અમદાવાદના નવરંગપુરા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ, ગેરરીતિના કેસોમાં થયો ધટાડો

આજે રાજ્યમાં ધો.12ની પરીક્ષાનું 76.29 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદ શહેરનું 73.58 ટકા જ્યારે જિલ્લાનું 75.20 ટકા પરિણામ આવ્યું છે.

અમદાવાદના નવરંગપુરા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ, ગેરરીતિના કેસોમાં થયો ધટાડો

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહી અને સંસ્કૃત માધ્યમનું પરિણામ આજે વહેલી સવારે 5 વાગે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની સત્તાવાર વેબસાઈટ www. gseb. org પરથી વિદ્યાર્થીઓ પરિણામ જોઇ શકશે. વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી પરિણામની કોપી ડાઉનલોડ કરી શકશે. 

અમદાવાદમાંથી અંદાજે 62,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે.  માર્ચ 2020માં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાઇ હતી. વિદ્યાર્થીઓ હાલમાં માત્ર ઓનલાઈન જ પરિણામ જોઈ શકે છે. માર્કશીટ માટે બોર્ડ દ્વારા નવી તારીખ જાહેર કરાશે. 

આજે રાજ્યમાં ધો.12ની પરીક્ષાનું 76.29 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદ શહેરનું 73.58 ટકા જ્યારે જિલ્લાનું 75.20 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદમાં 26593 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 7097 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે જિલ્લામાં 18450 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 4616 નાપાસ થયા છે. 

અમદાવાદ શહેરમાં A1 ગ્રેડમાં- 40, A2 ગ્રેડમાં- 1042, B1 ગ્રેડમાં- 3082, B2 ગ્રેડમાં- 4583, C1 ગ્રેડમાં- 5923, C2 ગ્રેડમાં- 4435, D ગ્રેડમાં- 449, E1 ગ્રેડમાં 14 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જિલ્લામાં A1 ગ્રેડમાં- 16, A2 ગ્રેડમાં- 550, B1 ગ્રેડમાં- 1804, B2 ગ્રેડમાં- 3404, C1 ગ્રેડમાં- 4666, C2 ગ્રેડમાં- 3126, D ગ્રેડમાં- 304, E1 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓ પાસ થયા છે. અમદાવાદ શહેરમાં 40 વિદ્યાર્થીઓ A1 ગ્રેડના છે, જેમાંથી 12 વિદ્યાર્થીઓ શાહીબાગ સ્થિત ધ એચ.બી. કાપડિયા ન્યુ હાઈસ્કૂલના છે.

સુરત શહેરમાં A1 ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. સુરતમાં 186 જ્યારે રાજકોટમાં 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડમાં પાસ થયા છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં આ વર્ષે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. પરીક્ષામાં 82.20 ટકા વિદ્યાર્થીનીઓ અને 70.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષ કરતા 3 ટકા પરિણામ વધુ આવ્યું છે. 2019માં 73.27% પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે 76.29% પરિણામ જાહેર થયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news