ગુજરાતી પરિવાર 200 કરોડની સંપત્તિ દાન કરી સંન્યાસી બન્યો, ધન-દૌલત બધુ ત્યજી દીધું

Jain Samaj Diksha : 22 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાનારા જૈન સમાજના ભવ્ય દીક્ષા સમારોહમાં એકસાથે 36 લોકો દીક્ષા લેશે, જેમા સાબરકાંઠાનો કરોડપતિ ભંડારી પરિવાર પણ દીક્ષા લેશે 

ગુજરાતી પરિવાર 200 કરોડની સંપત્તિ દાન કરી સંન્યાસી બન્યો, ધન-દૌલત બધુ ત્યજી દીધું

Jain Samaj Diksha : હાલ ગુજરાતના સાબરકાંઠાનો ભંડારી પરિવાર 200 કરોડની સંપત્તિ દાન કરીને ચર્ચામાં આવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરના રહેવાસી ભાવેશ ભંડારી અને તેમના પતની જીનલ ભંડારીએ જૈન દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. ભાવેશ ભંડારીએ પોતાની કરોડોની સંપત્તિ દાન કરી દીધી છે. તેમણે સાંસારિક મોહ ત્યજીને સંયમના માર્ગે નીકળવાનું નક્કી કર્યું છે. 

બે વર્ષ પહેલા સાંસારિક જીવન ત્યજી દીધું

ભંડારી પરિવાર પહેલાથી જ ધાર્મિક હતો. તેઓ પહેલાથી જ જૈન સમાજના સંતોના સત્સંગમાં રહેતો હતો. તેથી સૌથી પહેલા વર્ષ 2022 ના વર્ષમાં ભાવેશ ભંડારીના 16 વર્ષીય દીકરા અને 19 વર્ષની દીકરીએ દીક્ષા લીધી હતી. બંનેએ બે વર્ષ પહેલા સાંસારિક જીવન ત્યજી દીધું હતું. આખરે વર્ષ 2024 માં ભાવેશભાઈ અને તેમની પત્નીએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. 

200 કરોડથી વધુની સંપત્તિ ત્યજીને દાન આપી દીધી

આ માટે ભાવેશ ભંડારીએ સાંસારિક મોહમાયાથી અંતર બનાવી લીધું છે. તેઓએ પોતાની અંદાજિત 200 કરોડથી વધુની સંપત્તિ ત્યજીને દાન આપી દીધી છે. તેમણે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા હતા.  સંન્યાસી બનવા જઈ રહેલા ભાવેશ ભંડારી અને તેમની પત્ની જીનલ ભંડારીની ભવ્ય શોભાયાત્રા હિંમતનગરના રસ્તાઓ પર નીકળી હતી. અંદાજે ચાર કિલોમીટર લાંબી શોભાયાત્રામાં તેઓએ નીકળ્યા હતા.  

36 લોકો દીક્ષા લેશે 
ભાવેશ ભંડારી અને તેમના પત્ની જીનલ ભંડારી આગામી 22 એપ્રિલના રોજ સંયમનો માર્ગ અપનાવવા જઈ રહ્યાં છે. 22 એપ્રિલના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાનાર દીક્ષા સમારોહમાં ભાવેશ ભંડારી, જીનલ ભંડારી સહિત 36 વ્યક્તિઓ દીક્ષા ગ્રહણ કરશે.   

કેવી રીતે લેવાય છે દીક્ષા
જૈન સમાજમાં દીક્ષાનું અનેરું મહત્વ હોય છે. જેમાં લોકો સાંસારિક મોહમાયા ત્યજીને સંયમનો માર્ગ અપનાવતા હોય છે. જેમાં લોકો પોતાની ધન, દૌલત બધુ જ પાછળ છોડીને સંયમના માર્ગે નીકળી જતા હોય છે. જૈન સમાજની આ વિધિ એક કઠિન પરીક્ષા છે. પરંતુ બધાની દીક્ષા મળતી નથી. જૈન સમાજની ભગવતી દીક્ષા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ બ્રહ્મચર્ય અને ઔચર્ય જેવા પાંચ મહાવ્રતનું પાલન કરવું પડે છે. સંસારના બધા જ મોહ ત્યજી દીક્ષાર્થીઓ ધન મિલકતનું દાન કર્યા પછી સમગ્ર જીવન પોતાની પાસે કોઈ પણ પ્રકારની ધન મિલકત રાખતા નથી. સંધ્યા બાદ આ જૈન સાધી સાધ્વીઓ ભોજન અને પાણી ગ્રહણ કરતા નથી તો બપોરે પણ ભોજન માટે ઘરોઘર ગોચરી લેવા જવું પડે છે. તો સાથે જ સમગ્ર જીવન વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કર્યા વિના માત્ર સ્વાધ્યાય, સેવા અને વૈયાવચ દ્વારા જીવન નિર્વાહ કરવું પડે છે.

લોકો મુમુક્ષુ આત્માઓના આશીર્વાદ રૂપ તેને સ્વીકાર કરે છે

જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરવા પહેલા અનેક પ્રસંગો યોજાતા હોય છે. દીક્ષાર્થીઓ માટે માળા મુહૂર્ત, સ્વસ્તિક વિધિ યોજાયા બાદ તેમના સંપૂર્ણ ધન મિલકતનું દાન કરવા વર્શિદાન યોજવામાં આવે છે. પહેલાના સમયમાં દીક્ષાર્થીઓ જાહેર માર્ગ પર પોતાની પાસે રહેલી બધું ધન લોકોને દાન કરતા હતા જો કે હવે મોટાભાગે લોકો દીક્ષા સ્થળ પર હાજર લોકોને એક બાદ એક દાન આપતા હોય છે. આ દાન આર્થિક રૂપે નહીં પરંતુ આધ્યાત્મિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે અને લોકો મુમુક્ષુ આત્માઓના આશીર્વાદ રૂપ તેને સ્વીકાર કરે છે. વર્શિદાન બાદ તેમનો ભવ્ય વિદાય કાર્યક્રમ યોજવામાં આવે છે જે તેમના જીવનના આ મોટા બદલાવ માટે ખૂબ મહત્વ ધરાવે છે. વિદાય બાદ દીક્ષાર્થીઓ પોતાનું વેશ પરિવર્તન કરી રંગબેરંગી કપડાં મૂકી સાધુઓના સફેદ વસ્ત્ર ધારણ કરી પોતાના શરીરના વાળનું પણ ત્યાગ આપે છે. તો ગુરુ ભગવંતો દ્વારા દીક્ષાર્થીઓને પાઠ ભણાવ્યાના એક સપ્તાહ બાદ તેમની વડી દીક્ષા યોજાય છે જેમાં શાસ્ત્રોક્ત વિધિ થકી તેમને પૂર્ણરૂપે સાધુ માનવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news