ખેતરમાં અચાનક લાગેલી આગમાં 3 બાળકો જીવતા સળગી ગયા

જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલ હનુમાનગઢ ગામે આગ લાગવાની દૂર્ઘટનામાં ત્રણ બાળકો ભડથુ થઈ જતા પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ છવાયો છે. હનુમાનગઢ ગામે વાડી વિસ્તારમાં અંદાજે બપોરે 1 થી 3 વાગ્યા વચ્ચે બનેલી ગોઝારી ઘટના ઘટી હતી. વાડીમાં રહી મજુરી કામ કરીને પોતાના પરિવારોનો ગુજરાન ચલાવતા મધ્યપ્રદેશના મજુર પરિવારોના 7 જેટલા બાળકો આ ઘટના બની ત્યારે વાડીએ ઝુંપડામાં રમી રહ્યા હતા. દરમિયાન પ્રાથમિક માહીતી પ્રમાણે બાળકો દ્વારા ચુલો સળગાવવાનો પ્રયાસ થતા ઝુંપડુ સળગી જતા તેમાં ત્રણ બાળકો આગની ચપેટમાં આવી જતા ઘટના સ્થળે જ તેઓના મોત નિપજ્યા હતા. 
ખેતરમાં અચાનક લાગેલી આગમાં 3 બાળકો જીવતા સળગી ગયા

અજય શીલુ/પોરબંદર: જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલ હનુમાનગઢ ગામે આગ લાગવાની દૂર્ઘટનામાં ત્રણ બાળકો ભડથુ થઈ જતા પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ છવાયો છે. હનુમાનગઢ ગામે વાડી વિસ્તારમાં અંદાજે બપોરે 1 થી 3 વાગ્યા વચ્ચે બનેલી ગોઝારી ઘટના ઘટી હતી. વાડીમાં રહી મજુરી કામ કરીને પોતાના પરિવારોનો ગુજરાન ચલાવતા મધ્યપ્રદેશના મજુર પરિવારોના 7 જેટલા બાળકો આ ઘટના બની ત્યારે વાડીએ ઝુંપડામાં રમી રહ્યા હતા. દરમિયાન પ્રાથમિક માહીતી પ્રમાણે બાળકો દ્વારા ચુલો સળગાવવાનો પ્રયાસ થતા ઝુંપડુ સળગી જતા તેમાં ત્રણ બાળકો આગની ચપેટમાં આવી જતા ઘટના સ્થળે જ તેઓના મોત નિપજ્યા હતા. 

જ્યારે 4 બાળકો બહાર નિકળી જવામાં સફળ થતા તેઓનો જીવ બચી ગયો હતો. આ ઘટનામાં જે કુમળી વયાના બાળકોના મોત નિપજ્યા છે, તેમાં રવી મુકેશ બામણીયા (ઉ.વ 3) અને નિર્મલા બામણીયા (ઉ.વ 2) આ બંન્ને સગા બેન-ભાઈનુ આગમાં મોત નિપજ્યુ છે. જ્યારે ત્રીજા જે બાળકનુ મોત નિપજ્યુ છે. તે લક્ષપી દીલીપ મસાણીયાની ઉમર માત્ર ત્રણ વર્ષની હોવાનુ સામે આવ્યુ છે, આમ આ ગોઝારી ઘટનમાં એકથી ત્રણ વર્ષની કુમળી વયના બાળકોના મોત નિપજતા પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news