જયા બચ્ચનને મળ્યો TMC સાંસદ મિમીનો સાથ, બોલી- "ભીડ ફટકારે રેપિસ્ટોને સજા"

સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં મિમી ચક્રવર્તીએ(Mimi Chakraborty) જણાવ્યું કે, "તમામ સંબંધિત મંત્રીઓને મારો અનુરોધ છે કે તેઓ એટલો કડક કાયદો બનાવે કે કોઈ પણ વ્યક્તિ બળાત્કાર(Rape) કરતા પહેલા 100 વખત વિચારે. આટલું જ નહીં, તે કોઈ મહિલાને બદઈરાદા સાથે જોવાની પણ હિંમત ન કરે."

જયા બચ્ચનને મળ્યો TMC સાંસદ મિમીનો સાથ, બોલી- "ભીડ ફટકારે રેપિસ્ટોને સજા"

નવી દિલ્હીઃ હૈદરાબાદમાં(Hyderabad)  વેટરનરી ડોક્ટર (Veterinary doctor)  સાથે સામુહિક બળાત્કાર અને પછી હત્યાની (Gang Rape and Murder) ઘટના મુદ્દે સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મહિલાઓ સાથે આવું કૃત્ય આચરનારા માટે કઠોર કાયદો બનાવવાની માગ છે. રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને(Jaya Bachchan) આ પ્રકારની ઘટનામાં દોષીતોને ભીડને હવાલે કરવાની સલાહ આપી છે. હવે જયા બચ્ચનને તૃણમુલ કોંગ્રેસના સાંસદ મિમી ચક્રવર્તીનું(Mimi Chakraborty) પણ સમર્થન મળ્યું છે. 

સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં મિમી ચક્રવર્તીએ(Mimi Chakraborty) જણાવ્યું કે, "તમામ સંબંધિત મંત્રીઓને મારો અનુરોધ છે કે તેઓ એટલો કડક કાયદો બનાવે કે કોઈ પણ વ્યક્તિ બળાત્કાર(Rape) કરતા પહેલા 100 વખત વિચારે. આટલું જ નહીં, તે કોઈ મહિલાને બદઈરાદા સાથે જોવાની પણ હિંમત ન કરે."

ટીએમસી સાંસદને(TMC MP) જ્યારે પુછવામાં આવ્યું કે, જયા બચ્ચને બળાત્કારના દોષિતોને ભીડને હવાલે કરવાની સલાહ આપી છે તેના અંગે તમારો શો વિચાર છે? મિમીએ કહ્યું કે, "તેમની સલાહ સાથે હું સંપૂર્ણ સહમત છું. મને નથી લાગતું કે, આપણે બળાત્કારીઓને આદલતોમાં લઈ જવા જોઈએ અને પછી ન્યાયની રાહ જોવાની જરૂર છે. તેમને તાત્કાલિક સજાની જરૂર છે."

હૈદરાબાદ ઘટના મુદ્દે આજે દિવસભર રાજ્યસભામાં ચર્ચા ચાલી હતી અને મોટાભાગના સાંસદોએ આ પ્રકારની ઘટના માટે કડક કાયદો બનાવવાની સાથે જ લોકોની માનસિક્તા બદલવા માટે પણ કહ્યું હતું. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, આ પ્રકારના જઘન્ય અપરાધોનો સામનો કરવા માટે ભૂતકાળમાં અનેક કાયદા બનાવાયા છે, પરંતુ ક્રૂરતાના આવા કાર્યો સામે સમાજના લોકોએ પણ આગળ આવવાનો સમય પાકી ગયો છે. 

દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, મહિલાઓ સામેની હિંસા રોકવા માટે નવો કાયદાની જરૂર નથી, પરંતુ રાજકીય ઈચ્છાશક્તિ, વહીવટી કુશળતા, લોકોની માનસિક્તામાં સુધારો લાવવાની જરૂર છે. તો અને તો જ આપણે આ સામાજિક દૈત્યનો નાશ કરી શકીશું. તેમણે કહ્યું કે, "હૈદરાબાદમાં જે કંઈ થયું તે માનવતાના તમામ સિદ્ધાંતો માટે અપમાનજનક અને અત્યંત નિંદનીય છે."

‘શું મહિલા સશક્તિકરણ આપણી પ્રાથમિકતા નથી?’: ADG અનિલ પ્રથમ.. જુઓ વીડિયો...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news