સેના પ્રમુખ સાથે સતત સંપર્કમાં રાજનાથ, PoKમાં ભારતીય સેનાના ઓપરેશનની વાત PAKએ સ્વીકારી 

ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નીલમ વેલીના 4 આતંકી લોન્ચ પેડ પર જબરદસ્ત કાર્યવાહી કરી.

સેના પ્રમુખ સાથે સતત સંપર્કમાં રાજનાથ, PoKમાં ભારતીય સેનાના ઓપરેશનની વાત PAKએ સ્વીકારી 

નવી દિલ્હી:  ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નીલમ વેલીના 4 આતંકી લોન્ચ પેડ પર જબરદસ્ત કાર્યવાહી કરી. આર્ટિલરી ગન (તોપ)થી હુમલો કરતા આતંકી ઠેકાણાઓ નષ્ટ થયા. આ  કાર્યવાહીમાં પાકિસ્તાનના 4-5 આતંકીઓ માર્યા ગયા હોવાનું કહેવાય છે. ભારતની આ જવાબી કાર્યવાહીને લઈને રક્ષા મંત્રાલય અલર્ટ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આ મામલે સતત સેના પ્રમુખ બિપિન રાવત સાથે સંપર્કમાં છે. આ બાજુ પાકિસ્તાને પણ સ્વીકાર્યું છે કે ભારતના હુમલામાં તેને ભારે નુકસાન થયું છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાને ફાયરિંગની આડમાં આતંકીઓને ઘૂસણખોરી કરાવવાની કોશિશ કરી હતી. પાકિસ્તાનની આ નાપાક હરકતમાં 2 જવાનો અને એક નાગરિક શહીદ થયા. 

ભારતની આ કાર્યવાહી મામલે પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારતે જુરા, શાહકોટ અને નૌશેરા સેક્ટરમાં કોઈ પણ ઉશ્કેરણી વગર યુદ્ધવિરામનો ભંગ કર્યો. પાકિસ્તાને તો ખોટો દાવો પણ કરી નાખ્યો કે તેણે 9 ભારતીય સૈનિકોને માર્યા જ્યારે બે ભારતીય બંકરો તબાહ કર્યાં. પાકિસ્તાને કહ્યું કે બંને તરફથી થયેલી આ કાર્યવાહીમાં અમારો એક સૈનિક અને 3 નાગરિકો માર્યા ગયાં જ્યારે 2 સૈનિકો અને 5 નાગરિકો ઘાયલ થયા છે. 

— ANI (@ANI) October 20, 2019

અત્રે જણાવવાનું કે ભારતીય સેનાએ ફરીથી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકી કેમ્પોને નિશાન બનાવ્યાં છે. તંગધાર સેક્ટરમાં એલઓસી નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકી કેમ્પો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ભારતીય સેનાએ આતંકી ઘૂસણખોરીના જવાબમાં આ કાર્યવાહી કરી છે. આ કેમ્પોનો ઉપયોગ એક લોન્ચપેડ તરીકે કરવામાં આવતો હતો. 

pakistan

હાલ ભારતીય સેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તે અગાઉ સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ પર કરાયેલી ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક બાદ ત્રીજી સૌથી મોટી કાર્યવાહી છે. પાકિસ્તાન દ્વારા કરાયેલી નાપાક હરકતનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. આ હુમલામાં પીઓકેની નીલમ વેલીના 4 આતંકી લોન્ચ પેડ્સ તબાહ કરાયા છે. આ આતંકી કેમ્પોમાં રહેલા આતંકીઓને ભારત મોકલવાની તૈયારી હતી. આ ઉપરાંત એવી પણ માહિતી મળી છે કે પાકિસ્તાન આર્મીના 4-5 સૈનિકો પણ માર્યા ગયા છે. અનેક ઈજાગ્રસ્ત થયા છે. 

જુઓ LIVE TV

પાકિસ્તાનને થયેલા નુકસાનનું આકલન થઈ રહ્યું છે- સેના
સેનાના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાને તંગધાર સેક્ટરમાં સંઘર્ષ વિરામનો ભંગ કર્યો. ભારતીય સૈનિકોએ પ્રભાવી રીતે જવાબી કાર્યવાહી કરી અને પાકિસ્તાનમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે. ભારત તરફથી જવાબી કાર્યવાહી ચાલુ છે. સૈન્ય અધિકારીઓએ કહ્યું કે તે તરફ થયેલા નુકસાનનું યોગ્ય આકલન કરવામાં આવી રહ્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news