મહિલાએ ડિનર બાદ કેરી ખાધી અને માથાનો દુ:ખાવો શરૂ થઈ ગયો, સારવાર દરમિયાન મોત

મધ્ય પ્રદેશના ઈન્દોરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાની કેરી ખાધા બાદ તબિયત બગડી ગઈ. ઘરવાળાઓએ તેને હોસ્પિટલમાં દાખલ કરાવી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું. 

મહિલાએ ડિનર બાદ કેરી ખાધી અને માથાનો દુ:ખાવો શરૂ થઈ ગયો, સારવાર દરમિયાન મોત

મધ્ય પ્રદેશના ઈન્દોરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાની કેરી ખાધા બાદ તબિયત બગડી ગઈ. ઘરવાળાઓએ તેને હોસ્પિટલમાં દાખલ કરાવી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું. મીડિયા રિપોર્ટ્સ મુજબ મામલો ઈન્દોરના રાજેન્દ્રનગર પોલીસ મથકના બિજલપુરનો છે. અહીં મોડી સાંજે અર્ચના નામની મહિલાએ ભોજન બાદ કેરી ખાધી હતી. ત્યારબાદ અચાનક તેની તબિયત બગડવા લાગી હતી. માથામાં ખુબ દુ:ખાવો થવા લાગ્યો. આરામ ન મળતા પરિજનો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા જ્યાં મહિલાનું મોત થયું. 

અર્ચનાના સસરા બંસીલાલ અટેરિયાએ જણાવ્યું કે કેરી ખાધા બાદથી જ અર્ચનાને માથામાં દુ:ખાવો થઈ રહ્યો હતો. ત્યારબાદ સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ. અહીં તેનું બીપી સતત ઘટી રહ્યું હતું. ત્યારબાદ અચાનક જ તેનું મોત થઈ ગયું. તેમણે જણાવ્યું કે આ અગાઉ પણ કેરી ખાધા બાદ ગામમાં અનેક લોકો બીમાર થયા હતા. 

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી- પોલીસ
પોલીસ અધિકારી રાઘવેન્દ્ર સિંહ ચૌહાણે કહ્યું કે કેરી ખાધા બાદ અર્ચના બીમાર થઈ ગઈ હતી ત્યારબાદ પરિજનોએ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવી. અહીં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. રિપોર્ટ આવ્યા બાદ જ આગળ કાર્યવાહી કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news