નજર હટાવી નહિ શકો તેવી ટચૂકડી ગણેશ મૂર્તિ બનાવી સુરતી કલાકારે

ગણેશ ઉત્સવ દરમિયાન અનેક ભક્તો અલગ અલગ પ્રકારની ગણેશજીની મૂર્તિ બનાવે છે, જોકે આ વર્ષે કોરોનાને કારણે પંડાલોમાં મોટા આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે આવામાં સુરતના એક કલાકારે અનોખા ગણપતિ બનાવ્યા છે. સુરતના ડિમ્પલ જરીવાલાએ માઈક્રો ગણેશ બનાવીને પોતાની ભક્તિ દર્શાવી છે. 

તેજશ મોદી/સુરત :ગણેશ ઉત્સવ દરમિયાન અનેક ભક્તો અલગ અલગ પ્રકારની ગણેશજીની મૂર્તિ બનાવે છે, જોકે આ વર્ષે કોરોનાને કારણે પંડાલોમાં મોટા આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે આવામાં સુરતના એક કલાકારે અનોખા ગણપતિ બનાવ્યા છે. સુરતના ડિમ્પલ જરીવાલાએ માઈક્રો ગણેશ બનાવીને પોતાની ભક્તિ દર્શાવી છે. 

1/4
image

કલાકાર ડિમ્પલ જરીવાલાએ 1.5 એમએમથી લઈ 1.5 ઇંચ સુધીના ગણપતિ બનાવ્યા છે, તમામ મૂર્તિઓ માટીમાંથી બનાવવામાં આવી છે. એટલે આ તમામ મૂર્તિઓ ઈકો ફ્રેન્ડલી છે. આ મૂર્તિઓમાં કોરોના વાયરસની થીમ પર પણ ગણેશજી બનાવાયા છે. જેમાં કોરોના પર જીત અપાવતા ગણપતિની મૂર્તિ સૌથી અદ્દભૂત છે.  

2/4
image

તમામ મૂર્તિઓને મનમોહક રીતે બનાવવામાં આવી છે. 

3/4
image

આટલી નાની સાઈઝની મૂર્તિઓ બનાવવી બહુ જ મહેનત માંગી લે તેવું કામ છે. ખાસ કરીને તેમાં યોગ્ય માપનું ધ્યાન રાખવું બહુ જ જરુરી છે. આવામાં ડિમ્પલ જરીવાલાએ પહેલા તો કાગળ પર માપ નોંધીને ગણતરી કરી હતી. જેના બાદ તેઓએ માટીમાં તેને આકાર આપ્યા હતા.

4/4
image

પંડાલોમાં મૂકાતી મોટી સાઈઝની મૂર્તિઓથી પાણીમાં પ્રદૂષણ થાય છે. જો લોકો આ પ્રકારના ડેકોરેશન અપનાવે તો પાણીનું પ્રદૂષણ પણ અટકાવી શકાય છે.