પાકિસ્તાનના જ્ઞાની નેતાઓ એકે કહ્યું તીડ ખાવાની કોરોના થશે ખતમ, બીજાએ કહ્યું કોવિડ 19 વાયરસને 19 પગ છે

પાકિસ્તાનના સાંસદ રિયાઝ ફાટયાનાએ બુધવારે કોરોના વાયરસ પર કાબુ મેળવવા માટેનો નુસ્ખો જણાવ્યો. સંસદમાં કોરોના અંગે ચર્ચા કરતા રિયાઝે કહ્યું કે, તીડ ખાવાને કારણે ઇમ્યુનિટી વધે છે. સરકાર આ દાવાની તપાસ કરાવે. લોકોને તીડ ખાવાની મંજુરી આપે. પાકિસ્તાન પોતે જ કોરોના વાયરસનું કામ તમામ કરી દેશે. રિયાઝ ઇમરાન ખાનની પાર્ટી તહરીક એ ઇન્સાફના સાંસદ છે. ત્રણ દિવસ પહેલા જ કેબિનેટ મંત્રી જરતાલ ગુલે જણાવ્યું હતું કે, કોવિડ 19 નો અર્થ છે કે વાયરસમાં 19 પોઇન્ટ છે.
પાકિસ્તાનના જ્ઞાની નેતાઓ એકે કહ્યું તીડ ખાવાની કોરોના થશે ખતમ, બીજાએ કહ્યું કોવિડ 19 વાયરસને 19 પગ છે

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના સાંસદ રિયાઝ ફાટયાનાએ બુધવારે કોરોના વાયરસ પર કાબુ મેળવવા માટેનો નુસ્ખો જણાવ્યો. સંસદમાં કોરોના અંગે ચર્ચા કરતા રિયાઝે કહ્યું કે, તીડ ખાવાને કારણે ઇમ્યુનિટી વધે છે. સરકાર આ દાવાની તપાસ કરાવે. લોકોને તીડ ખાવાની મંજુરી આપે. પાકિસ્તાન પોતે જ કોરોના વાયરસનું કામ તમામ કરી દેશે. રિયાઝ ઇમરાન ખાનની પાર્ટી તહરીક એ ઇન્સાફના સાંસદ છે. ત્રણ દિવસ પહેલા જ કેબિનેટ મંત્રી જરતાલ ગુલે જણાવ્યું હતું કે, કોવિડ 19 નો અર્થ છે કે વાયરસમાં 19 પોઇન્ટ છે.

કોરોના સંકટ અને રિયાઝનો દાવો
પાકિસ્તાની સંસદમાં બુધવારે કોરોના સંકટ અંગે ચર્ચા થઇ. સરકાર તરફથી બોલનારાઓની યાદીમાં રિયાઝનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, લોકો માને છે કે, તીડ ખાવાથી કોરોના વાયરસથી બચી શકાય છે. તેને ખતમ કરી શકાય છે. આ અંગે સંશોધન થવું જોઇએ. જો તે સાબિત થાય છે તો પાકિસ્તાની લોકો પોતાનાં જ દમ પર જ કોરોનાનું કામ તમામ કરી દેશે. સરકારે કાંઇ જ કરવાની જરૂર નહી પડે. 

— Zubair Faisal Abbasi گھر میں رہو تو بہتر ہے (@zubairabbasi) June 24, 2020

સંસદીય સમિતીનાં અધ્યક્ષ છે રિયાઝ
રિયાઝ કાયદો અને વ્યવસાય મુદ્દાની સંસદીય સમિતીના અધ્યક્ષ પણ છે. થોડા દિવસો પહેલા જ તેને મોંઘવારી ઘટાડવા અંગે પણ ભલામણ કરી હતી. જો મોંઘવારી પર કાબુ મેળવવો હોય તો લોકોએ તે વસ્તુઓ ન ખાવી જોઇએ જે મોંઘી હોય. આ ભલામણ તેણે ત્યારે કરી જ્યારે પાકિસ્તાનમાં અનાજ અને દાળ ખુબ જ મોંઘા થઇ ગયા હતા. 

કેબિનેટ મંત્રીનું જ્ઞાન પણ વાયરલ
21 જુને પાકિસ્તાનની ગ્લોબલ વોર્મિંગ જરતાજ ગુલે કોવિડ 19 ની એક અલગ જ પરિભાષા આપી હતી. એક ઇન્ટરવ્યુમાં ગુલે કહ્યું કે, કોવિડ 19નો અર્થ તેમાં 19 પોઇન્ટ છે.તે કોઇ પણ દેશમાં ગમે તે પ્રકારે એપ્લાય થઇ શકે છે. આપણે આપણી ઇમ્યુનિટી ડેવલપ કરવી જોઇએ. 

— Naila Inayat नायला इनायत (@nailainayat) June 20, 2020

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news