રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ બનાવીશું, ખેડૂતોની જેમ ક્રેડિટ કાર્ડ યોજના: PM

લોકસભા ચૂંટણી 2019માં બે તબક્કાનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે, દિલ્હીમાં છઠ્ઠા તબક્કા માટે 12 મેના રોજ મતદાન થવાનું છે

રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ બનાવીશું, ખેડૂતોની જેમ ક્રેડિટ કાર્ડ યોજના: PM

નવી દિલ્હી : રાજધાની દિલ્હીનાં તાલરકટોરા સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી વેપારીઓના સમ્મેલનને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. ટ્રેડર્સ સમ્મેલનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું તેમની શક્તિને સલામ કરુ છું. વડાપ્રધાને કહ્યું કે, દેશને સોનાની ચિડિયા વેપારીઓએ જ બનાવ્યો હતો. દેશના વેપારી હવામાન વૈજ્ઞાનિક હોય ચે. હું તેમની શક્તિને સલામ કરુ છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2014માં ચૂંટણી પહેલા મે કહ્યું હતું કે હું આવીશ તો દરરોજનો એક કાયદો રદ્દ કરીશ. તમને જાણીને આનંદ થશે કે 5 વર્ષમાં 1500 કાયદાઓ રદ્દ કર્યા છે. મારો ઇરાદો ઇઝ ઓફ લિવિંગ છે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બિઝનેસ સમુહ સાચા હવામાન વૈજ્ઞાનિકો હોય છે, કારણ કે તેમને તમામ વસ્તુઓ એડવાન્સમાં ખબર હોય છે. અનેક વસ્તુઓ પહેલા જ તેઓ ભાખી લેતા હોય છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વેપારીઓને કાયદાના જંગલમાંથી પસાર થવું પડે છે. મોંઘવારીની તોહમત પણ તેમના માથે જ જડી દેવાય છે. ટ્રેડર્સ સમ્મેલનમાં વડાપ્રદાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસનાં જમાખોરોએ વેપારીઓનો ફાયદો ઉઠાવ્યો અને મોંધવારીની તહોમત વેપારીઓ પર ઠોકી બેસાડી. અમે પાંચ વર્ષમાં વેપારમાં અનેક નિયમોમાં ઢીલ આપી છે. વડાપ્રધાન મોદીએ જીએસટી અંગે કહ્યું કે, જીએસટીથી વેપાર કરવો સરળ થયો. તેના કારણે રાજ્યોની આવકમાં પણ ડોઢ ગણો વધારો થય છે. 

ખેડૂતોની જેમ વ્યાપારી ક્રેડિટ કાર્ડ યોજના
વડાપ્રધાને કહ્યું કે, આપણો દેશ ઝડપથી આગળ વધી શકે તે માટે અમે 23 મેનાં રોજ જ્યારે ફરી એકવાર મોદી સરકાર બનશે તો રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ બનાવીશું. આ બોર્ડ સરકાર અને વ્યાપાર વચ્ચેનો સંવાદ હશે. અમે જીએસટી હેઠળ રજીસ્ટર્ડ તમામ વેપારીઓને 10 લાખ રૂપિયાનો દુર્ઘટના વિમો આપીશું. ખેડૂત ક્રેડિટ કાર્ડની જેમ જ અમે રજિસ્ટર્ડ વેપારીઓ માટે વ્યાપારી ક્રેડિટ કાર્ડની યોજના લાવશે. 

વડાપ્રધાને કહ્યું કે, 2014માં ઓછી સંખ્યામાં આવ્યા હતા વેપારી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2014માં પણ તમે લોકોએ મને બોલાવ્યા હતા, તે સમયે હું વડાપ્રધાન નહોતો. તે સમયે સમગ્ર દેશમાંથી તમે લોકો આવ્યા હતા સંખ્યા થોડી ઓછી હતી. કારણ કે સ્વાભાવિક છે મોદીના કાર્યક્રમમાં જઇશું અને તસ્વીર આવી જશે તો ઇન્કમ ટેક્સની રેડ પડી જવાની શક્યતા હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news