અમદાવાદ આવી રહેલી લક્ઝરીનો ટ્રક સાથે અકસ્માત, 3નાં મોત, 15થી વધારે ઇજાગ્રસ્ત

ભરૂચ હાઇવે પર આવેલા વડદલા ગામ નજીક લક્ઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ મુસાફરોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 15થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 2 લોકોની સ્થિતી હજી પણ ગંભીર હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે. 
અમદાવાદ આવી રહેલી લક્ઝરીનો ટ્રક સાથે અકસ્માત, 3નાં મોત, 15થી વધારે ઇજાગ્રસ્ત

ભરૂચ : ભરૂચ હાઇવે પર આવેલા વડદલા ગામ નજીક લક્ઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ મુસાફરોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 15થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 2 લોકોની સ્થિતી હજી પણ ગંભીર હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર બસ સુરતથી અમદાવાદ તરફ જઇ રહી હતી. તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે સ્થાનિક તંત્ર દ્વારા પણ રોડ પર રહેલા ખટારા અને બસને સાઇડમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માતને પગલે સમગ્ર રોડ પર ભારે ટ્રાફીક જામની સ્થિતી સર્જાઇ છે. જેથી તંત્ર દ્વારા રોડ પરથી કાટમાળ હટાવીને ટ્રાફીક ક્લિયર કરાવવાની કામગીરી આરંભી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news