રાજકોટમાં વધુ એક યુવકને છરીના ઘા ઝીંક્યા, સારવાર દરમિયાન મોત

રાજ્યના રંગીલા શહેર જાણીતા રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. શહેરના કોઠારિયા વિસ્તારમાં આવેલા રણુજા મંદિર નજીક હરી દર્શન નામની દુકાન પાસે રાહુલ ગોસ્વામી નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. 

રાજકોટમાં વધુ એક યુવકને છરીના ઘા ઝીંક્યા, સારવાર દરમિયાન મોત

રક્ષિત પંડ્યા, રાજકોટ: દિવસે ને દિવસે ગુજરાતમાં ક્રાઇમમાં વધારો થયો છે. રાજ્યના રંગીલા શહેર જાણીતા રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. શહેરના કોઠારિયા વિસ્તારમાં આવેલા રણુજા મંદિર નજીક હરી દર્શન નામની દુકાન પાસે રાહુલ ગોસ્વામી નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. 

મૃતક યુવાન રાહુલ તેના મિત્રો સાથે ઉભો હતો ત્યારે ચાર જેટલા શખ્સો સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી. જેનો ખાર રાખીને ચાર શખ્સોએ છરી વડે હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાહુલને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 

પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ જયેશ માઢ ,દિવુ જાડેજા અને દિવ્યેશ લાવડીયા તથા અન્ય એક શખ્સ હોવાની આશંકા છે. જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે હત્યા કરનાર શખ્સો રાહુલના મિત્રો જ છે જેથી કયા કારણોસર સામાન્ય બોલાચાલી ઉગ્ર બની તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news