મમતા બેનર્જી હિરણ્યકશ્યપના ખાનદાનમાંથી તો નથી: સાક્ષી મહારાજનું વિવાદિત નિવેદન

સાક્ષી મહારાજે કહ્યું કે, જયશ્રીરામ કહેનારાઓને યાતના આપવામાં આવી રહી છે

મમતા બેનર્જી હિરણ્યકશ્યપના ખાનદાનમાંથી તો નથી: સાક્ષી મહારાજનું વિવાદિત નિવેદન

હરિદ્વાર : હરિદ્વાર પહોંચેલા ઉન્નાવના ભાજપ સાંસદ સાક્ષી મહારાજે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બંગાળની જ્યારે વાત આવે છે તો ત્રેતા યુગ યાદ આવે છે. જ્યારે એક રાક્ષસરાજ હતો હિરણ્યકશ્યપ. તેના પુત્રએ કહી દીધું હતુ કે જય શ્રીરામ તો બાપે પુત્રને જેલમાં પુરી દીધા હતા. ઘણી બધી યાતનાઓ આપીહતી અને હવે રિપિટ કરવામાં આવી રહ્યું છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે, બંગાળમાં તો એવું એવું નથી લાગતું કે હિરણ્યકશ્યપનાં જ ખાનદાનનાં તો નથીમમતા બેનર્જી.

રામ મંદિર મુદ્દે કાલે અયોધ્યામાં સંતોની મોટી બેઠક, થશે મહત્વનાં નિર્ણય !
સાક્ષી મહારાજે કહ્યું કે, જયશ્રીરામ કહેનારી યાતનાઓ આપવામાં આવી રહી છે. તેમને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. પરિણામ એવું થઇ ગયું છેકે આ સ્થિતી થઇ ગઇ છે કે જયશ્રીરામ કહેવાથી તેઓ ખાસીયાણા પડી રહ્યા છે. તેઓ ગાળો આપવા લાગે છે. રસ્તા પર ઉતરવા લાગ્યા છે.તેનાં વિરોધમાં ન જાણે અનેક યોજનાઓ બનાવવા લાગ્યા છે. 

વિશ્વ પ્રસિદ્ધ ડાન્સર 'ક્વીન હરીશ'નું અકસ્માતમાં મોત, CM ગેહલોતે શોક વ્યક્ત કર્યો
તેમણે કહ્યું કે, જે પ્રકારે પશ્ચિમ બંગાળમાં આ ચૂંટણીમાં તમામ વિરોધા છતા ભારતીય જનતા પાર્ટીને 41 ટકા મત મળ્યા છે, 18 સીટો અમે લઇને આવ્યા છીએ તો હું સંપુર્ણ વિશ્વાસ સાથે માં ગંગાના કિનારે તેમ કહી શકુ છું કે વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news