યુપીમાં આકાશીય વિજળી બની યમદુત, અત્યાર સુધીમાં 35 લોકોનાં મોત નિપજ્યાં

યુપીમાં આકાશીય વિજળી પડવાનાં કારણે 35 લોકોનાં મોત થઇ ચુક્યા છે. આકાશીય વિજળી પડવાનાં કારણે કાનપુરમાં 7 ઝાંસીમાં 5, હમીરપુરમાં 3, ફતેહપુરમાં 2, ચિત્રકુટમાં 1 અને જાલોનમાં 4 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંબંધિત જિલ્લા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, પ્રત્યેક મૃતકનાં પરિવારને 4 લાખ રૂપિયાની રાહત રકમ પહોંચતી કરવામાં આવે. ઘાયલોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા માટેનાં નિર્દેશ પણ આપ્યા છે. 
યુપીમાં આકાશીય વિજળી બની યમદુત, અત્યાર સુધીમાં 35 લોકોનાં મોત નિપજ્યાં

લખનઉ : યુપીમાં આકાશીય વિજળી પડવાનાં કારણે 35 લોકોનાં મોત થઇ ચુક્યા છે. આકાશીય વિજળી પડવાનાં કારણે કાનપુરમાં 7 ઝાંસીમાં 5, હમીરપુરમાં 3, ફતેહપુરમાં 2, ચિત્રકુટમાં 1 અને જાલોનમાં 4 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંબંધિત જિલ્લા અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, પ્રત્યેક મૃતકનાં પરિવારને 4 લાખ રૂપિયાની રાહત રકમ પહોંચતી કરવામાં આવે. ઘાયલોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા માટેનાં નિર્દેશ પણ આપ્યા છે. 

સુષ્માને યુઝરે કહ્યું, અમ્મા શીલા દીક્ષિતની જેમ જ યાદ આવશો, મળ્યો મુંહ તોડ જવાબ
આ અગાઉ આકાશીય વિજળી પડવાનાં કારણે લોકોનાં મોત થઇ ચુક્યા છે. આ અગાઉ 24 અને 25 જુને આકાશીય વિજળી પડવાનાં કારણે 17 લોકોનાં મોત થઇ ચુક્યા છે. દેશમાં કોઇ પણ પ્રાકૃતિક આપદાથી વધારે મોત વિજળી પડવાનાં કારણે થાય છે. 2010થી માંડીને 2018 સુધી 22,027 લોકોનાં મોત વિજળી પડવાનાં કારણે થઇ છે. એટલે કે દર વર્ષે સરેરાશ 2447 લોકોનાં જીવ વિજળી પડવાનાં કારણે જાય છે. 

આતંકવાદીઓ જવાનોની નહી પરંતુ ભ્રષ્ટાચારીઓની હત્યા કરો: J&K રાજ્યપાલ
ક્લાઇમેટ રીજિલિએટ ઓબ્જર્વિંગ સિસ્ટન પ્રમોશન કાઉન્સિલ (CROPC) નાં ચેરમેન કર્નલ સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, 2018માં જ 3000થી વધારે લોકોનાં મોત વિજળી પડવાનાં કારણે થયા છે. ગત્ત ત્રણ વર્ષમાં જ વિજળી પડવાનાં કારણે થનારા મોતની સંખ્યામાં 1000નો ઉછાળો આવ્યો છે. 

કોઇ હોર્સ ટ્રેડિંગ નહી, મમતા બેનર્જીમાં દમ હોય તો રજુ કરે ખરીદાયેલા MLA
બિહારમાં 27 જુને અલગ અલગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન આકાશીય વિજળી પડવાનાં કારણે સરેરાશ 30 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. વજ્રપાતથી સૌથી વધારે ભાગલપુરમાં છ લોકોનાં મોત થયા હતા, જ્યારે બેગુસરાયમાં ચાર લોકો તેની ઝપટે ચડી ગયા હતા. આ ઉપરાંત સહરસા, પુર્ણિયા, અરસિયા, દરભંગા, મઘેપુરા, ખગડિયા, કટિહાર, મધુબની, પૂર્વી ચંપારણ, શિવહર, નવાદા અને ગયામાં પણ આકાશીય વિજળીનાં કારણે અનેક લોકોનાં મોત થઇ ચુક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news