દવા News

રાહત: વેક્સીન પહેલા મળી કોરોના વાયરસની દવા, ચીનના વૈજ્ઞાનિકોનો દાવો
કોરોના મહામારી (Coronavirus)ના પ્રકોપથી બચવા ચીનથી આવેલા એક સમાચાર રહાત ભર્યા છે. ચીનના વૈજ્ઞાનિકોનો દાવો છે કે, તેમણે એવી દવા વિકસિત કરી છે, જેનાથી કોરોનાને ફેલાતા રોકી શકાય છે. જો વૈજ્ઞાનિકોનો આ દાવો સાચો સાબિત થયા છે તો, વેક્સીનની રાહ જોતી દુનિયાને મહામારીથી મુક્તિ મળી શકે છે. ચીનની પ્રતિષ્ઠિત પેકિંગ યૂનિવર્સિટી (Peking University)માં વૈજ્ઞાનિકોની ટીમ દવાનું પરીક્ષણ કરી રહી છે. જેનાથી ના માત્ર સંક્રમિત દર્દીઓને સ્વસ્થ કરી શકાય છે. પરંતુ આ થોડા સમય માટે વાયરસની સામે પ્રતિરક્ષા પણ તૈયાર કરે છે. યુનિવર્સિટીના બેઇજિંગ એડવાન્સ ઇનોવેશન સેન્ટર ફોર જીનોમિક્સના નિદેશક સુન્ને શી (Sunney Xie)એ કહ્યું કે જાનવરો પર પર દવાનું પરીક્ષણ સફળ રહ્યું છે.
May 19,2020, 19:49 PM IST
PM મોદીની આંખોમાં આંસુ: ભગવાનને તો નથી જોયા પણ તમને... સાંભળતા જ PM થયા ભાવુક
જન ઔષધિ દિવસ પ્રસંગે એક મહિલા સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઇ ગયા. વડાપ્રધાન મોદી સાથે વાત કરતા એક મહિલાએ કહ્યું કે, તેને ભગવાનને તો નથી જોયા, પરંતુ નરેન્દ્ર મોદીને જોયા છે. આમ કહેતા કહેતા વડાપ્રધાન મોદી સાથે વાત કરતા ભાવુક થઇ ગયા હતા. મહિલા સાથે વાત કરતા વડાપ્રધાન મોદી ભાવુક થઇ ગયા હતા. જન ઔષધિ દિવસ પ્રસંગે આયોજીત કાર્યક્રમ દરમિયાન મહિલા દીપા શાહે કહ્યું કે, તેઓ લકવાનાં દર્દી છે, પહેલા દવા ખરીદવામાં તેમનાં 5 હજાર રૂપિયાનો ખચ્ર થતો હતો. પરંતુ જ્યારથી તેને જનઔષધિ સેન્ટરમાંથી દવાઓ ખરીદવાની શરૂ કરી તેનો દવાઓનો ખર્ચ 1500 થઇ ગયો. મહિલાએ કહ્યું કે, બાકી બચેલા પૈસા ઘર ચલાવે છે અને ફળ ખરીદે છે. 
Mar 7,2020, 17:52 PM IST

Trending news