ISISના 50 સંદિગ્ધો પર ભારતની બાજ નજર, સીરિયા-અફઘાનિસ્તાનથી કરી રહ્યાં છે આતંકીઓની ભરતી

શ્રીલંકામાં થયેલા ISISના આતંકી હુમલાને લઈને ભારતીય તપાસ એજન્સીઓ પણ ખુબ સતર્કતા વર્તી રહી છે. ભારતમાં ISISના હુમલાનો ડર સતત મંડરાતો રહે છે. ભારતીય તપાસ એજન્સીઓ ગુપ્તચર એજન્સીઓની મદદથી 50થી વધુ તે ભારતીય મૂળના ISISના સંદિગ્ધો પર નજર રાખી રહી છે જે અફઘાનિસ્તાન અને સીરિયામાં રહીને ભારતમાં મોટા હુમલાની તૈયારીમાં લાગેલા છે. 
ISISના 50 સંદિગ્ધો પર ભારતની બાજ નજર, સીરિયા-અફઘાનિસ્તાનથી કરી રહ્યાં છે આતંકીઓની ભરતી

નવી દિલ્હી: શ્રીલંકામાં થયેલા ISISના આતંકી હુમલાને લઈને ભારતીય તપાસ એજન્સીઓ પણ ખુબ સતર્કતા વર્તી રહી છે. ભારતમાં ISISના હુમલાનો ડર સતત મંડરાતો રહે છે. ભારતીય તપાસ એજન્સીઓ ગુપ્તચર એજન્સીઓની મદદથી 50થી વધુ તે ભારતીય મૂળના ISISના સંદિગ્ધો પર નજર રાખી રહી છે જે અફઘાનિસ્તાન અને સીરિયામાં રહીને ભારતમાં મોટા હુમલાની તૈયારીમાં લાગેલા છે. 

તપાસ એજન્સીઓને શક છે કે દેશના અલગ અલગ રાજ્યમાંથી ચૂપચાપ અફઘાનિસ્તાન અને સીરિયામાં જઈને વસેલા આ સંદિગ્ધો ભારતમાં યુવાઓને ISISમાં ભરતી કરાવવાના કાવતરામાં લાગેલા છે. તપાસ એજન્સીઓના રિપોર્ટથી એ ખુલાસો થયો છે કે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં જેટલા પણ ISISના આતંકીઓની ધરપકડ થઈ છે તેમાં અત્યાર સુધીમાં યુપીમાંથી સૌથી વધુ ધરપકડ થઈ છે. આવામાં ISISના નિશાના પર યુપી સૌથી વધુ છે. જ્યાં ISIS સતત યુવાઓને પોતાના સંગઠનમાં ભરતી કરાવવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. 

ભારત પર મોટા હુમલાની ફિરાકમાં
શ્રીલંકામાં થયેલા ISISના ફિદાયીન હુમલાની જેમ ભારતમાં પણ ISIS મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. પરંતુ આ સંગઠન હજુ સુધી ભારતમાં આવા કોઈ હુમલાને અંજામ આપી શક્યું નથી. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે આ હુમલાને અંજામ આપતા પહેલા જ આપણી તપાસ એજન્સીઓ ISISના અલગ અલગ મોડ્યુલને સમયસર નિષ્ફળ કરી નાખે છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ અત્યાર સુધી ISIS સંલગ્ન 26 કેસ દાખલ કરી ચૂકી છે અને દેશમાં અલગ અલગ રાજ્યોમાં બનનારા ISISના આવા નેટવર્કને પણ કોઈ પણ કાવતરાને અંજામ આપતા પહેલા જ દબોચી લે છે. 

જુઓ LIVE TV

100થી વધુ સંદિગ્ધોની ધરપકડ
કેન્દ્રીય સુરક્ષા સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ, ભારતીય તપાસ એજન્સીઓ છેલ્લા 5-6 વર્ષોમાં અત્યાર  સુધીમાં 100થી વધુ ISISના સંદિગ્ધ આતંકીઓની ધરપકડ  કરી ચૂકી છે. એટલું જ નહીં અનેક સંદિગ્ધોને ડિ રેડિક્લાઈઝેશન કેમ્પમાં રાખીને તેમને ડી-રેડિક્લાઈઝડ કરવામાં આવ્યાં છે. જે બતાવે છે કે આપણી તપાસ એજન્સીઓ આ જોખમને લઈને કેટલીક ગંભીર છે. 

26થી વધુ મોડ્યુલને નિષ્ફળ કરાયા
ઝી ન્યૂઝને મળેલી જાણકારી મુજબ અત્યાર સુધીમાં અલગ અલગ રાજ્યોમાંથી 100થી વધુ ISIS સંદિગ્ધોની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે 26થી વધુ ISISના મોડ્યુલને સમયસર નિષ્ફળ કરવામાં આવ્યાં છે. 100ની આસપાસ સંદિગ્ધોની ધરપકડ થઈ છે. જેમાંથી 53 નોર્થ ઈન્ડિયા એટલે કે યુપી,  બિહાર, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાંથી છે, જ્યારે બાકીના દક્ષિણ ભારતના કેરળ, તેલંગાણા, તામિલનાડુ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી છે. 

તપાસ એજન્સીના રિપોર્ટથી જાણવા મળે છે કે સૌથી વધુ જે રાજ્યોમાંથી ISISના સંદિગ્ધોની ધરપકડ થઈ છે તેમાં ઉત્તર પ્રદેશ પહેલા નંબરે છે. યુપીમાંથી અત્યાર સુધીમાં 26 ISISના શંકાસ્પદોની ધરપકડ થઈ છે. ત્યારબાદ કેરળ-16, તામિલનાડુ-14, મહારાષ્ટ્ર-15 અને તેલંગાણામાંથી 15 ISISના સંદિગ્ધોની ધરપકડ થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news