Photos : સુરત આગકાંડમાં બાળકોએ પૂછ્યું, ‘...તો વાંક કોનો?’

સુરતમાં સરથાણા આગકાંડનો મામલો, ઘટના બાદ જવાબદાર મામલે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. કોઈ કહે છે ફાયર બ્રિગેડનો વાંક છે, તો કહે છે મનપાનો વાંક છે, તો કોઈ તંત્રનો વાંક કાઢે છે. પણ, આ બધામાં 22 જિંદગી તો હોમાઈ ગઈ છે. ત્યારે સુરતના કેટલાક ભૂલકાઓ આ મામલે દેખાવ કરીને કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા.

ચેતન પટેલ/સુરત :સુરતમાં સરથાણા આગકાંડનો મામલો, ઘટના બાદ જવાબદાર મામલે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. કોઈ કહે છે ફાયર બ્રિગેડનો વાંક છે, તો કહે છે મનપાનો વાંક છે, તો કોઈ તંત્રનો વાંક કાઢે છે. પણ, આ બધામાં 22 જિંદગી તો હોમાઈ ગઈ છે. ત્યારે સુરતના કેટલાક ભૂલકાઓ આ મામલે દેખાવ કરીને કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા.

1/3
image

સુરતના બાળકોએ વિરોધ કાર્ડ બનાવીને પ્રદર્શિત કર્યું હતું. ‘અમારો શુ વાંક’ના લખાણ સાથે બાળકો કલેક્ટર ઓફિસ પહોંચતા સુરતમાં આ પ્રદર્શન ચર્ચામાં આવ્યું. 

2/3
image

બાળકો સાથે કેટલાક વાલીઓ પણ જોડાયા હતા. બાળકોએ એટલા હૃદયસ્પર્શી લખાણ લખ્યા હતા કે, જોઈને ગળગળા થઈ જવાય.     

3/3
image

ઉલ્લેખનીય છે કે, સુરત તક્ષશીલા આગ દુર્ઘટના મામલે ધારાસભ્ય હર્ષ સંઘવીએ મનપાને લખ્યો છે. તેમણે મનપા પાસેથી ઓપરેશન અને મેઇન્ટેન્સની કામગીરી ચકાસવા માંગ કરી છે. તેમજ જો મેઇન્ટેન્સની કામગીરી ન થતી હોય તો પગલાં લેવાની પણ માંગ કરી છે.