ખેડૂતોની સમસ્યા News

ખેડૂતોની સ્થિતિ પર નીતિન પટેલનું મોટું નિવેદન, ડેમ ખાલી હોવાથી હાલ સિંચાઈનું પાણી મળ
Aug 15,2021, 13:55 PM IST
ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત, કિસાન સહાયમાં પ્રીમિયમ ભર્યા વગર નુકસાનીનું વળતર
કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 1 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. ત્યારે આ પેકેજ અંતર્ગત રાજ્યના ખેડૂતો પણ સરકાર સામે મીટ માંડીને બેસ્યા હતા.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું કે, આ યોજનામાં પાક વીમામાં ફેરફાર છે. પાક વીમામાં જે પ્રીમિયમ ભરે તેને જ લાગુ પડતી હતી. પરંતુ કિસાન સહાય યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે. પ્રીમિયમ ભરવાનું છે જ નહિ. ખરીફ પાકમાં તકલીફ પડશે તેને યોજનાનો લોભ મળશે. ભૂતકાળમાં આદિવાસી ખેડૂતનો લાભ મળતો ન હતો. પણ આ યોજનામાં તેને પણ લાભ મળશે. ખેડૂતોને ઝીરો પ્રીમિયમ હશે. યોજનામાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને માવઠાની નુકસાનીને આવરી લેવામાં આવ્યું છે. નાના મોટા તમામ ખેડૂતોને યોજનામાં આવરી લેવાયા છે. મહત્તમ 4 હેક્ટર સુધીની સહાય ચૂકવાશે. 33 ટકાથી 60 ટકા સુધીનું નુકસાન હશે તો હેક્ટરે 20 હજાર રૂપિયા ચૂકવાશે. 60 હાજર ઉપર હશે તો 25 હજારની રકમ મળશે. ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા બધા રૂપિયા ચૂકવાશે. આમ, પાક વીમો એકદમ સરળ કરી દેવાયો છે. હવે ખેડૂતને ફોર્મ ભરવાથી લઈને બાકીના બાબતોની ઝંઝટમાંથી મુક્તિ મળશે, હવે વીમા કંપની સાથે પણ માથાકૂટ નહિ કરવી પડે.
Aug 10,2020, 11:59 AM IST
ગાંધીનગર: વિધાનસભામાંથી કોંગ્રેસનું વોકઆઉટ
વિધાનસભા (gujarat vidhansabha) ના બજેટ સત્ર દરમિયાન આજે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. પાકવીમા મુદ્દે પૂછાયેલા પ્રશ્ન દરમિયાન કૃષિમંત્રી જવાબ આપી રહ્યા હતા તે દરમિયાન કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો. ભારે હંગામાને પગલે વિધાનસભા અધ્યક્ષે આગળના પ્રશ્ન પર ચર્ચા શરૂ કરી દેતા કોંગ્રેસે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. ‘તાનાશાહી નહીં ચલેગી...’ના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસનો આક્ષેપ છે કે, ખેડૂતોને પાકવીમો આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે પાક વીમા કંપનીને પ્રીમિયમ પેટે અધધ રકમ ચૂકવી હોવા છતાં વીમા કંપનીઓએ તેની અડધી રકમ પણ ખેડૂતોને ચૂકવી નથી.
Mar 4,2020, 17:20 PM IST
પાકવીમાના સળગતા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાંથી કર્યું વોકઆઉટ
વિધાનસભા (gujarat vidhansabha) ના બજેટ સત્ર દરમિયાન આજે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. પાકવીમા મુદ્દે પૂછાયેલા પ્રશ્ન દરમિયાન કૃષિમંત્રી જવાબ આપી રહ્યા હતા તે દરમિયાન કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો. ભારે હંગામાને પગલે વિધાનસભા અધ્યક્ષે આગળના પ્રશ્ન પર ચર્ચા શરૂ કરી દેતા કોંગ્રેસે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. ‘તાનાશાહી નહીં ચલેગી...’ના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસનો આક્ષેપ છે કે, ખેડૂતોને પાકવીમો આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે પાક વીમા કંપનીને પ્રીમિયમ પેટે અધધ રકમ ચૂકવી હોવા છતાં વીમા કંપનીઓએ તેની અડધી રકમ પણ ખેડૂતોને ચૂકવી નથી.
Mar 4,2020, 14:39 PM IST
હજી તો ઉનાળો શરૂ નથી થયો, ત્યાં ખેડૂતોને પાણીની સમસ્યા ઉભી થઈ
ખેડૂતોએ અતિવૃષ્ટિ અને માવઠાનો માર સહન કરી પાક લીધો અને હવે જ્યારે પાકને વેચવાનો વારો આવ્યો છે ત્યારે તેમાં પણ અનેક મુશ્કેલીઓ નડી રહી છે. અરવલ્લી જિલ્લાના ખેડૂતો મકાઈ વેચવા માર્કેટયાર્ડમાં તો જઈ રહ્યાં છે પણ યાર્ડમાં તેમને ઓછા ભાવ મળતા હોવાની ફરિયાદ ઉઠી છે. તો, અમરેલીના ખેડૂતો નવી મુસીબતનો સામનો કરી રહ્યાં છે. પાણી તો છે પણ તે પાણી ખેતર સુધી પહોંચાડવા માટે વીજ પ્રવાહનો અભાવ હોવાની ફરિયાદ ઉઠી છે. પાણીના અભાવે શિયાળુ શાકભાજી નજરો સામે બગડી છે. ખેડૂતો તંત્ર પાસે મદદની ગુહાર લગાવી રહ્યાં છે. તો, ભાવનગરના ખેડૂતોને પણ પાણી વગર રડવાનો વારો આવી રહ્યો છે. આઝાદીના 73 વર્ષ પછી પણ એક નહીં 25 ગામો પાણીના અભાવ વચ્ચે ઝૂરી રહ્યાં છે.
Feb 23,2020, 9:15 AM IST
આજે ખેડૂત દિવસ : જગતના તાતની આવક વિશે ગંભીરતાથી વિચારવાનો સમય હવે આવી ગયો
 એક સમય હતો, જ્યારે આપણા દેશમાં ખેતીની જ સૌથી ઉત્તમ કાર્ય માનવામાં આવતું હતું. મહાકવિ ધાધની એક પ્રસિદ્ધ કહેવત પણ છે. ઉત્તમ ખેતી, મધ્યમ બાન... નિષિદ્ધ ચાકરી, ભીખ નિદાન... એટલે કે ખેતી સૌથી સારું કાર્ય છે. વેપાર મધ્યમ, નોકરી નિષિદ્ધ અને ભીખ માંગવુ સૌથી ખરાબ કાર્ય છે. પરંતુ આજે દેશની પરિસ્થિતિ પર નજર કરીએ તો આજીવિકા માટે ખેતી સૌથી સારું કાર્ય નથી રહ્યું. દરેક દિવસે દેશમાં લગભગ 2000 ખેડૂતો ખેતી છોડી રહ્યા છે અને અનેક ખેડૂતો એવા છે જે ખેતી છોડી દેવા માંગે છે. દેશના ખેડૂતોને રસ્તા પર આંદોલન કરવા  ઉતરવું પડી રહ્યું છે. દેશના અનેક ખેડૂતો નિરાશ થઈને આત્મહત્યા જેવું પગલુ ભરવા મજબૂર બની રહ્યાં છે. 23 ડિસેમ્બરને સમગ્ર ભારતમાં કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના જન્મદિન પર કિસાન દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસ જેમના માટે ઉજવાય છે, તેમની દેશમાં કેવી દુર્દશા છે અને તેની સામે કેવી રીતે લડી શકાય તે જાણીએ. 
Dec 23,2018, 7:15 AM IST

Trending news