ખૂન કા બદલા ખૂન: સગીર હોવાથી જેલમાંથી છૂટી જતાં મોટો થવાની રાહ જોઈ, થયા મોટા ખુલાસા

અમદાવાદના સરદારનગર પોલીસના શકાંજામાં દેખાતા આ બે આરોપીઓના નામ છે રવિ મોહન પરમાર અને અજય મોહન પરમાર છે. આ બંને ભાઈઓ સહિત અન્ય નરેશ પરમાર અને ભરત પરમાર નામના શખ્સો એ ભેગા મળીને 13 જુલાઈના મોડી રાત્રે પ્રિન્સ વાઘેલા નામના યુવકની હત્યાને અંજામ આપ્યો હતો.

ખૂન કા બદલા ખૂન: સગીર હોવાથી જેલમાંથી છૂટી જતાં મોટો થવાની રાહ જોઈ, થયા મોટા ખુલાસા

ઝી બ્યુરો/અમદાવાદ: વર્ચસ્વ સ્થાપવા અને હત્યાના બદલામાં હત્યાનો બનાવ બન્યો છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં જેમાં પોલીસે 5 પૈકી 2 આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. શું છે સમગ્ર ઘટના? અમદાવાદના સરદારનગર પોલીસના શકાંજામાં દેખાતા આ બે આરોપીઓના નામ છે રવિ મોહન પરમાર અને અજય મોહન પરમાર છે. આ બંને ભાઈઓ સહિત અન્ય નરેશ પરમાર અને ભરત પરમાર નામના શખ્સો એ ભેગા મળીને 13 જુલાઈના મોડી રાત્રે પ્રિન્સ વાઘેલા નામના યુવકની હત્યાને અંજામ આપ્યો હતો. જે મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં હત્યા નો ગુનો નોંધી પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. મૃતક પ્રિન્સ છેલ્લા એક વર્ષથી મહેસાણામાં રહેતો હતો. 

મૃતક પ્રિન્સના માતાને ઘર બદલવું હોય પૈસાની જરૂર હોવાથી સરદારનગરમાં મામાના ત્યાં 12 જુલાઈએ આવ્યો હતો, જે દરમિયાન રાતના સમયે આરોપીઓએ તેને વિસ્તારમાં જોઈને માર મારી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. આ મામલે મૃતકની માતા આશાબેન વાઘેલાએ ફરિયાદ નોંધાવતા બે આરોપીઓને પકડવામાં આવ્યા છે.

પકડાયેલા આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે, એક વર્ષ પહેલાં આ ઘટનાનો મૃતક પ્રિન્સ વાઘેલા અને તેની સાથેના કેશાજી વાઘેલા, કાળુભાઈ વાઘેલા તેમજ શંકર વાઘેલા આ ચાર જણા એ ભેગા મળીને ગોપી પરમાર નામના યુવકની 5 જૂન 2023 ના રોજ હત્યાને અંજામ આપ્યો હતો. તે સમયે ભરત પરમારને પાડોશમાં રહેતા કાળુભાઈ વાઘેલાની પત્ની સાથે ટેલિફોનિક વાતચીત કરતા પકડાઈ જતા ઝઘડો થયો હતો. 

સમાજની પંચાયત બેસાડી સમાધાન કર્યું હતું અને જેના કારણે ભરત પરમારે મકાન પણ બદલી નાખ્યું હતું. જોકે બાદમાં તેઓ વિસ્તારમાં પરત જતા ઝઘડો થતાં ચારે જણા એ ભેગા મળીને મારામારી કરતા ગોપી પરમારનું મોત થયું હતું. જે મામલે ભરત પરમારે પ્રિન્સ સહિતના 4 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પ્રિન્સ તે સમયે સગીર હોય પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થઈ ગયો હતો અને માતા સાથે મહેસાણા રહેતો હતો.

આ ગુનામાં સામેલ અજય પરમાર અગાઉ બે વખત મારામારીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલ તો પોલીસે ગુનામાં સામેલ ફરાર બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ કેસમાં વિસ્તારમાં વર્ચસ્વ વધારવા અને બદલો લેવા માટે આ ગુનાને અંજામ આપ્યો હોય પોલીસે પકડાયેલ આરોપીની વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news