ગુજરાત હવે સરેરાશ 600 કોરોના દર્દીઓની દીશામાં, 577 પોઝિટિવ,18 લોકોનાં મોત

રાજ્યમાં આજ રોજ 577 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 410 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,45,278 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 18 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ-12, સુરત-3  વ્યક્તિનું મોત નિપજ્યા છે. ગાંધીનગરનાં 2, અને સુરેન્દ્રનગરનાં 1 વ્યક્તિનો સમાવેશ થાય છે.  અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1754 પર પહોંચ્યો છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,29,768 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,26,116 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3652 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

ગુજરાત હવે સરેરાશ 600 કોરોના દર્દીઓની દીશામાં, 577 પોઝિટિવ,18 લોકોનાં મોત

ગાંધીનગર: રાજ્યમાં આજ રોજ 577 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 410 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,45,278 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 18 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ-12, સુરત-3  વ્યક્તિનું મોત નિપજ્યા છે. ગાંધીનગરનાં 2, અને સુરેન્દ્રનગરનાં 1 વ્યક્તિનો સમાવેશ થાય છે.  અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1754 પર પહોંચ્યો છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,29,768 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,26,116 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3652 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

આજના રાજ્યમાં કુલ 410 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં અમદાવાદમાં 216, સુરતમાં 46, વડોદરામાં 51, મહેસાણામાં જામનગરમાં 6, નર્મદા 2, ગાંધીનગર 36, રાજકોટ કોર્પોરેશન 3, ભરૂચ 11, વલસાડ 0, આણંદમાં 8, પંચમહાલમાં 3, ખેડા 3, રાજકોટમાં 5, ભાવનગર કોર્પોરેશનમાં 1, જૂનાગઢ કોર્પોરેન 3, જામનગર1, અમરેલી 2, સાબરકાંઠામાં 4, સુરેન્દ્રનગરનાં 3, મોરબી 1, વડોદરા 1 અને બનાસકાંઠાનાં 4 નાગરિકોનો સમાવેશ થાય છે. 

રાજના રાજ્યમાં 577 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 225, સુરત કોર્પોરેશન 152, વડોદરા કોર્પોરેશન 44, અમદાવાદમા 13, સુરતમાં 12, જામનગર કોર્પોરેશન 11, નર્મદા 11, ગાંધીનગર 10,રાજકોટ કોર્પોરેશન 9, ભરૂચ 9, વલસાડ 8, આણંદ 7, પંચમહાલ 6, ખેડા 6,  ગાંધીનગર કોર્પોરેશન 5, રાજકોટ 5, કચ્છ 5, નવસારી 5, ભાવનગર કોર્પોરેશન 4, જૂનાગઢ કોર્પોરેશન 4, મહેસાણા 4, ગીર સોમનાથ 4, જામનગર 3, અમરેલી 3, અરવલ્લી 2, સાબરકાંઠા 2, પાટણ 2, સુરેન્દ્રનગર 2, ભાવનગર 1, બોટાદ 1, દાહોદ 1, મોરબીમાં 1 કે નોંધાયા છે આ પ્રકારે કુલ 577 કેસ નોંધાયા છે.  રાજ્યમાં હાલ કુલ કુલ એક્ટિવ કેસ 6,318 છે. જેમાં વેન્ટીલેટર પર 66 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ 6251 દર્દીઓ છે. જ્યારે 21,506 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો કુલ મૃત્યુઆંક 1754 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news