આ વાત કરી. 

ગિરિરાજ સિંહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં થઈ રહેલા આતંકી હુમલાને જોતા આવનારા દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ પર એકવાર ફરીથી વિચાર કરવાની જરૂર છે. સંબંધો હાલ સારા નથી. ગિરિરાજ સિંહે આ દરમિયાન કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે દેશમાં કોંગ્રેસ ખોટી રાજનીતિ કરી રહી છે. રાજસ્થાનમાં વાલ્મીકિ સમાજના લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે. મહિલાઓ સાથે બળાત્કાર થઈ રહ્યો છે. કાશ્મીરમાં હિન્દુઓને ટાર્ગેટ કરીને મારવામાં આવી રહ્યા છે. આ મુદ્દાઓ પર કઈ ન બોલી લખીમપુર ખીરી જઈને રાજનીતિ કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં હાલમાં જ આતંકીઓ દ્વારા એક પાણીપુરી વેચનારાને નિશાન બનાવવામાં આવ્યો હતો. જેમાં વ્યક્તિનું મોત થયું. બિહારના બાંકાના રહીશ આ મૃતકના પિતાએ માગણી કરી છે કે ટી-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની જે મેચ થવાની છે તે રદ થવી જોઈએ. 

પંજાબ સરકારના મંત્રીએ પણ કરી માગ
પંજાબ સરકારમાં મંત્રી પરગટ સિંહ તરફથી પણ આવી માગણી કરાઈ છે. પંજાબમાં કેબિનેટ મંત્રી પરગટ સિંહે કહ્યું કે આ મેચ થવી જોઈએ નહીં. કારણ કે બોર્ડર પર તણાવપૂર્ણ હાલાત છે. તેમણે કહ્યું કે હિન્દુસ્તાન-પાકિસ્તાન તણાવના દૌરમાંથી પસાર થઈ રહ્યા છે. અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનની કાયરતાપૂર્ણ હરકતના કારણે ભારતના નવ સૈનિકો ગત એક અઠવાડિયામાં શહીદ થયા. પાકિસ્તાન તરફથી સતત આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યા છે. આવામાં સતત સરહદે અથડામણ થઈ રહી છે. આતંકીઓ દ્વારા નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 

મનોજ સિન્હાએ કહ્યું- લોહીના એક એક ટીપાનો બદલો લઈશું. 
કાશ્મીર ખીણમાં આતંકીઓ તરફથી નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેના પર ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ રવિવારે કહ્યું કે અમે નિર્દોષ નાગરિકોના દરેક લોહીના એક એક ટીપાનો બદલો લઈશું. સિન્હાએ આતંકીઓ અને તેમના હમદર્દોનો ખાતમો કરીને પોતાના લોકોના લોહીના એક એક ટીપાનો બદલો લેવાનો સંકલ્પ પણ લીધો. સિન્હાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરની શાંતિ અને સામાજિક-આર્થિક પ્રગતિ અને લોકોના વ્યક્તિગત વિકાસમાં વિધ્ન નાખવાના પ્રયત્નો થાય છે. ઉપરાજ્યપાલે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ આવામ કી આવાઝમાં આ વાત કરી. 

ટી20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 24મી ઓક્ટોબરે ટી 20 વર્લ્ડ કપની મેચ રમાશે. દુનિયાભરના ક્રિકેટ ચાહકો આ મેચ જોશે. આ બંને ટીમો માત્ર  ICC ટુર્નામેન્ટમાં જ સામસામે આવે છે અને તેમની મેચ આખી દુનિયા જુએ છે. ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ જ્યારે પણ મેદાન પર ટકરાય ત્યારે હંમેશા તણાવપૂર્ણ માહોલ હોય છે. 

સાનિયા રહેશે સોશિયલ મીડિયાથી દૂર!
ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચવાળા દિવસે સોશિયલ મીડિયાથી અંતર જાળવવાનું વિચારી રહી છે. ભારત અને પાકિસ્તાન બે વર્ષ બાદ કોઈ ઈન્ટરનેશનલ મેચ રમશે. સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે. શોએબ મલિકને પાકિસ્તાને પોતાની ટી20 ટીમમાં જગ્યા આપી છે. સાનિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરતા કહ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચે મેચના દિવસે ઝેરીલા માહોલથી બચવા માટે સોશિયલ મીડિયાથી ગાયબ થઈ રહી છું.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sania Mirza (@mirzasaniar)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news