Surgical Strike Day 2022: ઉરી આતંકી હુમલાનો બદલો લેવા ભારતે કઈ રીતે બનાવ્યો પ્લાન? PM મોદીએ શું કર્યું હતું?

Surgical Strike Day 2022: આજના જ દિવસે ભારતે પાકિસ્તાનમાં ઘુસીને તેને જડબાતોડ જવાબ આપ્યો હતો. આજના દિવસે નાપાક પાકિસ્તાનમાં ઘુસીને ઉરી પર થયેલાં આતંકી હુમલાનો બદલો લીધો હતો.

Surgical Strike Day 2022: ઉરી આતંકી હુમલાનો બદલો લેવા ભારતે કઈ રીતે બનાવ્યો પ્લાન? PM મોદીએ શું કર્યું હતું?

નવી દિલ્લીઃ પાકિસ્તાન વર્ષોથી આતંકવાદને પોસતું આવ્યું છે. અને ઉરી પર પણ પાકિસ્તાને ભારતીય જવાનો આરામમાં હતા ત્યારે તેમના પર અચાનક હુમલો કરીને કાયરતાનું ઉદાહરણ પુરું પાડ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ આનો વળતો જવાબ આપવા માટે એએસએ અજીત ડોભાલની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને સમગ્ર ઓપરેશનમાં પોતે પણ જોડાયેલાં રહ્યાં. ત્યાર બાદ તેમણે પાકિસ્તાનની ધરતી પર જઈને આતંકીઓનો સફાયો કર્યો. 2018માં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદને ભારતના યોગ્ય જવાબની યાદમાં, 28 સપ્ટેમ્બરને સર્જિકલ સ્ટ્રાઈક દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. 

સર્જિકલ સ્ટ્રાઈક ડે 2022: સપ્ટેમ્બર 28 અને 29, 2016 ની વચ્ચેની રાત્રે, ભારતીય સેનાના બહાદુર જવાનોએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) ની પાર આતંકવાદી કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને તેમનો ખાતમો બોલાવ્યો હતો. 18 સપ્ટેમ્બરના રોજ કાશ્મીરના ઉરીમાં ભારતના આર્મી બેઝ પર પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો ભારતનો જવાબ હતો જેમાં 20 સૈનિકો માર્યા ગયા હતા.

કેવી રીતે બન્યો સર્જિકલ સ્ટ્રાઈકનો પ્લાન?
18 સપ્ટેમ્બરના રોજ, પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઉરીમાં આર્મી કેમ્પમાં પ્રવેશ્યા હતા. આ ઘાતક હુમલામાં 20 જવાનો શહીદ થયા હતા. આ હુમલાને વધુ ચિંતાજનક બાબત એ હતી કે તે ઉરી શહેરમાં આર્મીના બ્રિગેડ હેડક્વાર્ટરથી માંડ થોડા મીટરના અંતરે થયો હતો.

આ ઘટનાના બીજા જ દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકર, આર્મીના વડા દલબીર સિંહ સુહાગ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ગૃહ અને સંરક્ષણ મંત્રાલયોના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્ય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

હુમલાના અગિયાર દિવસ પછી, ભારતીય સેનાના વિશેષ દળોએ 29 સપ્ટેમ્બર, 2016 ના રોજ વહેલી સવારે પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (પીઓકે) માં આતંકવાદી લૉન્ચપેડને નષ્ટ કરવા માટે એલઓસી પાર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ભારતીય સૈન્ય વિશેષ દળોની પ્લાટૂનને એલઓસીની અંદર ઉતારી દેવામાં આવી હતી અને 28 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ પગપાળા ઓળંગીને તેમના ટાર્ગેટમાં પ્રવેશ કર્યો હતો. સૈન્ય અને નાગરિક નેતૃત્વ દ્વારા નવી દિલ્હી અને સેનાના ઉત્તરી કમાન્ડના મુખ્ય મથક ઉધમપુરમાં સ્થાપિત વોર રૂમમાં ઓપરેશનનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સર્જિકલ સ્ટ્રાઈક અંગે PM નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
1. પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઈકને નજીકથી અનુસરી હતી. પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક શરૂ કરવાના નિર્ણયને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, “હું જાણતો હતો કે આ એક મોટું જોખમ છે, હું ક્યારેય કોઈ રાજકીય જોખમની પરવા કરતો નથી. મારા માટે સૌથી મોટી વિચારણા આપણા સૈનિકોની સુરક્ષા હતી."
2. પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓને કડક ચેતવણી આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે, "ચુન ચુન કે હિસાબ લેના ફિતરત હૈ, ઘર મેં ઘુસ કર મરંગે."
3. પીએમ મોદીએ જણાવ્યુંકે, “મને ખુરશીની ચિંતા નથી, મને આપણા દેશની ચિંતા છે. મેં દેશના લોકોની રક્ષા કરી છે,” પીએમ મોદીએ લોકસભા ચૂંટણી પહેલા એર સ્ટ્રાઈકના ઈરાદા પર સવાલ ઉઠાવતા વિપક્ષ પર હુમલો કરતા કહ્યું હતું.
4. કોઈપણ ભોગે આતંકવાદને ખતમ કરવાની પ્રતિજ્ઞા લેતા તેમણે કહ્યું, "ભલે તેઓ પૃથ્વીના આંતરડામાં સંતાઈ જાય તો પણ તેમને મારી નાખશે."
5. ગુજરાતમાં એક રેલીમાં બોલતા પીએમ મોદીએ કહ્યું હતું કે, બાલાકોટ એર સ્ટ્રાઈક છેલ્લી નહીં હોય. જરૂર પડશે તો ફરી પણ આ રીતે જ વળતો જવાબ આપવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news