Corona stop karo na 0 News

જમાતીઓને કારણે ભરૂચમાં ઘૂસ્યું કોરોના, મરકજમાં હાજરી આપનાર 4 પોઝિટિવ
ગુજરાતના કુલ 18 શહેરોમાં હાલ કોરોના (corona virus) પહોંચી ગયું છે. નિઝામુદ્દીન મરકજના જમાતીઓને (tablighi jamaat) કારણે ગુજરાતના જે વિસ્તારોમાં કોરોનાનો એકપણ કેસ ન હતો, ત્યાં પણ કોરોના પહોંચી ગયું છે. ત્યારે આ શહેરોમાં વધુ એક શહેરનો ઉમેરો થયો છે. ભરૂચમાં કોરોનાના પહેલા 4 કેસ સામે આવ્યા છે. નિઝામુદ્દીન મરકજ (Nizamuddin Markaz) માંથી પરત આવેલા 4 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ચારેય દર્દી ઈખર ગામના છે. પોઝિટિવ કેસને કારણે ભરૂચ (bharuch) નું તંત્ર દોડતું થયું. કોરોનાને લઈ આરોગ્ય વિભાગની મોડી રાતે કાર્યવાહી કરી હતી. ઇખર ગામના 10 લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. 4 લોકોને સિવિલ હોસ્પિટલ અને 6 લોકોને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જોકે, 8 માર્ચે ભરૂચ સિવિલમાં દરેક 80 જમાતી રિપોર્ટ માટે આવ્યા હતા. જેમાઁથી 70ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને 4ના પોઝિટિવ આવ્યા છે. 6 લોકોના રિપોર્ટ હજી પેન્ડિંગ છે. સાંજ સુધીમાં રિપોર્ટ આવવાની શક્યતા. ત્યાં સુધી તમામ લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. 
Apr 10,2020, 13:04 PM IST
કોરોનાએ ચિંતા વધારી, દર્દીઓમાં નથી દેખાતા લક્ષણો, છતા રિપોર્ટ પોઝિટિવ
Apr 10,2020, 7:59 AM IST
સોશિયલ મીડિયામાં અફવા ફેલાવતા 18 એકાઉન્ટ બંધ કરાયા : આશિષ ભાટિયા
અમદાવાદમાં વધુ 50 કેસ સાથે કુલ કોરોના (corona virus) કેસનો આંકડો 133 પર પહોંચી ગયો છે. ત્યારે અમદાવાદ શહેરમાં લોકડાઉન વચ્ચે કાયદા અને વ્યવસ્થાના પાલન અંગે રિપોર્ટ આપતા શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું કે, અત્યાર સુધી લોક ડાઉનમા 1829 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. લોક ડાઉનનો અસરકારક અમલ થઈ રહ્યો છે. 144નો ભંગ કરતા 1744 ગુના અને 5243 લોકોની ધરપકડ કરાઈ છે. ગઈકાલે 245 ગુના અને 618 લોકોની ધરપકડ કરાઈ છે. 25 ડ્રોન અમદાવાદમા ઉડાડવામાં આવ્યા છે. ગઈ કાલે કુલ 589 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને 7 લાખનો દંડ કરવામાં આવ્યો છે. બિનજરૂરી બહાર નીકળેલા લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. હોમ ક્વોરેન્ટાઇનમા 1853 લોકોને ચેક કરવામાં આવ્યા છે. કોટ વિસ્તારમાં ચેકપોસ્ટ પર લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. પોલીસ અધિકારી અને કર્મચારીઓની પણ શારીરિક તપાસ થઈ રહી છે. 9 પેરામીટર પર ચકાસણી થાય છે. અમે જે એપ્લિકેશન બનાવી છે તેમાં એન્ટ્રી કરીએ છીએ.
Apr 9,2020, 15:52 PM IST
અમદાવાદમાં બીજા 100-200 નવા કેસ સામે આવવાની શક્યતા : વિજય નહેરા
Apr 9,2020, 13:39 PM IST
દવાના બહાને રખડવા નીકળતા લોકો માટે રાજકોટ પોલીસે શોધ્યું મોટું સોલ્યુશન
Apr 9,2020, 12:33 PM IST
નિઝામુદ્દીન મરકજને કારણે ગુજરાતમાં કોરોના વકર્યો, મોટાભાગના દર્દી હોટસ્પોટ વિસ્તારના
ગુજરાતમાં જ્યાં સતત કોરોના (corona virus) ના કેસનો આંકડો વધી રહ્યો છે, ત્યાં અમદાવાદીઓના શ્વાસ અદ્ધર થઈ રહ્યાં છે. કારણ કે, અમદાવાદમાં કોરોના વકરી રહ્યો છે. અમદાવાદમાં કુલ 133 કેસ પહોંચી ગયા છે. એક જ દિવસમાં ગુજરાતમાં કુલ નવા 55 કેસો સામે આવ્યા છે. જેમાંથી 50 માત્ર અમદાવાદ (Ahmedabad)ના હોટસ્પોટ વિસ્તારના છે. અમદાવાદના વધી રહેલા કેસ માટે નિઝામુદ્દીન મરકજ હોવાનો સીધો દાવો આરોગ્ય સચિવ દ્વારા કરવામાં આવ્યો છે. નિઝામુદ્દીન મરકજને કારણે ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો વધ્યો છે. નિઝામુદ્દીન સાથે સંકળાયેલા દર્દીઓના હોટસ્પોટ વિસ્તારમાંથી જ મોટાભાગના દર્દીઓ આવી રહ્યાં છે. નિઝામુદ્દીનની ઘટના પછી હોટસ્પોટનું નિર્માણ કરવાની ફરજ પડી છે. 
Apr 9,2020, 11:58 AM IST
ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં નવા 55 કેસ, અમદાવાદના જ 50
Apr 9,2020, 11:21 AM IST
અમદાવાદ: કોટ વિસ્તારમાં ચેકપોઇન્ટ બન્યા શોભાના ગાંઠિયા સમાન
Apr 9,2020, 10:29 AM IST
2 વર્ષની કોમળ ફૂલ જેવી દીકરીને સાથે રાખીને કોરોનામાં ડ્યુટી કરે છે મહિલા કોન્સ્ટેબલ
Apr 9,2020, 8:30 AM IST
સુરતમાં 68 વર્ષના હસનચાચાનો રિપોર્ટ પોઝિટિવ, 8 વર્ષના બાળકમાં દેખાયા શંકાસ્પદ લક્ષણો
Apr 9,2020, 8:04 AM IST
જીવ જોખમમાં મૂકીને કોરોનામાં કામ કરતા સરકારી કર્મચારીઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય
કોરોના વાયરસની સામેની જંગમાં રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે રોજેરોજ મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે જાહેરાત કરાઈ કે, સરકાર દ્વારા મહાનગરપાલિકાના અને નગરપાલિકાના સફાઈકર્મીઓ માટે રૂ. 25 લાખનું વીમા કવચ લેવાશે. મહેસુલી વિભાગના કર્મચારીઓ પણ 24 કલાક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ કર્મચારીઓ માટે પણ 25 લાખનું વીમા કવચ લેવાનો નિર્ણય કરાયો છે. 17 હજારથી વધુ પરવાના ધારકો અને વિભાગના કર્મચારીઓને 25 લાખનું વીમા કવચ અપાશે. સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ વિતરણ કરતા દુકાન ધારકોનું કોરોનાને કારણે મૃત્યુ થાય તો તેમને પણ 25 લાખ રૂપિયાની સહાય આપવાના નિર્ણયો કર્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કર્મચારીઓ માટે આ નિર્ણય લીધો છે, જેમાં આરોગ્ય કર્મચારીઓનો પણ સમાવેશ કરાશે. 
Apr 5,2020, 16:39 PM IST

Trending news