ગેસ, કબજિયાત, મસા...પેટની તમામ તકલીફોથી છૂટકારો અપાવશે આ વાસણો

Health Care Tips: સમયની સાથે લાઈફસ્ટાઈલમાં પણ બદલાવ આવ્યો છે. બદલાતા સમયની સાથે જીવનશૈલી એ હદે બદલાઈ છેકે, આપણી ખાણી-પીણી પર તેની મોટી અને માઠી અસર પડી છે. જેના લીધે પેટ સંબંધિત બીમારીઓ ઉભી થાય છે. આ બીમારીઓથી છૂટકારો મેળવવાનો જાણો શાનદાર ઈલાજ...

ગેસ, કબજિયાત, મસા...પેટની તમામ તકલીફોથી છૂટકારો અપાવશે આ વાસણો

Health Care Tips: તમે જોયું હશે ઘણાં લોકોને પેટની અલગ અલગ સમસ્યાઓ હોય છે. કોઈને ગેસની તકલીફ હોય છે તો, કોઈને કબજિયાત અને એસીડિટીની પ્રોબ્લેમ હોય છે. મૂળ આ બધી જ તકલીફો પેટની છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું કે આ બધી તકલીફો તમને કેમ થાય છે. આપણે શું કરીએ છીએ કે જ્યારે કોઈ તકલીફ થાય ત્યારે એ તકલીફ દૂર કરવા માટે તેની દવા લઈએ છીએ તેનો ઈલાજ કરીએ છીએ. પણ આપણે ક્યારેય એવું વિચારતા નથી કે આખરે આ તકલીફ કેમ થઈ. આપણે કોઈપણ તકલીફના મૂળ સુધી જવાની જરૂર છે. અહીં અમે વાત કરીશું તકલીફના મૂળની...

તમે જોયું હશે પહેલાંના જમાનામાં અત્યારની જેમ લોકો વારંવાર બીમાર નહોંતા પડતાં. પહેલાંના સમયમાં અત્યારની સરખામણીએ લોકોનો ખોરાક પણ વધારો હતો. પહેલાંના સમયમાં અત્યારની સરખામણીએ આહાર સ્વચ્છ અને સારી ગુણવત્તાનો આવતો હતો. હાલ વસ્તુની ક્વાલિટી પહેલાં કરતા ખરાબ આવે છે. જેની અસર પણ તમારા સ્વાસ્થ્ય પર પડે છે. આ બધાની વચ્ચે અહીં અમે લઈને આવ્યાં છીએ એ જ જુનો અને જાણીતો ઉપાય જેનાથી તમે હંમેશા રહેશો સ્વાસ્થ અને મસ્ત. ક્યારેય નહીં થાય પેટની તકલીફ.

જો તમે કબજિયાત અને પેટમાં ગેસની ગંભીર સમસ્યાથી પીડાવો છો તો બદલી નાખો આ આદત. ઘરમાં લોખંડની તવીની જગ્યાએ કરો માટીની તવીનો ઉપયોગ. થઈ જશે આપોઆપ અનેક ગંભીર બીમારીઓ દૂર. પહેલાના લોકો માટીના તવા પર રોટલી શેકતા હતાં પરંતુ ધીમે ધીમે સ્ટીલ, એલ્યુમિનિયમ, લોખંડ અને હવે નોન સ્ટીક તવાનો ઉપયોગ થવા લાગ્યો છે. સમય બચાવવા માટે ધાતુના તવા ભલે ફાયદાકારક હોય પરંતુ યાદ રાખો તેનાથી તમારુ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તેનાથી સારુ એ છે કે તમે માટીના તવા પર રોટલી શેકવાનું શરુ કરી દો, બીમારીઓથી બચવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.

આયુર્વેદ અનુસાર માટીના વાસણમાં બનાવેલુ જમવાથી અનેક બીમારીઓથી દૂર રહેવાય છે. માટીના વાસણાં બનેલુ જમવાનું ના માત્ર સ્વાદિષ્ટ હોય છે પરંતુ જમવાનું 100 ટકા પૌષ્ટિક પણ હોય છે. આ વાસણોમાં જમવાનુ બનાવવાથી તેના પોષણ તત્વો નષ્ટ થતા નથી. તે સિવાય માટીના તવા પર બનેલી રોટલીથી ના માત્ર પાચન સ્વસ્થ થાય છે પરંતુ તમે અનેક બીમારીઓથી પણ બચી શકો છો. તો આવો જાણીએ માટીના વાસણમાં બનાવેલી રોટલી ખાવાના બીજા અન્ય ફાયદા.

કબજિયાત-
બહારનું વધુ પડતું જમવાનું આજકાલના લોકોમાં કબજિયાતનું કારણ બની ગયુ છે. આ સમસમ્યાથી રાહત મેળવવા માટે માટીના તવામાં બનાવેલી રોટલીને પોતાના ડાયટમાં સામેલ કરો.

ગેસ-
એક જગ્યાએ બેસીને કલાકો સુધી કામ કરવાના કારણે અનેક લોકોને ગેસની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો રોટલીને લોખંડ અથવા નોન સ્ટીક તવાની જગ્યાએ માટીના તવા પર બનાવીને જમો. પેટના ગેસની સમસ્યાથી તમને જલદી રાહત મળશે.

પાઈલ્સ-
પાઈલ્સ થવાથી અનેક પ્રકારના ખાદ્ય પદાર્થ પર પ્રતિબંધ મૂકાઈ જાય છે. જો તમે રોટલી માટીની તવીમાં બનેલી જમશો તો પાઈલ્સથી જલદી રાહત મળશે.

માટીના તવામાં બનેલી રોટલી માટીના પોષક તત્વોથી ભરપૂર હોય છે અને રોટલીની પૌષ્ટિકતા પણ અનેક ગણી વધી જાય છે. તેમાં હાજર પ્રોટીન બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news