અરવલ્લી: સમાજ પ્રેમ નહી સ્વિકારે તેવી આશંકાએ સગીર યુગલે મંદિર પાછળ કરી આત્મહત્યા

અરવલ્લી જીલ્લાનાં માલપુરમાં પ્રેમી યુગલ રવિવારે ઘરેથી ભાગી ગયા હતા. ત્યાર બાદ મંગળવારે ગેલીમાતાના મંદિર પાછળનાં ડુંગર પર ઝાડ પરથી લટકતા બંન્નેનાં મૃતદેહ મળી આવ્યા હતા. જેના કારણે ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંન્નેનાં મૃતદેહને નીચે ઉતાર્યા હતા. પંચનામું કર્યા બાદ બંન્ને મૃતદેહને માલપુર સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરવા માટે ખસેડવામાં આવ્યા છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અરવલ્લી: સમાજ પ્રેમ નહી સ્વિકારે તેવી આશંકાએ સગીર યુગલે મંદિર પાછળ કરી આત્મહત્યા

અરવલ્લી: અરવલ્લી જીલ્લાનાં માલપુરમાં પ્રેમી યુગલ રવિવારે ઘરેથી ભાગી ગયા હતા. ત્યાર બાદ મંગળવારે ગેલીમાતાના મંદિર પાછળનાં ડુંગર પર ઝાડ પરથી લટકતા બંન્નેનાં મૃતદેહ મળી આવ્યા હતા. જેના કારણે ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંન્નેનાં મૃતદેહને નીચે ઉતાર્યા હતા. પંચનામું કર્યા બાદ બંન્ને મૃતદેહને માલપુર સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરવા માટે ખસેડવામાં આવ્યા છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર માલપુર નગરમાં રહેતા 17 વર્ષીય સગીર યુવકને નજીકમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે પ્રેમ થતા એકબીજાને પ્રેમમાં ઓતપ્રોત બન્યા હતા. આ પ્રેમી યુગલે સાથે જીવવાનાં કોલ આપ્યા હતા. જો કે સમાજ તેમનો પ્રેમ નહી સ્વીકારે અને એક બીજાને એક નહી થવા દે તેવો અહેસાસ થતા સગીર પ્રેમી યુગલે બંન્ને સાથે જીવી ન શકે તો કાંઇ નહી પરંતુ મરી તો શકે તેવા વિચાર સાથે અંતિમ પગલું ઉઠાવ્યું હતું. 

રવિવારે બંન્ને પોતાનું ઘર છોડીને નિકળી ગયા હતા. જો કે માલપુર નજીક આવેલા ગેલી માતાના મંદિર પાછળનાં ઝાડ પર દોરડુ બાંધીને બંન્નેએ સજોડે આત્મહત્યા કરી હતી.બંન્ને પ્રેમી યુગલે ન માત્ર પ્રેમનો પરંતુ જીવનનો અંત આણી દીધો હતો. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં વાત વાયુવેગે પ્રસરી ગઇ હતી અને ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news