તેજસ્વીના આરોપ પર રવિશંકર પ્રસાદનો વળતો જવાબ, કહ્યું-દલિતોને પણ સારી હોટલમાં ખાવાનો હક
કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે તેજસ્વી યાદવે કરેલા આક્ષેપ પર વળતો પ્રહાર કર્યો છે.
- પીએમએ મંત્રીમંડળના સભ્યોને દલિતો સાથે ભોજન કરવાનો આદેશ આપ્યો હો
- રવિશંકર પ્રસાદે પટણાની એક ફાઈવસ્ટાર હોટલમાં દલિતો સાથે કર્યુ ભોજન
- રવિશંકર પ્રસાદના લંચ પર તેજસ્વી યાદવે કટાક્ષ કર્યો હતો
Trending Photos
પટણા: કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે તેજસ્વી યાદવે કરેલા આક્ષેપ પર વળતો પ્રહાર કર્યો છે. તેજસ્વીએ રવિશંકર પ્રસાદ પર દલિતો સાથે પટણાની ફાઈવસ્ટાર હોટલમાં ભોજન કરવા બદલ કટાક્ષ કર્યો હતો. રવિશંકર પ્રસાદના ઓફિસ ટ્વિટર હેન્ડલથી તેજસ્વીને જવાબ આપવામાં આવ્યો. ટ્વિટ કરતા તેમણે જણાવ્યું કે આપણા એસસી/એસટી બહેન ભાઈઓને પણ સારી હોટલમાં ભોજન કરવાનો અધિકાર છે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે મને એ વાતની ખુશી છે કે હું દલિતો માટે પટણાની એક હોટલમાં આયોજિત ભોજનનો આયોજક હતો. અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટના તમામ સહયોગીઓને દલિતો સાથે ભોજન કરવાનો અને તેમની સમસ્યાઓ પર ધ્યાન આપવાનો આદેશ આપ્યો છે. જે સંદર્ભમાં રવિશંકર પ્રસાદે પટણાની એક ફાઈવસ્ટાર હોટલમાં દલિતો સાથે ભોજન કર્યું.
Digitally literate SC/ST women from all over Bihar were felicitated on Ambedkar Jayanti in Patna. I had the privilege to have lunch with them. Surely our SC/ST sisters and daughters have got every right to have lunch in a good hotel. I am honoured that I was the host: @rsprasad https://t.co/wqB49BRMJg
— RSPrasad Office (@OfficeOfRSP) April 15, 2018
ત્યારબાદ બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ટ્વિટ કરીને રવિશંકર પ્રસાદ પર કટાક્ષ કર્યો. તેમણે ટ્વિટમાં લખ્યું કે પટણાના 'ચીના કોઠી દલિત ટોલા'માં ગરીબ દલિતોના ત્યાં ભોજન ઠુકરાવ્યાં બાદ ફાઈવ સ્ટાર હોટલમાં છોલે ભટુરે ખાઈને આંબેડકર જયંતી પર દલિત સશક્તિકરણ કરતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ.
તેજસ્વીની ટ્વિટ પર પલટવાર કરતા રવિશંકર પ્રસાદે લખ્યું કે 'આંબેડકર જયંતીના અવસરે બિહારના ડિજિટલી સાક્ષર દલિત મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. હું પોતે તેને ગૌરવશાળી સમજુ છુ કે મેં તેમની સાથે લંચ કર્યું. આપણા એસસી/એસટી બહેન ભાઈઓને પણ હોટલમાં સારું ભોજન કરવાનો હક છે. મને ખુશી છે કે હું તેમનો આયોજક હતો.'
રવિશંકર પ્રસાદે વધુમાં લખ્યું કે 'દલિતોના મતો માટે તેમનો ઉપયોગ કરનારા લોકોને તેમના સારી હોટલમાં ભોજન કરવાથી પરેશાની થઈ રહી છે. દલિત મહિલાઓને આઈટી ટ્રેનિંગ આપીને મોદી સરકારે તેમને સશક્ત કરવાનું કામ કર્યુ છે. દેશના છ કરોડ ગરીબોને સરકારે ડિજીટલી સાક્ષર કર્યા છે. મતો માટે દલિતોનો ઉપયોગ કરનારા માટે સશક્તિકરણનો આ ઈમાનદાર પ્રયાસ અસહજ સ્થિતિ પેદા કરી રહ્યો છે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે