રાજકોટ: સાવ નજીવી બાબતે યુવકની હત્યા કરી નખાઈ
શહેરના બજરંગવાડી વિસ્તારમાં એક યુવાનની હત્યાનો બનાવ બન્યો છે. મૃતક કોલેજમાં અભ્યાસ કરતો હતો અને વાહન અથડાવવા જેવી નજીવી બાબતે આ યુવાનની હત્યા કરી નાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
- બજરંગવાડી વિસ્તારમાં ઘટી ઘટના
- મૃતક જયરાજ સિંહ NSUIના મંત્રી હતાં
- વાહન અથડાવવા જેવી નજીવી બાબતે થઈ હત્યા
Trending Photos
રાજકોટ: શહેરના બજરંગવાડી વિસ્તારમાં એક યુવાનની હત્યાનો બનાવ બન્યો છે. મૃતક કોલેજમાં અભ્યાસ કરતો હતો અને વાહન અથડાવવા જેવી નજીવી બાબતે આ યુવાનની હત્યા કરી નાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં આ ઘટના ઘટી છે. S.Y.B.COMમાં અભ્યાસ કરતા જયરાજ સિંહની વાહન અથડાવવા જેવી નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ જે દરમિયાન હત્યા કરી નાખવામાં આવી. જયરાજ સિંહના ભાઈ તેમને બચાવવા માટે વચ્ચે પડતા તેમને પણ હાથના ભાગે છરી વાગી ગઈ અને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
આરોપીનું નામ અજય વાળા હોવાનું કહેવાય છે. મૃતક જયરાજ સિંહ રાજકોટ શહેર NSUIના મંત્રી પણ હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે