PSI દેવેન્દ્ર રાઠોડની પત્ની બોલી, ‘ન્યાય નહિ આપો તો હું આત્મવિલોપન કરવાની વાત પર મક્કમ છું’

અમદાવાદમાં PSI દેવેન્દ્ર રાઠોડની આત્મહત્યા કેસને લઈને PSIના પત્ની ડિમ્પલ બા રાઠોડ સચિવાલય પહોંચ્યા હતા અને સમગ્ર કેસની ન્યાયિક તપાસ થાય તેવી માંગણી સાથે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. તેમણે ગૃહ રાજ્યમંત્રીને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું અને ડીવાયએસપી સામે તાત્કાલિક અસરથી પગલા ભરવાની માંગ કરી હતી. મુલાકાત પહેલા ડિમ્પલ બાએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, પોલીસ તંત્ર હાલમાં કાર્યવાહી કરી રહ્યું છે, એટલે મેં આત્મવિલોપનનો નિર્ણય પરત ખેંચ્યો છે. 15 દિવસમાં જો કોઈ નિર્ણય નહીં આવે તો હું આત્મવિલોપન કરવાની વાત પર મક્કમ છું.

PSI દેવેન્દ્ર રાઠોડની પત્ની બોલી, ‘ન્યાય નહિ આપો તો હું આત્મવિલોપન કરવાની વાત પર મક્કમ છું’

હિતલ પારેખ/ગાંધીનગર :અમદાવાદમાં PSI દેવેન્દ્ર રાઠોડની આત્મહત્યા કેસને લઈને PSIના પત્ની ડિમ્પલ બા રાઠોડ સચિવાલય પહોંચ્યા હતા અને સમગ્ર કેસની ન્યાયિક તપાસ થાય તેવી માંગણી સાથે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. તેમણે ગૃહ રાજ્યમંત્રીને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું અને ડીવાયએસપી સામે તાત્કાલિક અસરથી પગલા ભરવાની માંગ કરી હતી. મુલાકાત પહેલા ડિમ્પલ બાએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, પોલીસ તંત્ર હાલમાં કાર્યવાહી કરી રહ્યું છે, એટલે મેં આત્મવિલોપનનો નિર્ણય પરત ખેંચ્યો છે. 15 દિવસમાં જો કોઈ નિર્ણય નહીં આવે તો હું આત્મવિલોપન કરવાની વાત પર મક્કમ છું.

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ટ્રેની પીએસઆઇએ ખાનગી રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધાના બનાવથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. વર્ષ 2017-18 પીએસઆઈની ભરતીમાં પ્રથમ આવેલ દેવેન્દ્ર રાઠોડએ ખાનગી રિવોલ્વરથી પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. જેમાં  ડીવાયએસપી એન.પી.પટેલનું નામ આવ્યું હતું. પરંતુ આ મામલે કોઈ તપાસ ન થતા પીએસઆઈ દેવેન્દ્ર રાઠોડની પત્ની ડિમ્પલ બાએ આત્મવિલોપનની ચીમકી આપી હતી. તેમના સપોર્ટમાં ક્ષત્રિય મહિલા સંગઠન પણ આવ્યું છે. 

PSI દેવેન્દ્ર રાઠોડ આત્મહત્યા મામલો: કેસની તપાસ માટે SITની કરાઇ રચના

આજે સ્વર્ગસ્થ દેવેન્દ્ર રાઠોડની પત્ની ડિમ્પલબા રાઠોડ સચિવાલય પહોંચ્યા હતા, અને સમગ્ર કેસની ન્યાયિક તપાસ થાય તેવી માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. તેથી મેં આત્મવિલોપન કરવાની જે ચીમકી આપી હતી તે હું પાછી ખેંચી છું. મને આશા છે કે પોલીસ હરકતમાં આવી છે તેના કારણે કાર્યવાહી કરશે. જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો પંદર દિવસ પછી હું ફરી પાછી આ જ બાબત પર મક્કમ છું. હું મારા પતિ માટે ન્યાય માગું છું ત્યારે આ પ્રકારનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે બંદોબસ્ત આતંકવાદીઓ માટે પણ ગોઠવી દેવામાં આવતો નથી. ડીવાયએસપી પટેલ અત્યારે ઓન ડ્યુટી છે આમ છતાં તેની ધરપકડ પણ કરવામાં નથી આવતી. ડીવાયએસપી માથાભારે છે એટલા માટે તેને સામે કોઇ કાર્યવાહી કરતી નથી, સરકાર તેને બચાવવા માટેના જ પ્રયત્ન કરે છે. મને ન્યાય નહીં આપો તો મારે ચોક્કસ વિચાર કરવો પડશે.

વાત ગળે નહિ ઉતરે, પણ સો ટકા છે સાચી : જે કામમાં ગુજરાત સરકારને આંટા આવી ગયા, તે એક નાનકડા ગામે કરી બતાવ્યું

તો બીજી તરફ, ક્ષત્રિય મહિલા સંગઠનના પ્રમુખ ગીતા બાએ કહ્યું કે, ક્ષત્રિય મહિલા સંગઠન ડિમ્પલ બાની પડખે છે. ડિમ્પલ બા જે પગલું ભરશે, તેમાં ક્ષત્રિય મહિલા સંગઠન પણ સહયોગ આપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news