children
સુરત : ઘરેથી રમવા માટે નિકળેલા 4 બાળકો નદીમાં ડુબ્યાં, 40 કલાકે મૃતદેહ મળ્યાં
શહેરમાં ઉમરગામ નજીક તાપી નદીમાં ગત્ત 9 ડિસેમ્બરે નાહ્વા માટે ગયેલા 4 બાળકો પૈકી 3નાં ડુબી જવાના કારણે મોત નિપજ્યાં હતા. જ્યારે 1 બાળક બચી ગયું હતું. ચાર બાળકો પૈકી ડુબી ગયેલી 1 બાળકીનો મૃતદેહ 40 કલાકની શોધખોળ બાદ મળી આવ્યો છે. એક જ પરિવારના ભાઇ-બહેનોનાં ડૂબી જવાનાં કારણે મોત નિપજ્યાં હતા જેના કારણે પરિવાર પર આભ ફાટ્યું હતું. પાર્લેપોઇન્ટના સુન્દરમ એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે નોકરી કરતા પ્રેમસિંહ થાપાની પુત્રી સુનિતા થાપા (10) પુત્ર પ્રતિપ થાપા (8) પોતાના મિત્રો રાહુલ અને નીરુ સાથે ઉમરાગામ નજીકનાં તાપીના કિનારે રમી રહ્યા હતા.
Dec 11, 2020, 11:34 PM ISTરાજકોટમાં ખાનગી શાળા સંચાલકોની ધમકી, ફી ભરો નહી તો બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ
રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે ફીમાં 25 ટકા માફી આપ્યા બાદ પણ વાલીઓ અને સંચાલકો વચ્ચે ફીના મુદ્દે ચાલતો વિવાદ શમવાનું નામ લેતો નથી, જેના પગલે 10મી ડિસેમ્બર સુધીમાં ફી નહી ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન ભણતર બંધ કરાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Nov 30, 2020, 04:14 PM ISTહથેળીમાં ચાંદ બતાવી લાખો રૂપિયા ફી ઉઘરાવતી શાળાઓ બાળકોની સુરક્ષા મુદ્દે ઉદાસીન
કોરોનાને કારણે થયેલા લોકડાઉન બાદ હવે જ્યારે ફરી એકવાર શાળાઓ શરૂ કરવાની રાજ્ય સરકાર તૈયારી કરી રહી છે, એવામાં રાજ્યના જુદા જુદા ભાગોના બનેલા આગના બનાવોને કારણે શાળાઓમાં આગ લાગે ત્યારે જરૂરી ફાયરની સુવિધાઓ તેમજ ફાયર NOC શાળાઓ પાસે છે કે નહીં તે મુદ્દો ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આગ લાગે ત્યારે કૂવો શોધવાની કેટલાકને આદત હોય છે, તે મુજબ દર વખતે રાજ્યના કોઈ ભાગમાં આગનો બનાવ બને ત્યારબાદ તંત્ર હરકતમાં આવતું હોય છે. તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવતો હોય છે. ભૂતકાળમાં સુરતના ટ્યુશનમાં આગ લાગવાને કારણે કેટલાક બાળકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ તે સમયના અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડે દ્વારા અમદાવાદમાં ચાલતા તમામ ટ્યુશન - કલાસીસ તેમજ શાળાઓમાં ફાયરની સુવિધા તેમજ NOC છે કે નહીં તે અંગે તપાસનો અહેવાલ તૈયાર કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ અપાયો હતો. પરંતુ કેટલી શાળાઓ અપાશે ફાયરની સુવિધા કે NOC નથી એનો જવાબ આપવાનું તંત્ર હમેશા ટાળતું રહ્યું હતું.
Nov 7, 2020, 06:11 PM ISTઅમદાવાદ પોલીસે ચોર્યા પાકીટ, મોબાઇલ અને બાળકો, લોકો રડતા રડતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પછી...
દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે વિવિધ ચોર ટોળકીઓ પણ સક્રિય થતી હોય છે. તેવામાં ચોરીની અને ઠગાઇની ઘટનાઓ ટાળવા માટે પોલીસ દ્વારા એક અલગ જ પ્રકારનો આઉટ ઓફ બોક્ષ ઉપાય અખતિયાર કરવામાં આવ્યો હતો. ભદ્ર વિસ્તારમાં પહેલાથી જ ભીડભાડ જોવા મળે છે. લોકો મોટા પ્રમાણમાં દિવાળીની ખરીદી કરવા માટે આવતા હોય છે. તેવામાં ટોળાનો ફાયદો ઉઠાવીને ઠગ લોકો પોતાનો હાથ સાફ કરતા હોય છે. પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં બેનર્સ લગાવાયા હોવા છતા લોકો બેખોફ થઇને ખરીદી કરવામાં મશગુલ થઇ જાય છે.
Oct 27, 2020, 08:05 PM ISTબાળકો માટે માતા-પિતાના ઝગડામાં ગયો મામાનો જીવ, પારિવારિક ઝગડો બન્યો લોહિયાળ
* રંગીલું રાજકોટ ફરી બન્યું રકતરંજિત, પતિ એજ વહેડાવ્યું પત્નીનું લોહી
* બાળકોની કસ્ટડી લેવા મામલે ચાલતી હતી પતિ પત્ની વચ્ચે તકરાર
* સરેઆમ પત્નિ અને મામાજીની કરવામાં આવી હત્યા
* છરીના ઘા ઝીંકી કરવામાં આવી હત્યા
* બેવડી હત્યા કર્યા બાદ આરોપીએ બે સંતાનો સાથે જાત જલવવાનો કર્યો પ્રયાસ
જે શાળામાં બાળકોને દાખલ કરવા થાય છે પડાપડી, ત્યાં હવે યુવતીઓ પણ કરી શકશે અભ્યાસ
સંરક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં મહિલાઓનું સશક્તિકરણ કરવાના સરકારના અવિરત પ્રયાસોના ભાગરૂપે સંરક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2021-22ના શૈક્ષણિક સત્રથી છોકરીઓને પણ સૈનિક શાળામાં જોડાવા માટેના દ્વાર ખુલ્લા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગર સ્થિત બાલાછડી સૈનિક શાળા દ્વારા પણ આગામી શૈક્ષણિક સત્રથી પ્રારંભિક સ્તરે ધોરણ VI થી છોકરીઓને પ્રવેશ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે. કુલ જગ્યાઓમાંથી દસ ટકા અથવા ઓછામાં ઓછી દસ બંનેમાંથી જે પણ વધુ હોય એટલી જગ્યાઓ છોકરીઓ માટે અનામત રાખવામાં આવશે.
Oct 20, 2020, 08:47 PM ISTઅમદાવાદમાં અનોખો લગ્ન પસંદગી મેળો, સંતાનોએ પોતાના માતા પિતા માટે શોધ્યું યોગ્ય પાત્ર
સામાન્ય રીતે યુવક-યુવતીઓ માટે લગ્નના પસંદગી મેળા યોજાતા હોય આવું તો આપણે બધી જગ્યાએ સાંભળતા રહીએ છીએ. પરંતુ મોરબીમાં આજરોજ પાનખરમાં પણ વસંત ખીલેએ પ્રકારના પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાત સાંભળીને જ પણ ચોકી જવાની જરૂર નથી, કારણકે પચાસ વર્ષની ઉંમર વટાવી ચૂકેલા પુરુષો તેમજ મહિલાઓ કે જેમને ઘડપણમાં સહારાની જરૂર હોય તેના લગ્ન થાય અથવા તો જે લોકોના લગ્ન તુટી ગયા હોય કે પછી જીવનસાથી અવસાન પામ્યા હોય. તે નવી ઇનિંગ શરૂ કરે તે માટે આજરોજ મોરબીની અંદર અમદાવાદની અનુબંધ સંસ્થા દ્વારા લગ્ન પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈથી લઈને કચ્છ સુધીના પુરુષ અને મહિલાઓએ ભાગ લીધો હતો.
Oct 11, 2020, 06:54 PM ISTકેવડિયામાં ટ્રાયલ માટે ખુલ્લો મુકાયો પેટ ઝોન
Pet Zone Opened For Trial In Kevadia
Oct 6, 2020, 10:15 AM ISTસંતાનો સાચવવા તૈયાર ન થતાં સુરતમાં આ વૃદ્ધ બન્યા નોંધારા
સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાલુભાઈ નામના વૃદ્ધની ઉંમર 75 વર્ષ છે, તેમની પાસે સંપત્તિ પણ છે અને ત્રણ દીકરાઓ છે પરંતુ તેમને રાથે રાખવા કોઈ તૈયાર નથી.
Aug 11, 2020, 06:34 PM ISTબાળકોની શરદી-ખાંસી દૂર કરવા અપનાવો આ ઘરેલૂ ઉપાય
ઘરેલુ ઉપચાર બાળકોની શરદી-ખાંસીમાં રાહત પહોંચાડી શરદી ખાંસીમાં રાહત આપી તેમની રોગપ્રતિકારક શક્તિને શક્તિશાળી બનાવે છે.
Apr 20, 2020, 03:56 PM ISTરાજુલાના વિસળિયા નજીક સામાન્ય ઘર કંકાસથી કંટાળી માતાએ ત્રણ સંતાનો સાથે કુવામાં પડતું મુક્યું
કોરોનાની મહામારીને કારણે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેના કારણે મોટા ભાગનાં ઉદ્યોગ ધંધા બંધ છે અને લોકો ઘરે જ રહેવા માટે સરકાર દ્વારા જણાવાયું છે. જો સતત ઘરે રહેવાનાં કારણે લોકો મનોવૈજ્ઞાનિક રીતે ખુબ જ ચિડિયા બની ગયા છે. જેના કારણે ઘરેલુ હિંસાનાં કેસમાં પણ વધારા થઇ રહ્યા છે.
Apr 7, 2020, 09:35 PM ISTજૂનાગઢ: નકલી રીસીપ્ટ કૌભાંડમાં પૂર્વ ડેપ્યુટી મેયરના સંતાનના નામ
જૂનાગઢ નકલી રીસીપ્ટ કૌભાંડ મામલે સમગ્ર કોભાંડ જૂનાગઢ ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરના બે સંતાનો નામ આવતા ખળભાટ મચી ગયો છે. પૂર્વ અગ્રણીના પુત્ર અને પુત્રી સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. રેડ દરમિયાન પોલીસને ભાજપના અગ્રણીના સંતાનો નામની નકલી રીસીપ્ટ મળી હતી.
Mar 5, 2020, 06:50 PM ISTરાજકોટ, મહેસાણામાં બાળકોમાં ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું
મુખ્યમંત્રીના વિસ્તાર રાજકોટ અને આરોગ્ય મંત્રીના વિસ્તાર મહેસાણામાં જ બાળકોમાં ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે. રાજકોટ જિલ્લામાં 302 બાળકો ગંભીર રોગથી પીડાઈ રહ્યા છે. જેમાં હૃદય રોગના 202 બાળકો, કિડનીની બીમારીના 47 અને કેન્સરથી 53 બાળકો પીડાઈ રહ્યા છે. જ્યારે મહેસાણામાં 140 બાળકો ગંભીર રોગથી પીડાઈ રહ્યા છે. જેમાં હૃદય રોગથી 110 બાળકો, કિડનીની બીમારીથી 21 અને કેન્સરથી 9 બાળકો પીડાઈ રહ્યા છે.
Mar 3, 2020, 05:05 PM ISTકુપોષણ મુદ્દે સ્માર્ટસિટીમાં ચોંકાવનારા આંકડા, એક વર્ષમાં બાળકોની સંખ્યા બમણી
દેશના ગ્રોથ એન્જીન માનવામાં આવતા ગુજરાત રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે. સંવેદનશીલ સરકારના મંત્રીઓ અને અધિકારીઓ કુપોષિત બાળકો પ્રત્યે અસંવેદનશીલ હોય એમ માનવામાં આવી રહ્યુ છે. જેના પરિણામે જ રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા એક વર્ષમાં જ બમણી થઈ ગઈ છે.
Feb 25, 2020, 06:30 PM ISTખેતરમાં અચાનક લાગેલી આગમાં 3 બાળકો જીવતા સળગી ગયા
જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલ હનુમાનગઢ ગામે આગ લાગવાની દૂર્ઘટનામાં ત્રણ બાળકો ભડથુ થઈ જતા પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ છવાયો છે. હનુમાનગઢ ગામે વાડી વિસ્તારમાં અંદાજે બપોરે 1 થી 3 વાગ્યા વચ્ચે બનેલી ગોઝારી ઘટના ઘટી હતી. વાડીમાં રહી મજુરી કામ કરીને પોતાના પરિવારોનો ગુજરાન ચલાવતા મધ્યપ્રદેશના મજુર પરિવારોના 7 જેટલા બાળકો આ ઘટના બની ત્યારે વાડીએ ઝુંપડામાં રમી રહ્યા હતા. દરમિયાન પ્રાથમિક માહીતી પ્રમાણે બાળકો દ્વારા ચુલો સળગાવવાનો પ્રયાસ થતા ઝુંપડુ સળગી જતા તેમાં ત્રણ બાળકો આગની ચપેટમાં આવી જતા ઘટના સ્થળે જ તેઓના મોત નિપજ્યા હતા.
Feb 14, 2020, 09:46 PM ISTValentine's Day: અમદાવાદમાં બાળકોએ કરી વેલેન્ટાઇન્સ ડેની અનોખી ઉજવણી
અમદાવાદના નારણપુરમાં આવેલા ઘરડા ઘરમાં વેલેન્ટાઈન ડેની વિશેષ ઉજવણી કરાઈ હતી. જીવન સંધ્યામાં રહેતા વૃદ્ધો સાથે નાના ભૂલકાઓ અને નર્સિંગના વિદ્યાર્થીઓએ વેલેન્ટાઈન ડે મનાવ્યો હતો. જીવન સંધ્યામાં રહેતા 185 જેટલા વૃદ્ધો ઉપસ્થિત રહ્યા હતા. નાના ભૂલકાઓ અને વૃદ્ધોએ એકબીજાને પેંડા ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા.
Feb 14, 2020, 06:10 PM ISTસુરતના પલસાણામાં 100 બાળકોને દવાની આડઅસર
પલસાણા તાલુકાના બગુમરા ગામની સાઈ વાટીકા સોસાયટીના બાળકોને પ્રાઇવેટ કેમ્પ દ્વારા આપવામાં આવેલ દવાને કારણે બાળકોને આડઅસર થઇ છે. આશરે 250થી વધુ બાળકોને દવા આપવામાં આવી હતી. હાલ ફેલાઈ રહેલા વાઇરસને રોકવાનું કહી દવા આપવામાં આવી હતી. 250માંથી 100 જેટલા બાળકોને દવાની આડઅસર થઈ છે.
Feb 6, 2020, 06:25 PM ISTફર્રુખાબાદ: 23 બાળકોને બંધક બનાવનાર સુભાષ મોતને ભેટ્યો, પત્નીએ પણ આપ્યો હતો સાથ
ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ (Farrukhabad) જિલ્લાના મોહમંદાબાદ વિસ્તારમાં કરથિયા ગામમાં 23 બાળકોને બંધક બનાવનાર વ્યક્તિને પોલીસે (Police) ઠાર માર્યો છે અને તમામ બાળકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.
Jan 31, 2020, 09:37 AM ISTસુરતના વેવાઈ વેવાણ ભાગી જવા મામલે સંતાનોનાં તૂટ્યા લગ્ન
સુરતના વેવાઈ અને નવસારીની વેવાણ ભાગી જવા કેસમાં વર અને કન્યાની સગાઈ તૂટી... કન્યા પક્ષે કરિયાવર પાછો મોકલતાં ફરીથી મામલો બિચકતાં અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ...
Jan 28, 2020, 11:35 PM ISTરાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓને મળ્યા PM મોદી, બહાદુર બાળકોને જણાવ્યો આ રસપ્રદ કિસ્સો
રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2020થી સન્માનિત બાળકો સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે તેઓ બહાદુર બાળકોની કહાની સોશિયલ મીડિયામાં શેર કરશે. પીએમ મોદીએ બાળકોને કહ્યું કે તમે આટલી ઓછી ઉંમરમાં જે કામ કર્યું તે અદભૂત છે.
Jan 24, 2020, 04:29 PM IST