ઘોઘા News

અમદાવાદને સી પ્લેન બાદ હવે સુરતીઓને ઘોઘા-હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસની ગિફ્ટ
અમદાવાદીઓને સી પ્લેનની ગીફ્ટ વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવી હતી. જે હજીરાથી ઘોઘા ફેરી સર્વિસનું ઉદ્ધાટન દિવાળી પહેલા કરવામાં આવ્યું હતું. સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને મોટી ભેટ મળી છે. સુરતથી સૌરાષ્ટ્ર સુધી રોડ ટ્રાન્સપોર્ટેશન વધુ છે. જેના કારણે આ ફેરી શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રોડ ટ્રાફીક અને રેલવે ટ્રાફિક અટકાવવા માટે વોટર ટ્રાન્સપોર્ટેશન પર વધારે ભાર આપવામાં આવી રહ્યું છે. ભારતમાં આવા અલગ અલગ જળમાર્ગોની ઓળખ કરવામાં આવી રહી છે. આવા મહત્તમ માર્ગો પર અલગ અલગ રો-રો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે.
Nov 1,2020, 16:31 PM IST

Trending news