Covid 19 india 0 News

સુરતનું હાઈટેક કોવિડ સેન્ટર, દરેક બેડ પાસે કિટલી અને બાફ લેવાનું મશીન, દર્દીને ઝૂલવા
સુરતમાં જે રીતે કોરોનાનો કહેર વરસી રહ્યો છે, તે જોતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં ગંભીર પ્રકારના દર્દીઓને પૂરતો ઓક્સિજન જથ્થો મળી રહે તેવા પ્રયાસ સાથે ટેન્ક ઈન્સ્ટોલ કરાઈ છે. નર્સિંગ ક્વાર્ટસ પાસે ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ ટેન્કની ખાસિયત એ છે કે, ઓક્સિજન રિઝર્વ લેવલ પર પહોંચે ત્યારે કંપનીને તાત્કાલિક મેસેજે મળી જશે. જેથી કંપની દ્વારા ટેન્કમાં ઓક્સિજન રિફીલિંગ કરવામાં આવશે. ડિજીટલ સિસ્ટમ દ્વારા કંપનીને ઓક્સિજન રિફીલિંગનો મેસેજ મળે છે. બે-ત્રણ દિવસમાં ઓક્સિજન ટેન્ક કાર્યરત થઈ જશે. હાલ ચાલી રહેલી કોવિડની મહામરીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં 24 કલાકમાં 241 નવા દર્દી નોંધાયા હતા. તો આ સાથે જ કુલ આંકડો 6209 પર પહોંચ્યો છે. 
Jul 7,2020, 12:06 PM IST
શરમ કરો ગુજરાતીઓ, તમે કોરોનાના દર્દીને અંતિમ સંસ્કાર માટે 8 ફૂટ જમીન પણ ન આપી શક્યા
આપણે બીમારીથી લડવાનું છે, બીમારથી નહિ... કોઈને પણ ફોન લગાવો એટલે આવતી કોલરટ્યુટનમાં સૌથી પહેલુ વાક્ય આ જ હોય છે. કોરોના મહામારીમાં કોરોનાના દર્દી સાથે અછૂત જેવો વહેવાર ન કરવાની વારંવાર સરકાર તથા તબીબો દ્વારા સલાહ આપવામા આવે છે. તેમ છતાં લોકો લાગણી ભૂલી જાય છે. ગુજરાતમા એક મૃતદેહ છેલ્લાં 23 કલાકથી અંતિમ સંસ્કાર ઝંખી રહ્યું છે, પણ મોત બાદ પણ મલાજો લોકો સાચવી શક્યા નથી. લાગે છે કે, ગુજરાતીઓની માનવતા મરી પરવારી છે. ભરૂચમાં કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર માટેનો વિવાદ એક દિવસ બાદ પણ શમ્યો નથી. પહેલા બે શહેરોના લોકોએ મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા ના પાડી દીધી, જેથી પોલીસ તંત્ર દ્વારા જ્યારે નદી કિનારે દફનવિધિ કરવાનું નક્કી કર્યું તો ત્યાં પણ લોકો પહોંચી ગયા અને વિરોધ કર્યો. આમ, 23 કલાક બાદ પણ અંતિમવિધિ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. 
Jul 4,2020, 16:07 PM IST
 સુરતમાં કોરોનાને કાબૂમાં લેવા રૂપાણી સરકારનો એક્શન પ્લાન
સુરતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. છેલ્લાં ત્રણ દિવસમાં સુરતમાં કોરોનાના કેસ 650 થી વધુ થઈ ગયા છે. ત્યારે હવે સરકાર માટે સુરતમાં કોરોનાને કન્ટ્રોલમાં કરવુ જરૂરી બની ગયું છે. ત્યારે આ અંગે મહત્વના નિર્ણયો લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે છે. તેઓ પોતાના કાફલા સાથે સુરત પહોંચી ગયા છે. કલેક્ટર કચેરીએ તેનો કાફલો પહોંચી ગયો હતો. જેના બાદ હવે બેઠકોનો દોર શરૂ થયો છે. મુખ્ય સચિવ કે. કૈલાસનાથન અને આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ આ બેઠકમાં સામેલ રહ્યાં છે. આ ઉપરાંત સુરતના વિવિધ 12 ધારાસભ્યો, આરોગ્ય કમિશનર, સરકારી હોસ્પિટલોના ડીન અને સુપરીટેન્ડન્ટ પણ પહોંચ્યા છે. તમામ લોકો સુરતની બગડતી જતી પરિસ્થિતિની સમીક્ષા કરશે. 
Jul 4,2020, 15:30 PM IST
કોરોનાએ માથુ ઉંચકતા અમરેલીમાં 144 ધારા લાગુ કરાઈ, તો કચ્છમાં કોરોનાના આંકમાં ઉછાળો
Jul 1,2020, 8:11 AM IST

Trending news