IND vs SL ODI: આ એક ખેલાડીના લીધે સૂર્યકુમારને બીજી વન-ડેમાં પણ નહીં મળે મોકો!

IND vs SL 2nd ODI: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વન-ડે મેચ, ભારત સીરિઝ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ મેચ કોલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાશે. આ મેચમાં શ્રીલંકા માટે કરો યા મરોની સ્થિતિ સર્જાઇ છે.

IND vs SL ODI: આ એક ખેલાડીના લીધે સૂર્યકુમારને બીજી વન-ડેમાં પણ નહીં મળે મોકો!

Suryakumar Yadav India vs Sri Lanka 2nd ODI: આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દુનિયાના શાનદાર ગણાતા ક્રિકેટ ગ્રાઉન્ડ પૈકી એક એવા ઈડન ગાર્ડનમાં રમાશે રોમાંચક મેચ. રોમાંચક એટલાં માટે કારણકે, પહેલી મેચ ભારત જીતી ચુક્યું છે તેથી આ મેચમાં બાંગ્લાદેશ માટે કરો યા મરોની સ્થિતિ છે. આ સ્થિતિમાં બાંગ્લાદેશે હંમેશા પોતાનું બેસ્ટ પ્રદર્શન આપ્યું છે. ત્યારે આજે પણ સારી ગેમ જોવા મળે તેવી આશા છે. જોકે, આ મેચમાં પણ તમને ભારતનો સ્ટાય નહીં જોવા મળે.

આ મેચ ક્યાં જોઈ શકાશે?
ભારત અને શ્રીલંકાની વનડે સીરીઝની આ મહત્વની બીજી વનડે મેચ 12 જાન્યુઆરીએ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે, મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર કરવામાં આવશે. આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+ હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની વન-ડે સીરિઝની બીજી મેચ ગુરુવારે કોલકાતામાં રમાશે. આ મેચ પહેલા ભારતે ગુવાહાટીમાં શાનદાર જીત નોંધાવી હતી. ટી-20 સીરિઝમાં જોરદાર પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપી નથી. તેના સ્થાને કેપ્ટન રોહિત શર્માએ શ્રેયસ ઐય્યરને તક આપી હતી. હવે સૂર્યકુમારને બીજી વનડેમાં પણ સ્થાન મળવાની શક્યતા ઓછી છે. ઐય્યરે વન-ડે ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે.

સૂર્યકુમાર યાદવે ટી-20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે છેલ્લી મેચમાં અણનમ સદી ફટકારી હતી. આમ છતાં સૂર્યકુમારને પ્રથમ વનડેની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું. તે બીજી વનડેની પ્લેઈંગ ઈલેવનમાંથી પણ બહાર થઈ શકે છે. વાસ્તવમાં શ્રેયસ ઐય્યરે વન-ડે ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે ફોર્મમાં પણ છે. આ કારણોસર સૂર્યાને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થવું પડ્યું હતું. જોકે ઐય્યર પ્રથમ વનડેમાં 24 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. આ ઇનિંગમાં તેણે 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.

શ્રેયસનો શાનદાર રેકોર્ડઃ
શ્રેયસ ઐયરે બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે મીરપુર વનડેમાં 82 રનની ઇનિંગ રમી હતી. આ પછી ચિત્તાગોંગ ટેસ્ટમાં 86 રન બનાવ્યા હતા. શ્રેયસે મીરપુર ટેસ્ટ મેચની એક ઇનિંગમાં 87 રન અને બીજી ઇનિંગમાં અણનમ 29 રન બનાવ્યા હતા. તેના ઓવરઓલ વન-ડે પ્રદર્શન પર નજર કરીએ તો તેણે 40 મેચમાં 1565 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 14 અડધી સદી ફટકારી છે. શક્ય છે કે શ્રેયસને બીજી વન-ડેની પ્લેઈંગ ઈલેવનમાં પણ સ્થાન મળે.

ટીમ ઈન્ડિયાનું પ્રદર્શનઃ
કોલકત્તામાં ભારતનો રેકોર્ડ ખુબ શાનદાર અને સારો રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ ઇડન ગાર્ડન મેદાનમાં ઓવર ઓલ 21 વનડે મેચો રમી ચૂકી છે. આમાં ભારતીય ટીમને 12 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો 10 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આમ તો ભારત કોલકત્તામાં કુલ 23 વાર વનડે મેચો રમવા ઉતર્યુ છે, પરંતુ વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચમાં એકપણ બૉલ ન હતો ફેંકાઇ શક્યો. ખરાબ હવામાન અને વરસાદના કારણે આ બે મેચો કેન્સલ થઇ થઇ હતી. 

આ પણ ખાસ વાંચોઃ

 

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news