Business Ke Baazigar: અંબાણી-અદાણી નહીં, પ્રથમ ખાનગી હિલ સ્ટેશનના માલિક પાસે છે 68000 કરોડની સંપત્તિ

Lavasa Project: છેલ્લા કેટલાક વર્ષોમાં જમીન અને પર્યાવરણીય નિયમોને કારણે લવાસા પ્રોજેક્ટ વિવિધ વિવાદોમાં ફસાઈ ગયો છે. આ પ્રોજેક્ટની નાણાકીય સમસ્યાઓને દૂર કરવાની પ્રક્રિયા 2018માં શરૂ થઈ હતી.
 

Business Ke Baazigar: અંબાણી-અદાણી નહીં, પ્રથમ ખાનગી હિલ સ્ટેશનના માલિક પાસે છે 68000 કરોડની સંપત્તિ

Success Story: મુંબઈ સ્થિત બિઝનેસમેન અને ડાર્વિન પ્લેટફોર્મ ગ્રૂપ ઓફ કંપનીઝના ચેરમેન અજય હરિનાથ સિંઘ (Ajay Harinath Singh) દેશના પ્રથમ ખાનગી હિલ સ્ટેશન લવાસાને (Lavasa) ટેકઓવર અને કાયાકલ્પ કરવાનું વચન આપીને ભૂતકાળમાં હેડલાઈન્સ બનાવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ આ વર્ષે જુલાઈમાં લવાસા સ્માર્ટ સિટી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. NCLT વતી, આ પ્રોજેક્ટ અજય હરિનાથ સિંહની આગેવાની હેઠળના ડાર્વિન પ્લેટફોર્મ ગ્રુપને આપવામાં આવ્યો હતો.

1,814 કરોડનો રિઝોલ્યુશન પ્લાન મંજૂર
નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયા શરૂ થયાના લગભગ પાંચ વર્ષ પછી, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ ખાનગી હિલ સ્ટેશન લવાસા માટે રૂ. 1,814 કરોડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. ડાર્વિન પ્લેટફોર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (DPIL) એ લવાસા કોર્પોરેશન લિમિટેડની બિડ જીતી છે. કંપની મુખ્યત્વે પૂણેમાં સમાન નામથી ખાનગી હિલ સ્ટેશનના વિકાસના વ્યવસાયમાં સંકળાયેલી છે.

20,000 એકરમાં ફેલાયેલો છે વિસ્તાર
મુંબઈથી લગભગ 180 કિમી દૂર, લવાસા 20,000 એકરના વિશાળ વિસ્તારમાં આવેલું છે. લવાસા એક એવો પ્રોજેક્ટ છે જે પ્રથમ ખાનગી શહેરનો વિકાસ કરી રહ્યો હતો. HCC દ્વારા વર્ષ 2000માં શરૂ કરાયેલ લવાસા પ્રોજેક્ટ છેલ્લા કેટલાક વર્ષોમાં જમીન અને પર્યાવરણીય નિયમોને કારણે વિવિધ વિવાદોમાં ફસાઈ ગયો છે. આ પ્રોજેક્ટની નાણાકીય સમસ્યાઓને દૂર કરવાની પ્રક્રિયા 2018માં શરૂ થઈ હતી. જેણે પણ આ પ્રોજેક્ટમાં ઘર ખરીદવા માટે પૈસા રોક્યા છે તે પૈસા પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે.

ડાર્વિન પ્લેટફોર્મ ગ્રુપની સ્થાપના 2010માં કરવામાં આવી હતી
ડાર્વિન પ્લેટફોર્મ ગ્રુપની સ્થાપના અજય હરિનાથ સિંહ દ્વારા 2010માં કરવામાં આવી હતી. DPIL ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ટ્રાક્ટ અને સેવાઓમાં રોકાયેલી કંપની છે. તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિફાઈનરીઓ, રિટેલ અને હોસ્પિટાલિટી જેવા વિવિધ ક્ષેત્રોમાં પણ કામ કરે છે. લવાસા પ્રોજેક્ટ મેળવ્યા પછી, અજય હરિનાથ સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમારું જૂથ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધ છે અને અમારું વિઝન ભારતને આર્થિક મહાસત્તા બનાવવાના PM અને ગૃહ પ્રધાનના મિશન સાથે સંપૂર્ણપણે સુસંગત છે.' NCLTએ અમને દેશમાં મહત્વાકાંક્ષી વિશ્વ કક્ષાની સ્માર્ટ સિટી વિકસાવવાનું પડકારજનક કાર્ય સોંપ્યું છે. આ નિર્ણય રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news