Unlock 2 News

કોરોનાને રોકવા AMCની નવી રણનીતિ, હોટલ તથા સાર્વજનિક સ્થળોએ ટેસ્ટીંગ શરૂ કર્યાં
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વિસ્ફોટ થઈ રહ્યો છે. આવામાં કોરોનાના કેસને કાબૂમાં રાખવું જરૂરી બની ગયું છે. ત્યારે એએમસી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. એએમસી તંત્ર દ્વારા હવે કોરોનાનું સંક્રમણ રોકવા માટે નવી રણનીતિ બનાવવામાં આવી છે. એએમસી દ્વારા હવે વ્યાપક ટેસ્ટીંગ શરૂ કરાયા છે. જેથી વધુને વધુ કોરોનાના કેસ સામે આવી શકે છે. તેમજ કોરોનાના સંક્રમિતોને રોકી પણ શકાય. તો આ સાથે જ નવી રણનીતિમાં ધાર્મિક સ્થળો, ખાનગી હોટલ તથા સાર્વજનિક સ્થળોએ કોરોનાના ટેસ્ટીંગ કરવાની શરૂઆત કરાઈ છે. Amc દ્વારા પોતાના સફાઈ કર્મીઓના પણ કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. શહેરમાં આવેલી વિવિધ વોર્ડ ઓફિસ અને મસ્ટર સ્ટેશનમાં ટેસ્ટ કરાઈ રહ્યા છે. 
Jul 25,2020, 14:56 PM IST
સૌરાષ્ટ્ર યુનિ.નો મહત્વનો નિર્ણય, પરીક્ષા બાદ જો કોઈ વિદ્યાર્થી સંક્રમિત થશે ટ્રીટમે
Jul 25,2020, 13:03 PM IST
ફીના સરકારી ઠરાવને ખાનગી શાળાઓએ હાઈકોર્ટમાં પડકાર્યો
Jul 25,2020, 12:13 PM IST
અમદાવાદમાં હર્ડ ઈમ્યુનિટી નથી વિકસી, સરવેમાં મળી ચોંકાવનારી માહિતી
Jul 24,2020, 8:09 AM IST
કોરોના વચ્ચે રાજકોટની સ્કૂલે વિદ્યાર્થીઓને ભણવા બોલાવ્યા, સંચાલકની થઈ અટકાયત
રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે આજે રાજકોટમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જે જિલ્લામાં પ્રભારી છે ત્યાંની શાળામાં વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. શાળા બંધ હોવા છતા વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ જ્ઞાનદીપ શાળામાં વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ત્યારે એનએસયુઆઈ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોરોના કહેર વચ્ચે શાળા ખુલ્લી રાખવાનો મામલામાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા શાળા સંચાલકની અટકાયત કરાઈ હતી. જ્ઞાનદીપ વિદ્યાલયના સંચાલક જીતેન્દ્રસિંહની અટકાયત કરાઈ હતી. કલમ 135 અંતર્ગત સંચાલકની અટકાયત કરાઈ હતી. 
Jul 22,2020, 15:16 PM IST
હાઈકોર્ટની વાલીઓને મોટી રાહત, જ્યાં સુધી શાળા ખૂલશે નહિ, ત્યાં સુધી ફી ભરવાથી મુક્તિ
Jul 22,2020, 14:33 PM IST
સુરતનો ITI પાસ ભેજાબાજ ઈસ્માઈલ નકલી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન ઘરે બનાવતો હતો!!!
રાજ્યમાં કોરોનાના દર્દી માટે વપરાતા ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનું જે કૌભાંડ સામે આવ્યું છે, તેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. કોરોનાના રિકવર દર્દીને પણ હાર્ટએટેક આવી જાય તેવા ખુલાસા થયા છે. સુરતમાંથી જે નકલી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન પકડાયું છે, તે ઈન્જેક્શન માત્ર આઈટીઆઈટીઆઈ પાસ યુવક બનાવતો હતો. તે ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના નામે સ્ટીરોઈડ વેચતો હતો. સુરતનો રહેવાસી ઈસ્માઈલ નામના યુવક પોતાના ઘરે સામગ્રી લાવીને સ્ટીરોઈડના મદદથી મોંઘુદાટ ટોસિલિઝુમેબ ઈન્જેક્શન બનાવતો હતો. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું છે.
Jul 19,2020, 15:03 PM IST
ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના કાળા કારોબારનો પર્દાફાશ, નકલી ઈન્જેક્શનનું પગેરુ સુરતમાં પહો
અમદાવાદ અને સુરતમાં નકલી ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર એચ.જી. કોશિયાએ નકલી ટોસિલિઝુમેબ ઈન્જેકશન મામલે નિવેદન આપતા જણાવ્યું કે, સરકાર કોરોના માટે આવશ્યક દવાઓ પરિયાપ્ત માત્રમાં મળે તેના માટે કટિબદ્ધ છે. ટોસિલિઝુમેબ સ્વિત્ઝરલેન્ડમાંથી મંગાવીએ છીએ. મેના પહેલા અઠવાડિયામાં આ દવાનો પ્રયોગ ગાંધીનગરમાં બે દર્દીઓ પર થયો હતો. ત્યારબાદ આ મોંઘી દવા દર્દીઓને બચાવતી હોય તો જથ્થો પૂરો પાડવાનો આદેશ સરકારે કર્યો છે. દર્દીના શરીરમાં કોરોના વાયરસનો જથ્થો વધી જાય એટલે ટોસિલિઝુમેબ ઈન્જેકશન મદદરૂપ નીવડે છે. આ ઈન્જેક્શનના સારા પરિણામ મળ્યા છે. ઈન્જેક્શન આપ્યા બાદ દર્દીને ઓબ્ઝર્વેશનમાં રાખવું જરૂરી હોય છે. રાજ્યની સરકારી હોસ્પિટલને મફતમાં આપ્યા છે. અત્યાર સુધી 6400 ઇન્જેક્શનમાંથી 50 ટકા સરકારી અને 50 ટકા ખાનગી હોસ્પિટલને ફાળવ્યો છે.
Jul 19,2020, 11:37 AM IST

Trending news