20 november news News

કરફ્યૂમાં કરિયાણું નહિ મળે એ બીકે બહાર નીકળ્યા અમદાવાદીઓ, જોતજોતામાં ભીડ કરી નાંખી
અમદાવાદમાં આજથી કરફ્યૂ નંખાયો છે. આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવાર સુધી અમદાવાદ સંપૂર્ણ (curfew ahmedabad) બંધ રહેશે. તો સાથે જ શનિવાર અને રવિવારે દિવસ દરમિયાન પણ કરફ્યૂ (Curfew) રહેશે તેવી જાહેરાત કરાઈ છે. આ દરમિયાન અતિ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. ત્યારે શુક્રવારની સવારથી અમદાવાદમાં લોકો પેનિક થયા છે. કરફ્યુની જાહેરાતને પગલે લોકો માર્કેટમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા ઉમટ્યા છે. સવારથી જ શાકભાજી અને અન્ય જરૂરી વસ્તુઓ લેવા પડાપડી થઈ રહી છે. તો ભીડ ઉમટતા Amc દ્વારા જમાલપુર ફૂલ બજાર અને શાક માર્કેટ ખાલી કરાવવાની કામગીરી તંત્ર દ્વારા કરાઈ રહી છે. બજારમાં ઉમટેલી ભીડને પગલે તંત્રની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ટીમો ઉતારવામાં આવી છે. કાલુપુર બજારમાં પણ ભીડ થતા તંત્ર એક્શનમાં આવી ગયા છે. 
Nov 20,2020, 10:16 AM IST

Trending news