LRDની પરીક્ષામાં અકસ્માતે મોત થયેલા ઉમેદવારના પરિવારને CMએ જાહેર કરી સહાય

મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી પરીક્ષાર્થીઓના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે.

LRDની પરીક્ષામાં અકસ્માતે મોત થયેલા ઉમેદવારના પરિવારને  CMએ જાહેર કરી સહાય

ગાંધીનગર: રવિવારે (2 ડિસેમ્બરે) યોજાયેલી લોકરક્ષક દળની પરીક્ષામાં પેપર લીક થતા મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા સ્થળ પરથી પાછા ફર્યા હતા. લગભગ 9 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા સ્થાળેથી પાછા ફરી રહ્યા હતે તે દરમિયાન આશરે 2 જેટલા ઉમેદવારોના અક્સ્માતમાં મોત થયા હતા. જે લોકોના પરીક્ષામાં અકસ્માતે મોત થયા તેમના પરિવારને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 4 લાખની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી પરીક્ષાર્થીઓના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે, વિજાપુરમાં જતીનસિંહ વિહોલ નામના એક વિદ્યાર્થીનું બસની ટક્કરે મૃત્યું થયું હતું. જેમના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાયની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે લોકરક્ષક દળની પરીક્ષાનું આયોજન કરાવમાં આવ્યું હતું. પરંતુ પેપર લીક થઇ જતા આ પરીક્ષાને રદ કરવામાં આવી હતી. આ ઘટનાને લઇને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યા હતો. ત્યારે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ લોકરક્ષક દળની પરીક્ષા આપીને પરત ફરતા 2 લોકોના અકસ્માતમાં મોત થયા હતા. જ્યારે અન્ય 6 લોકોને ઇજા પહોંચી હતી.

મહેસાણાથી અમદાવાદ લોકરક્ષક દળની પરીક્ષા આપવા આવેલા યુવકનું એસટી બસની ટક્કરે મોત થયું હતું. મહેસાણાથી બાઇક વિહોલ જતિનસિંહ પ્રદીપસિંહ નામનો 26 વર્ષયી યુવક અને તેનો મિત્ર લોકરક્ષક દળની પરીક્ષા આપવા અમદાવાદ આવ્યા હતા. પરંતુ પરીક્ષા રદ કરવામાં આવતા તે નિરાશ થઇને પરત તેને ઘરે જઇ રહ્યો હતો. તે દરમિયાન ગાંધીનગર બાવલા ચોકડી નજીક એસટી બસની ટક્કરથી તેનું મોત થયું હતું. જ્યારે તેની સાથે આવેલા તેના એક મિત્ર ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news