કોરોનાનો કહેરઃ મહારાષ્ટ્રના મંત્રીએ કહ્યું, ખાલી સ્ટેડિયમમાં યોજાઇ શકે છે આઈપીએલ

ટોપેએ બુધવારે કહ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને જોતા સરકારની પાસે બે વિકલ્પ છે- આઈપીએલની મેચોને સ્થગિત કરવી કે પછી તેને ટીવી દર્શકો સુધી સીમિત રાખવી.
 

કોરોનાનો કહેરઃ મહારાષ્ટ્રના મંત્રીએ કહ્યું, ખાલી સ્ટેડિયમમાં યોજાઇ શકે છે આઈપીએલ

મુંબઈઃ દેશભરમાં કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 60 સુધી પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર પણ તેનાથી અછૂત નથી. કોરોનાના 10 પોઝિટિવ મામલા રાજ્યમાં સામે આવ્યા છે. મુંખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આ બીમારીના નવા મામલામાં આઠ પુણેથી અને બે મુંબઈથી છે. કોરોના વાયરસની આફત ઈન્ડિયન પ્રીમિયર લીગ પર પણ પડી શકે છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ કહ્યું કે, આ સ્થિતિમાં આઈપીએલને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લેવો પડી શકે છે. 

ટોપેએ બુધવારે કહ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને જોતા સરકારની પાસે બે વિકલ્પ છે- આઈપીએલની મેચોને સ્થગિત કરવી કે પછી તેને ટીવી દર્શકો સુધી સીમિત રાખવી. એટલે કે મહારાષ્ટ્રમાં યોજાનારી મેચોમાં દર્શકોને મેદાનમાં જવાની મંજૂરી હશે નહીં. એટલે કે લોકો માત્ર ટીવી પર મેચ જોઈ શકશે. 

— ANI (@ANI) March 11, 2020

ટોપેનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં હવે આ મામલાની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, સરકાર આઈપીએલ મેચોને સ્થગિત કરી શકે છે કે પછી તેને ટેલિવિઝનના દર્શકો સુધી સીમિત રાખી શકે છે. 

રાજ્ય સરકારના સૂત્રોએ કહ્યું, 'એક વાત તો નક્કી છે કે ટિકિટોનું વેચાણ થશે નહીં.' આ સાથે તેમણે કહ્યું કે, આ વિશે જલદી અંતિમ નિર્ણય લેવામાં આવશે. ટોપેએ પત્રકારોને કહ્યું કે, રાજ્ય કેબિનેટે કોરોના વાયરસ અને આઈપીએલ મેચો પર ચર્ચા કરી છે. તેમણે કહ્યું, 'ચર્ચા બાદ અમારી સામે બે વિકલ્પ આવ્યા- મેચોને સ્થગિત કરવી કે ટિકિટોના વેચાણ વગર મેચોનું આયોજન કરવું.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news