ભારત રત્ન News

હિંદુ મહાસગાની માંગ ભારતીય કરન્સીમાં સાવરકરની તસ્વીર છાપવામાં આવે
અખિલ ભારત હિન્દુ મહાસભાએ વીર સાવરકરને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરી છે. આ સાથે જ મહાસભાને માંગ કરી છે રે ભારતીય કરન્સીમાંથી મહાત્મા ગાંધીની તસ્વીર હટાવીને વીર સાવરકરની તસ્વીર લગાવવામાં આવે. સાવરકર જયંતી પ્રસંગે હિંદુ મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પંડિત અશોક શર્મા અને પ્રદેશ પ્રવક્તા અભિષેક અગ્રવાલે સંયુક્ત રીતે સાવરકરને ભારત રત્ન આપવાની માંગ ઉઠાવતા કહ્યું કે, સરકારની તેમના પ્રત્યે સાચી શ્રદ્ધાંજલી હશે કે તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે. તેમણે માંગ કરી કે સરકાર ભારતીય કરન્સીથી મહાત્મા ગાંધીની તસ્વીર હટાવીને સાવરકરની તસ્વીર લગાવે. હિન્દુ મહાસભાનાં નેતાઓએ કહ્યું કે, વીર સાવરકર દ્વારા કરવામાં આવેલ રાષ્ટ્ર પ્રત્યે નિસ્વાર્થ સેવાને નજર અંદાજ કરી શકાય નહી. 
May 28,2019, 17:52 PM IST

Trending news