વાઈબ્રન્ટ ગુજરાત પહેલા દાદાની સરકારની મોટી જાહેરાત : GIDC ની વણવપરાયેલી જમીનને લઈને કરી મોટી જાહેરાત

Gujarat Government Big Decision : જીઆઇડીસી ના વણવપરાયેલા પ્લોટ સ્વેછીક રીતે પરત કરવાની નીતિ જ સરકારે જાહેર કરી... રાજ્યમાં 1800 હેક્ટર જમીન વણ વપરાયેલી પડી હોવાના કારણે આ નીતિ બનાવી... સ્વૈચ્છિક રીતે જીઆઇડીસીનો પ્લોટ પરત કરનારને લીધેલ કિંમત કે પછી વર્તમાન કિંમતના 75% મહત્તમ રકમ પરત આપવામાં આવશે... જેના કારણે નવા ઉદ્યોગ સાહસિકોને આ પ્લોટ નો ઉપયોગ કરવા આપી શકાય... જેનાથી આર્થિક અને રોજગારી ક્ષેત્રે મહત્તમ લાભ રાજ્યને મળી શકે
 

વાઈબ્રન્ટ ગુજરાત પહેલા દાદાની સરકારની મોટી જાહેરાત : GIDC ની વણવપરાયેલી જમીનને લઈને કરી મોટી જાહેરાત

Gandhinagar News : ગુજરાત સરકારનો સૌથી મોટો મહોત્સવ વાઈબ્રન્ટ ગુજરાત માટે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ઉદ્યોગકારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્યની જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ સ્વૈચ્છિક પરત આપવાના કિસ્સામાં પ્લોટધારકોને ફાળવણી સમયે ભરપાઈ કરેલી કિંમત અને હાલની ફાળવણી કિંમતના 75 ટકા સુધીની મહત્તમ મર્યાદામાં રકમ પરત અપાશે. 

રાજ્યની વિવિધ જીઆઈડીસીમાં અંદાજે 1800 હેક્ટર વણવપરાશી જમીનમાં નવા ઉદ્યોગો સ્થાપી શકાશે. સરકારના આ નિર્ણયથી રોજગાર સર્જન અને આર્થિક વિકાસને વેગ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ પરત લઈને ઉદ્યોગોની સ્થાપના દ્વારા તેનો પુનઃ વપરાશ થઈ શકે તે માટે ઉદારતમ નીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે.

ઉદ્યોગકારોને ઉદ્યોગોની સ્થાપના માટે રાજ્યની જીઆઈડીસીમાં જમીન સંપાદન કરીને લીઝ પર ફાળવવામાં આવે છે. આવા ફાળવાયેલા પ્લોટધારક જો પ્લોટનો વપરાશ કરવા સક્ષમ ન હોય તો જીઆઈડીસીને પ્લોટ સ્વૈચ્છિક રીતે પરત સોંપી શકે તેવી પદ્ધતિ હાલ અમલમાં છે. આવા પ્લોટની સ્વૈચ્છિક પરત સોંપણીના કિસ્સાઓમાં પ્લોટધારકને પ્લોટની હાલની ફાળવણી કિંમતની સાપેક્ષમાં ખૂબ જ ઓછી રકમ પરત મળતી હોય છે. આ સંજોગોમાં પ્લોટધારકો સ્વૈચ્છિક પરત સોંપણી માટે પ્રોત્સાહિત થતાં નથી અને પ્લોટની જમીન વણવપરાયેલી પડી રહે છે. 

મુખ્યમંત્રીએ હવે આ સ્થિતિનું સકારાત્મક નિવારણ લાવવા ઉદાર પોલીસી અપનાવવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર, આવા પ્લોટ સ્વૈચ્છિક પરત સોંપવાના કિસ્સામાં પ્લોટધારકે ફાળવણી સમયે ભરપાઈ કરેલી ફાળવણી કિંમત અને જીઆઈડીસીની હાલની ફાળવણી કિંમતના 75 ટકા સુધીની મહત્તમ મર્યાદામાં પ્લોટધારકને રકમ પરત કરવામાં આવશે. 

મુખ્યમંત્રીના આ નિર્ણયના પરિણામે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણવપરાશી એવી અંદાજે 1800 હેક્ટર જમીન ઉદ્યોગો સ્થાપવા માટે ઉપલબ્ધ બનશે. એટલું જ નહિ, આર્થિક વિકાસ સાથે રોજગાર સર્જનને પણ વેગ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news