બીએસ યેદિયુરપ્પા બન્યા કર્ણાટકના મુખ્યપ્રધાન, હવે કોર્ટમાં આપવી પડશે MLAની યાદી

ભાજપને 104, કોંગ્રેસને 78 અને જેડીએસને 38 સીટો મળી છે. સૌથી મોટી પાર્ટી હોવાને નાતે ભાજપ નેતા યેદિયુરપ્પાએ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. 

બીએસ યેદિયુરપ્પા બન્યા કર્ણાટકના મુખ્યપ્રધાન, હવે કોર્ટમાં આપવી પડશે MLAની યાદી

બેંગલુરૂઃ કર્ણાટકમાં 48 કલાકના રાજકીય ઉતાર-ચડાવ બાદ આખરે ભાજપની સરકાર બની ગઈ છે. ભાજપના બીએસ યેદિયુરપ્પાએ આજે સીએમ પદના શપથ લઈ લીધા છે. પ્રદેશના રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને સીએમ પદના શપથ અપાવ્યા. શપથ લીધા બાદ યેદિયુરપ્પાએ લોકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું. મહત્વનું છે કે યેદિયુરપ્પા ત્રીજી વખત કર્ણાટકના મુખ્યપ્રધાન બન્યા છે. 

શપથ ગ્રહણ સમારોહમાં લાગ્યા મોદી-મોદીના નારા
યેદિયુરપ્પાના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા. એટલું જ નહીં જ્યારે યેદિયુરપ્પા શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા તો ત્યાં હાજર લોકોએ તેમનું સ્વાગત પણ મોદી-મોદીના નારા સાથે કર્યું. 

 LIVE: બીએસ યેદિયુરપ્પાએ રાજભવનમાં લીધા શપથ, ત્રીજીવાર બન્યા કર્ણાટકના CM

રાજભવનમાં મુખ્યપ્રધાન પદ્દના શપથ લેવા માટે યેદિયુરપ્પા રાજભવન માટે નીકળી ગયા છે. રસ્તામાં તેમણે રાધા-કૃષ્ણ મંદિરમાં દર્શન-પૂજા કરી. ભાજપના સૂત્રો પ્રમાણે યેદિયુરપ્પા શપથ ગ્રહણ સમારોહ બાદ ગૃહમાં બહુમત સાબિત કરવાની તારીથનું એલાન કરી શકે છે. મહત્વનું છે કે, ભાજપના ધારાસભ્ય દળના નેતા યેદિયુરપ્પા નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે સવારે 9 કલાકે શપથ લેશે. 

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ ઉભા થયેલા રાજકીય સંકટ પર રાજ્યપાલ વજુભાઈ વાળાએ નિર્ણય કરી લીધો છે. બુધવારે રાત્રે રાજભવન દ્વારા જારી કરાયેલા પત્રમાં યેદિયુરપ્પાને સીએમ પદના શપથ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. ભાજપના  નેતા મુરલીધર વાવે મીડિયાને જણાવ્યું કે, રાજભવનથી બીએસ યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટેનો પત્ર મળી ગયો છે. તેમણે જણાવ્યું કે, ગુરૂવારે સવારે 9 કલાકે યેદિયુરપ્પા મુખ્યપ્રધાન પદ્દના શપથ લેશે. રાજ્યપાલે યેદિયુરપ્પાને વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. મુરલીધર રાવે કહ્યું કે, ભાજપે હંમેશા લોકતંત્રનું પાલન કર્યું છે અને અમે બહુમત સાબિત કરીશું. 

આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામેલ થશે નહીં. મુરલીધર રાવે મીડિયાને જણાવ્યું કે, આજે યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં માત્ર યેદિયુરપ્પા જ શપથ લેશે. અન્ય કોઈ મંત્રી શપથ ગ્રહણ કરશે નહીં. તેમણે કહ્યું કે, ગૃહમાં બહુમત સાબિત કર્યા બાદ યેદિયુરપ્પા સરકારના મંત્રીઓ શપથ લેશે. 

— ANI (@ANI) May 16, 2018

બીજીતરફ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં કર્ણાટકની નવી સરકારના શપથ ગ્રહણ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. રાત્રેજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર રોક લગાવવાની ના પાડી હતી. 

 

ભાજપને શપથ લેવા માટે આમંત્રણ આપ્યા બાદ કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે કહ્યું કે, રાજ્યપાલ પર ભાજપ અધ્યક્ષ અને વડાપ્રધાનનો દબાવ છે. રાજ્યપાલ દવાબમાં કામ કરી રહ્યાં છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં મળેલા પરાજયનો બદલો લેવાની ભાવનાથી કામ કરી રહ્યાં છે અમિત શાહ. બહુમત અમારી સાથે છે. 

— ANI (@ANI) May 16, 2018

તેવું માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ હવે આ મામલામાં કાયદાના જાણકારોની સલાહ લઈને આગામી પગલું ભરવાની તૈયારીમાં છે. મહત્વનું છે કે, કર્ણાટક વિધાનસભામાં બહુમત માટે 112 સીટોની જરૂર છે. પરંતુ ભાજપને 104, કોંગ્રેસને 78 અને જેડીએસને 38 સીટો મળી છે. સૌથી મોટા દળ તરીકે યેદિયુરપ્પાએ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસે જેડીએસને સમર્થન આપતા બહુમતનો દાવો કર્યો છે. કોંગ્રેસ જેડીએસના કુમારસ્વામીને સીએમ બનાવવા પર સહમત છે અને આજે કુમારસ્વામીએ જેડીએસ અને કોંગ્રેસના ધારાસભ્યોની સાથે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. 

આજે બુધવારે કુમારસ્વામીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેમણે રાજ્યપાલ મહોદયને 117 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો છે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. રાજ્યપાલે તેમને બંધારણ પ્રમાણે નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું છે. જ્યારે યેદિયુરપ્પાએ બુધવારે પરિણામ બાદ રાજ્યપાલની મુલાકાત કરી હતી અને સૌથી મોટી પાર્ટી હોવાને નાતે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. રાજ્યપાલે બંન્ને પક્ષોની મુલાકાત બાદ બંધારણની મર્યાદામાં રહીને નિર્મય લેવાની વાત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news