ફરી ગુજરાતમાં છોતરાં પાડશે મેઘો! જાણો શું થવાની છે નવા જૂની, ગાજવીજવાળી ભયાનક આગાહી

Gujarat Weather Forecast: હાલ દક્ષિણ ગુજરાત પર ઓફશોર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સસુન ટ્રફના કારણે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતના ઉત્તર પૂર્વી જિલ્લાઓમાં આગામી 5 દિવસ વરસાદ રહેશે. આ ઉપરાંત ભારતીય પંચાંગ મુજબ આજથી ઉત્તરા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે, તેથી આજથી વરસાદી માહોલ બરાબરનો જામશે. 

ફરી વરસાદના યોગ સર્જાશે

1/10
image

અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 12 -13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે. 15-16-17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે. જેની ગુજરાત ઉપર મોટી અસર થશે, તેની અસરથી 22 થી 25 માં ભારે વરસાદી ઝાપટા પડશે. 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે. 16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે. 

2/10
image

અંબાલાલ પટેલે કહ્યું કે, હજુ પણ રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે. 13 સેપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે. તે પછી બંગાળ ઉપ સાગરમાં બનતી સિસ્ટમો અને દક્ષિણ ચીનમાં બનતા ચક્રવાતના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા સાગર વધુ સક્રિય થશે. રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ તારીખ 13 સપ્ટેમ્બરથી પડી શકે છે. 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 

3/10
image

પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તો પંચમહાલ, સાબરકાંઠા, ભારે વરસાદની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં હળવોથી ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જૂનાગઢના, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

4/10
image

તેમણે જણાવ્યું કે, 27 સેપ્ટમ્બર થી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. 10 ઓક્ટોબર થી 13 ઓક્ટોબર બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. નવરાત્રિ દરમિયાન છૂટો છવાયો વરસાદ આવશે. ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી ભારેથી અતિ ભારે વરસાદે જનજીવન પર અસર છોડી છે. ખાસ કરીને વડોદરા, દેવભૂમિ દ્વારકા અને જામનગરને માઠી અસર વરસાદથી પહોંચી છે. એવામાં હવે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસી જતા પરિસ્થિતિ બદલાશે. 

5/10
image

હવામાન અંગેના જાણકારોનો એક મત એવો પણ છેકે, ઉત્તરાનો વરસાદ ખુબ ઝેરી હોય છે. તેનાથી પાકનો દાટ વળી જાય છે. ખેતીવાડીને નુકસાન પહોંચે છે. ઉત્તરા નક્ષત્રને લઈ નિષ્ણાતોની વાત માનીએ તો, આ વરસાદમાં પાકનો ખૂબ બગાડ થાય. કેમ કે, પાક તૈયાર થઈ ગયો હોય તેના પર વરસાદ થતાં પાક બગડે છે. તેથી કહેવત છે કે, ‘જો વરસે ઉત્તરા તો ધાન ન ખાય કુતરા’ તે કહેવત પ્રમાણે જો વરસાદ થશે તો પાક બગડશે.

6/10
image

ઉત્તરા નક્ષત્રના વરસાદને લઈને એવી કહેવાત પણ છેકે, 'જો વરસે ઉત્તરા તો ધાન ન ખાય કૂતરા'. અર્થાત ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં અનાજ ખરાબ થઈ જાય છે. અનાજની હાલત એવી થાય છેકે, કુતરા પણ તેને ખાતા નથી. બીજું કે આવી સ્થિતિમાં ખોરાક ન લેવો અથવા સાવ ઓછો લેવો જ સ્વાસ્થ્ય માટે સારો કહેવાય છે. એટલે જ એવું કહેવાયું છેકે, ઉત્તરામાં કુતરા પણ નથી ખાતા ધાન.

7/10
image

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસી ગયું છે. ત્યારે હવે વાદળોમાં ફેરબદલ થઈ રહી છે. વાદળોની સ્થિતિ પણ બદલાઈ રહી છે. ઉત્તરા ફાલ્ગુનીની સાથે હવે હાથીયા પણ હડકંપ મચાવશે. એવું કહેવાય છેકે, હાથિયાની સ્થિતિમાં તમારા અંદાજા કરતા વધારે વરસાદ થઈ શકે છે. નિષ્ણાતોની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને અમદાવાદ બનશે ઉત્તર નક્ષત્રમાં વરસાદનું એપી સેન્ટર. બંગાળની ખાડીમાં જે વાતાવરણ ઉભું થયું છે, તેની અસર 20 તારીખ આસપાસ આવશે. 

8/10
image

દક્ષિણ-પૂર્વ ગુજરાત થઇ, બનાસકાંઠા થઇ, તે સિસ્ટમ નબળી પડી જશે, તેવું અત્યારના સંજોગોમાં લાગે છે. હાથિયા નવરાત્રિ બગાડશે. નવરાત્રિમાં ભારે વરસાદ થશે એવું સુચવે છે ઉત્તરા નક્ષત્રો પણ. ગરબા રસિકો માટે માઠા સમાચાર છે, કારણકે, નવરાત્રિ દરમિયાન ભારે વરસાદની સંભાવના ખેલૈયાઓના રંગમાં પાડી શકે છે ભંગ.

9/10
image

યાગી વાવાઝોડા અનેક દેશમાં કહેર વર્તાવ્યો છે. ચીન, થાઈલેન્ડ, વિયેતનામમાં સ્થિતિ ખરાબ બની છે. થાઈલેન્ડમાં યાગી વાવાઝોડાએ 33 લોકોનો ભોગ લીધો. થાઈલેન્ડના શહેરોમાં કમર સુધીના પાણી ભરાયા છે. તો વિયેતનામમાં યાગી વાવાઝોડાના કારણે 200 લોકોનો મૃત્યુઆંક સામે આવ્યો છે. 

10/10
image

યાગી વાવાઝોડાના કારણે આવેલા વરસાદ અને પૂર બાદ તારાજી સર્જી છે. પૂરના કારણે અનેક વિસ્તારોમાં જળમગ્ન થયા છે. ચીનના ગુઆંગ્શીમાં ભારે વરસાદથી પૂર આવ્યું છે. ચીનમાં યાગી વાવાઝોડાએ મચાવેલી તારાજીના ડ્રોન દ્રશ્યો ભયાવહ છે.