Dandi News

મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રા, હેલ્મેટ વગરની બ
ગાંધી વિચારોને જન જન સુધી પહોંચાડવા માટે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ કરાયો છે. જેમા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનૂન ભંગ કરી હેલ્મેટ પહેર્યા વગર જ બાઇક ચલાવી રેલી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતી નિમિત્તે ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં એક યાત્રા દાંડીથી અમદાવાદ સાબરમતી આશ્રમ અને પોરબંદરથી અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી પહોંચશે. પોરબંદરથી વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ યાત્રાની આગેવાની કરી છે. ચાર દિવસ બાદ ગાંધી સંદેશ યાત્રા અમદાવાદ પહોંચશે.
Sep 27,2019, 15:39 PM IST
ભારતની આઝાદીમાં દાંડી બ્રિજનું અનોખું મહત્વ છે....નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નમક સત્યાગ્રહ સ્મારકને ખુલ્લું મૂકવામાં આવશે....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્મારકને રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વફલક પર મૂકશે...નમક સોલ્ટ સત્યાગ્રહ સ્મારકનો રાત્રિના એક્સક્લુઝીવ દ્રશ્યો ZEE 24 કલાકના કેમેરામાં કેદ થયા છે....જેમાં જોઈ શકાય છેકે ગાંધીબાપુની 18 ફૂટની પંચધાતુની પ્રતિમા મૂકાઈ છે....સ્મારકમાં ભૂરા કલરમાં ક્રિસ્ટલ મૂકવામાં આવ્યું છે...તો દાંડીકૂચ દરમિયાન બાપુ સાથે જોડાયેલા 81 આઝાદીના લડવૈયાઓની પ્રતિમાથી દાંડીયાત્રાને જીવંત બનાવવાનો પ્રયાસ કરાયો છે....આ સિવાય ગાંધીજી જે 24 ગામમાં રોકાયા હતા તેની ઝાંખીરૂપે ગામના સ્મારક પણ મૂકાયા છે....મહાત્મા ગાંધીએ જ્યાંથી ચપટી મીઠું ઉપાડ્યું હતું....સૈફી વિલાની સામે 15 એકરમાં તેને બનાવવામાં આવ્યું છે...સ્મારકની વચ્ચે 5 એકરમાં વિશાળ સરોવર તૈયાર કરાયું છે..જે સરોવરમાં મીઠું પકવવામાં આવશે...તો સરોવરની આજુબાજુ પાથ-વે બનાવ્યાંછે...પ્રવાસીઓ માટે અહીં કાફેટેરિયા,પાર્કિગ,લાઈબ્રેરી,હોલ વગેરે જેવી સુવિધાઓ રખાઈ છે...
Jan 29,2019, 11:05 AM IST

Trending news